By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હું આતંકવાદીની રાજધાની મોસ્કોમાં પગ નહીં મૂકું : ઝેલેન્સકીએ પુતિનના મોસ્કો આમંત્રણને નકારી કાઢ્યું
    1 day ago
    ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે.. ટ્રમ્પનું નિવેદન
    2 days ago
    નેપાળે ફેસબુક અને યુટ્યુબ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો: શું છે મુદ્દો અને શા માટે પ્રતિબંધ
    3 days ago
    ભારત અને પાકિસ્તાનમાં વરસાદને કારણે પૂરનો ખતરો વધ્યો
    3 days ago
    યુક્રેન શાંતિ માટે રાજદ્વારી પ્રયાસોને સમર્થન આપવા ભારત તૈયાર, યુએનમાં રાજદૂતનું નિવેદન
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા: મથુરામાં કોલોનીઓ પાણીમાં ગરકાવ
    1 day ago
    અરુણાચલ પ્રદેશમાં ગ્લેશિયર પીગળવાથી તળાવોમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, રાજ્ય પર પૂરનો ખતરો
    1 day ago
    સંબંધોના સકારાત્મક મૂલ્યાંકનની પ્રશંસા કરીએ છીએ: ડોનાલ્ડ ટ્રમ્પની ‘હંમેશા મિત્રો’ ટિપ્પણી પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી
    2 days ago
    દિલ્હી લાલ કિલ્લામાં સોના-હીરાથી જડિત 1 કરોડના કળશની ચોરી થઈ
    2 days ago
    આવતીકાલે ચંદ્રગ્રહણ: આ વર્ષનું ભારતમાં છેલ્લું ચંદ્ર ગ્રહણ, જાણો સમય
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમિત મિશ્રાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું
    3 days ago
    IPL જોવું હવે પડશે મોંઘું! ટિકિટ પર 40 % GST લાગશે
    4 days ago
    ગેરકાયદેસર સટ્ટાબાજી એપ કેસમાં તપાસ એજન્સી દ્વારા શિખર ધવનને સમન્સ પાઠવવામાં આવ્યું
    4 days ago
    ‘4 જૂન જેવું હૃદયદ્રાવક…’: બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર વિરાટ કોહલીનું નિવેદન
    5 days ago
    પહેલી વાર, મહિલા વનડે વર્લ્ડ કપની ઇનામી રકમ પુરુષો કરતા વધુ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અક્ષય કુમારે પંજાબ પૂર રાહત માટે ₹5 કરોડનું વચન આપ્યું: તે દાન નહીં પણ સેવા છે
    1 day ago
    શિલ્પા શેટ્ટીએ લાલબાગ ચા રાજા પંડાલમાં મહિલા પોલીસકર્મીની સેલ્ફીની વિનંતી નકારી
    3 days ago
    દયાભાભી પહોંચ્યા લાલબાગ ચા રાજાના દર્શને
    4 days ago
    સુહાના ખાન પર ખેડૂતને ફાળવેલી જમીન ગેરકાયદેસર રીતે ખરીદિ કરવાનો આરોપ
    4 days ago
    ફિલ્મ ‘વશ લેવલ 2’નો લોકો પર કેવો પ્રભાવ પડ્યો ? ચાલો જાણીએ બોક્સ ઓફિસના આંકડા
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    2 days ago
    કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
    5 days ago
    શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
    6 days ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    2 weeks ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    પુજારાની સંપત્તિમાં વિક્રમજનક વધારો!
    2 days ago
    PBAS રિપોર્ટ પહેલાં જ પ્રોબેશન પર રહેલા ડૉ. તરલિકા ઝાલાવડિયાને અધ્યક્ષ બનાવાયા
    2 days ago
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 29 ભવનમાંથી માત્ર 5માં જ ‘હેડશિપ બાય રૉટેશન’ પદ્ધતિ શા માટે અમલમાં મૂકી?
    4 days ago
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલિત, આદિવાસી અને SE-BCને હળહળતો અન્યાય
    5 days ago
    સદાદિયાની અવળચંડાઈ: ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમનો આડકતરો વિરોધ
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જુગાર ઉપર દરોડા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Jagdish Acharya > જુગાર ઉપર દરોડા
AuthorJagdish Acharya

જુગાર ઉપર દરોડા

Khaskhabar Editor
Last updated: 2022/02/05 at 12:26 PM
Khaskhabar Editor 4 years ago
Share
9 Min Read
SHARE

સંવેદનશીલ સરકારની પોલીસને શું આ શોભે છે?

