ધારિયા, છરી, પથ્થરના ઘા : એ ડિવિઝન પોલીસમાં ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના લોહાનગરમાં કચરો ફેંકવા બાબતે ધીંગાણું થતાં ત્રણ લોકો ઘવાયા હતા. ધારિયા, છરી, પથ્થરના ઘા થતા એ ડિવિઝન પોલીસનો સસ્ટાફ દોડી ગયો હતો પોલીસે ઉષા ઉર્ફે ડોન, શનિ પરમાર અને કુલદીપ પરમાર સામે ગુનો દાખલ કર્યો છે. લોહનગરમાં રહેતા કિશન જીવરાજભાઈ મકવાણા ઉ.વ26એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ભંગારનું કામ તેમજ કટલેરીનો વેપાર કરી મારૂ તથા મારા પરિવારનુ ગુજરાન ચલાવું છું ગત સાંજે હું તથા મારી પત્ની નયના ઘરે હાજર હતા ત્યારે અમારી બાજુમાં રહેતા શનિ વેરશી પરમાર, કુલદીપ કીરીટ પરમાર તેમજ ઉષા ઉર્ફે ડોન વેરશી પરમાર અમારા ઘરની બહાર આવી જોર જોરથી બુમો પાડી જીવરાજભાઈ બહાર આવો તેમ બોલવા લાગેલ અને અમે બંને બહાર નીકળતા આ ઉષા ઉર્ફે ડોન કહેવા લાગેલ કે, તારી ઘરવાળી કેમ મારા ઘરે કચરા બાબતે બોલવા આવે છે? તેમ કહેતા મારી પત્ની કહેવા લાગેલ કે, તમે અમારા ઘરની સામે ગંદો કચરો નાખો તો કહેવુ તો પડે જ ને. તેમ કહેતા આ ઉષા ગાળો બોલવા લાગેલ. મારી પત્નીએ તેઓને કચરો નાખો તો કહીએ એમા ખોટું શું છે તેવુ બોલતા આ ઉષા વધારે ઉશ્કેરાઇ. મારી પત્ની સાથે ઘરની બહાર બોલાચાલી કરવા લાગેલ. કહેવા લાગી કે, તમને જ કચરો નડે છે. હું અને મારી પત્ની એકલા હોય હું મારા પિતાને તથા કાકાને લઇને ઘરે હજુ આવેલ તે વખતે આ ઉષા મારી પત્નીની સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરવા લાગેલ. મારી બહેન આરતી કે જે પ્રેગનન્ટ હોય તેઓ પણ ત્યાં હાજર હોય હું અને મારા પિતા, મારા કાકા ગોપાલભાઈએ વચ્ચે પડી છોડાવવા જતા આ ઉષાનું ઉપરાણુ લઇને નજીકમાંથી કુલદીપ એક લોખંડનો ચેઈન ચક્કરવાળી પાઇપ લઈ તથા શનિ છરી લઇને આવ્યો. મારા કાકાને પેટના ઉપરના ભાગે અને કમરની ઉપર પડખામાં છરી મારી દેતા મારા કાકા ગોપાલભાઈ લોહી લુહાણ થઈ ગયા હતા. મારાં પિતાને કુલદીપે ચેઇન ચક્કરવાળો પાઈપ માથામાં મારી દીધેલ. ઝઘડામાં મારી સગર્ભા બહેન આરતીને વાગી ન જાય તે માટે તાત્કાલિક મારી બહેન આરતીને લઇને સાઇડમાં જતો રહેલ હતો. આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. મારા સબંધી સંજયભાઇ કાકા ગોપાલભાઇને મધુરમ હોસ્પિટલમા સારવાર માટે લઇ ગયેલ હતા. થોડી વારમાં 108 એમ્બ્યુલન્સ આવી જતા મારા પિતાને મારી પત્ની નયના તથા બહેન નીશા એમ્બ્યુલન્સમાં સીવીલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. પોલીસે ગુનો દાખલ કર્યો હતો બીજી તરફ શનિ વેરશી પરમાર(ઉં. વ. 32, રહે. લોહાનગર, રામાપીરના મંદિરની બાજુમાં) પણ ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેણે આક્ષેપ કરતા જણાવ્યું કે, કિશન, જીવરાજ, ગોપાલ સહિતના લોકોએ ઝઘડો કરી ધારિયા અને પથ્થરથી માર માર્યો હતો. પોલીસે કિશનનું નિવેદન લીધું હતું.