હળવે હૈયે
– જગદીશ આચાર્ય 

દેશમાં આ શું ચાલી રહ્યું છે?શું મહાન ભારતવર્ષની ભવ્ય,પવિત્ર અને પ્રાચીન પરંપરાઓની કાંઈ કિંમત જ નથી?કેવો ભવ્ય આ દેશ હતો?કેવી ભવ્ય સિદ્ધિઓ હતી?અત્યારે ભલે આપણે રાફેલ જેવું વિમાન ફ્રાંસ પાસેથી ખરીદવું પડે પણ એક સમય હતો જ્યારે ભારત એ બાબતે આત્મનિર્ભર હતું.ભારતમાંથી લોકોને હરવા ફરવાનું મન થાય તો હવાઈ જહાજોમાં બેસીને સ્વર્ગનો આંટો મારી આવતા.મહાભારતના યુદ્ધમાં યોદ્ધાઓ તીર ના ટોપકા ઉપર અણુ શસ્ત્રો ચોંટાડીને દુશ્મનોના છક્કા છોડાવી દેતા. આપણે આજે હજારો વર્ષો પછી પણ એ સિદ્ધિઓની ગૌરવ ગાથા અવિરત ગાઈએ છીએ પણ એ જ મહાભારત કાળની અન્ય એક ભાતીગળ,સામાજિક અને ખેલ કુદની પરંપરાનું વર્તમાન શાસકોએ ગળું ઘોંટવાનું નિષ્ઠુર કૃત્ય કર્યું છે.

Contents
સંવેદનશીલ સરકારની પોલીસને શું આ શોભે છે?હળવે હૈયે – જગદીશ આચાર્ય 

આ બધું લખવાની ફરજ પડે એવીએક ઘટના તાજેતરમાં રાજકોટમાં બની છે.હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાથી એક ધાર્મિક પરિવારમાં કેટલાક લોકો જુગાર રમતાં હતા ત્યાં પોલીસ પહોંચી. સોરી,પહોંચી શું ત્રાટકી.(પોલીસ હંમેશા ત્રાટકતી જ હોય છે.)ઝાંબાઝ પોલીસ ત્રાટકી છે એ ખબર પડતાં જ ત્રણ ગભરૂ ખેલંદાઓ અગાશી ઠેકયા અને તેમાં નીચે પડ્યા તો ત્રણેના ટાંટિયા ભાંગ્યા.

- Advertisement -

આ હૃદય વિદારક ઘટના એ વાતની ગવાહી પુરે છે કે આ સરકાર હજુ હોવી જોઈએ એટલી સંવેદનશીલ નથી બની.સરકારને ભારતની પ્રાચીન પરંપરાઓની કાંઈ ખબર જ નથી.પોલીસવાળા ભાઈઓ પણ કાંઈ ભણ્યા ગણ્યા વગર કે વાંચ્યા વગર પાસ થઈ ગયા હશે એવી શંકા પણ દેખીતી રીતે જ ઉપજે છે.એ બધાને જો પ્રાચીન ગ્રંથોનું જાજું નહીં ને પ્રાથમિક જ્ઞાન હોત તો પણ એમને સમજાત કે જે જુગારની રમત સામે તેઓ આટલો બધો ક્રોધ દાખવે છે એ તો આપણો ભવ્ય પ્રાચીન વારસો છે.

આ પ્રાચીનતમ રમતની જે ઘોર અવગણના કરવામાં આવી છે એ આ મહાન લોકશાહી દેશને લગીરેક શોભા નથી આપતું.જુગારની રમત રમવા ઉપર કાળા કાયદા દ્વારા પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.એક મહાન સ્પોર્ટસનું ગળું ટુંપી દેવામાં આવ્યું છે.કાયમ હાથ જોડીને બેઠી રહેતી પોલીસ પણ જુગારનું નામ આવે એટલે થનગનવા લાગે છે અને પુરા જોશથી ત્રાટકે છે.

કેવો અન્યાય?કેવી વીટંબણા?,નહીંતર જુઓ,એક સમયે જ્યારે પૃથ્વી ઉપર સતયુગની ધ્વજા ફરકતી હતી ત્યારે આ ગ્રેટ સ્પોર્ટસ નો કેવો દબદબો હતો?એના કેટલા માનપાન હતા.અત્યારે જે સ્થાન ક્રિકેટનું છે એ સ્થાન એ સમયે જુગારનું હતું.લોકો પુરા જોશથી જુગાર રમતાં. રંગે ચંગે જુગાર રમી શકાતું.જાહેરમાં છડે ચોક,ખુલ્લેઆમ રમી શકાતું.ગામે ગામ જુગારની સ્પર્ધાઓ થતી.જુગાર રમવા માટે બકાયદા આમંત્રણ અપાતા. જુગારની ટુર્નામેન્ટ જોવા માટે હજારો લોકો ઉમટી પડતાં.

- Advertisement -

વાત આટલેથી જ નથી અટકતી. જુગાર એ તો ભારતવર્ષની રાષ્ટ્રીય રમત હતી.રાષ્ટ્રહિતના અતિ અગત્યના નિર્ણયો જુગારની રમત થકી નક્કી થતાં. આજે જ્યારે કળિયુગમાં જુગાર અને જુગારીઓને હાંસિયામાં ધકેલી દેવાયા છે ત્યારે અત્રે એ યાદ અપાવવું ખાસ જરૂરી છે કે જુગાર એ માત્ર રમત જ નહોતી,એ એક ધાર્મિક કૃત્ય પણ હતું.

આ અમારો ઘરનો દાવો નથી.આ અમે ફેંકતા નથી.અમે ફેંકુ નથી.મહર્ષિ વેદ વ્યાસ દ્વારા માન્યતા પ્રાપ્ત આ હકીકત છે.પાંડુ રાજાના પાંચ પુત્રો પૈકીના જ્યેષ્ઠ પુત્ર યુધિષ્ઠિર ધર્મરાજા તરીકે જ ઓળખાતા હતા.એમનું એક પણ કૃત્ય અધાર્મિક ન હોય શકે.એ યુધિષ્ઠિર પણ જુગારના શોખીન હતા. જુગારને એ સમયે દ્યુત કહેવાની પ્રથા હતી.યુધિષ્ઠિર જુગારના શોખીન હતા અને એમાં કોઈને કાંઈ અજુગતું ન લાગતું.કારણ કે જુગારતો બધા રમતાં. કૌરવોએ એમને દ્યુત રમવા નિમંત્રયા ત્યારે કાયદેસર ઇનવીટેશન કાર્ડ મોકલ્યા હતા. આમંત્રણ આપવા માટે દૂતો ગયા હતા.અત્યારે જેમ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સ્પર્ધા યોજાય છે એ પ્રકારની એ સ્પર્ધા હતી. આમંત્રણ મળ્યા પછી યુધિષ્ઠિર જુગાર રમવા ગયા ત્યારે …

અત્યારે કળિયુગમાં આપણે લાચાર મનુષ્યોને ઘરેથી ખોટું બોલીને છાના છપના જુગાર રમવા જવું પડે એવી લાચારી યુધિષ્ઠિરને નહોતી અનુભવવી પડી.કારણકે જુગારની સ્પોર્ટને પવિત્ર કર્મ માનવામાં આવતું હતું.તેઓ તો છડેચોક,રજવાડી રથમાં સવાર થઈ ચાર નાના ભાઈઓ અને ઘરવાળાને સાથે રાખીને ગયા હતા.જ્યાં જુગાર રમાયો એ પણ કોઈ ગામડાંની સીમમાં આવેલી વાડી નહોતી.રાજસભામાં પાટલા મંડાયા હતા.ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણ સહિતના મહાન આર્યો સ્પર્ધા જોવા ઉમટી પડ્યા હતા.સુપુત્ર દુર્યોધન જુગાર રમવાનો હતો એટલે બાપુજી ધૃતરાષ્ટ્ર આંખે ન દેખાતું હોવા છતાં ગોગલ્સ પહેરીને ગોઠવાઈ ગયા હતા.(આજે તો એ ભવ્ય સંસ્કૃતિ ભૂલી ગયેલા વર્તમાન સમયના અન્યાયી પપ્પાઓ પોતે ખાનગી મહેફિલોમાં નિરાંતે પાનાં ટીચતાં હોય છે પણ જો ખબર પડે કે પુત્રે પણ ક્યાંક પાટલા માંડ્યા છે તો રજનું ગજ કરી નાખે છે.એ સંસ્કારી સમયમાં આવા બેવડા ચાલ ચરિત્ર વાળા પપ્પાઓ કે વડીલો નહોતા તેની નોંધ પણ ઇતિહાસે લેવી જ પડશે.)

જો કે કૌરવો વિરૂદ્ધ પાંડવો વચ્ચેની એ ગેમ વનસાઈડેડ થઈ ગઈ હતી.કૌરવો પાસે શકુની નામે અઠંગ જુગારી હતો.કૌરવો તમામ રાઉન્ડ જીતી ગયા.બાપડા યુધિષ્ઠિર ફોલોઓન ઉપર ફોલોઓન થતા ગયા અને અંતે દ્રૌપદીના ચીર પુરવા માટે કૃષ્ણ ભગવાને સાડીઓનો જથ્થો ખાલી કરવો પડ્યો.યુધિષ્ઠિર ઘરબાર વગરના થઈ ગયા તો’ય બીજી વખત પણ જુગાર રમવા બેસી ગયા હતા.

પણ એ નોંધવું જરૂરી છે કે જુગાર રમવાને કારણે યુધિષ્ઠિરનો રથ જમીન ઉપર નહોતો આવી ગયો.એ પછી પણ જ્યારે કૃષ્ણ ભગવાન તેમને મળ્યા ત્યારે ,”અલ્યા,જ્યેષ્ઠ ભ્રાતા, આ જુગારની લત મુકો,હું દર વખતે સાડલા નહીં પહોંચાડું “..એવો કોઈ ઠપકો નહોતો આપ્યો.

પોલીસવાળા સાહેબો!વાત આટલેથી જ નથી .પાંડવો વનવાસ ભોગવતા હતા ત્યારે બૃહદશ્વ નામના એક સિદ્ધ મુનિ પાસેથી યુધિષ્ઠિર પાસા ફેંકવાની વિદ્યા શીખી દ્યુતની રમતમાં હાઇલી કવોલીફાઇડ ખેલંદા બન્યા હતા અને એ કવોલીફિકશનના આધારે જ દ્યુત વિદ્યાના નિષ્ણાંત તરીકે વનવાસના છેલ્લા વર્ષમાં તેમને વિરાટ રાજાને ત્યાં નોકરી મળી હતી. પોલીસબંધુઓને હજુ વધારે પુરાવા જોતા હોય તો એ પણ યાદ આપવું કે મહાભારત પૂર્વે હજારો વર્ષ પહેલાં પણ નળરાજા જુગારમાં જ દેવી દમયંતીને હારી ગયા હતા.આ બધું સાબિત કરે છે કે ભારત વર્ષનો જેને શ્રેષ્ઠ કાળ ગણવામાં આવે છે એ મહાભારત તથા તે પૂર્વેના સમયની સૌથી વધુ લોકપ્રિય અને સત્તાવાર સ્પોર્ટ્સ તરીકેનું બહુમાન જુગારની રમતને મળ્યું હતું.

કાળક્રમે અન્ય નાના પ્રકારની રમતોના આક્રમણને કારણે આ રમતનું મહત્વ ઘટતું ગયું.ભારતીય સંસ્કૃતિના દુશમનો દ્વારા આ પ્રાચીનતમ રમતને રહેતા રહેતાં તો કાયદાની નિર્દય એડી હેઠળ કચડવાનું શરૂ કરાયું.પણ આમ છતાં લોકહૃદયમાં આ રમતનું સ્થાન યુગો પૂર્વે હતું એટલું જ અવિચળ અને પૂજનીય છે.જ્યાં જુગાર રમાય છે એ સ્થળને આજે પણ તીર્થધામનો દરજ્જો અપાયો છે.ક્રિકેટ રમાતું હોય એ સ્થળને સ્ટેડિયમ કહેવામાં આવે છે,બેડમિન્ટન કે ટેનિસની રમતો રમાતી હોય એ સ્થળને કોર્ટ કહેવામાં આવે છે,રાજકારણની રમતો રમાતી હોય તે સ્થળોને સંસદ અને વિધાનસભા કહેવામાં આવે છે પણ જ્યાં જુગાર રમાતો હોય એને તો જુગરધામ કહેવામાં આવે છે.હિન્દુઓના પવિત્ર ચારધામ પછી જો કોઈ અન્ય ધામ હોય તો તે એકમાત્ર જુગરધામ છે એવું દેશના અજ્ઞાની ભાઈઓ ઔર બહેનોને યાદ અપાવ્યા વગર હું રહી શકતો નથી.

જુગારની રમત મહાનતમ હોવા છતાં,અતિ લોકપ્રિય હોવા છતાં,વિશ્વના ખૂણે ખૂણે રમાતી હોવા છતાં એ રમતની પોતાની ખાનદાની, એની નમ્રતા,નિરાભિમાનીપણું અને સાદગી સમાજ માટે પ્રેરણાદાયક છે.જુગારની રમત રમવા માટે કોઈ લાયકાતની જરૂર નથી.મોંઘાદાટ સાધન સરંજામની જરૂર નથી.એ રમવા માટે પીચ કે મેદાનો તૈયાર કરવા પડતાં નથી.અમ્પાયરો કે રેફરીની જરૂર નથી પડતી.એ કોઈ પણ સમયે રમી શકાય છે.ઈનફેક્ટ આ એક જ રમત એવી છે જે ચોવીસ કલાક રમી શકાય છે.જેવી જેની સ્ટેમીના.ટીમમાં ન્યૂનતમ કે મહત્તમ ખેલાડીઓ હોવા જોઈએ એવા કોઈ નિયમોમાં આ રમત બંધાઈ નથી.ઓછામાં ઓછા બે થી માંડીને વધારેમાં વધારે જેટલા જોડાઈ શકે એટલા લોકો એક જૂથમાં કે અલગ અલગ જૂથમાં અવિરત જુગાર રમી શકે છે.જુગાર સાચા અર્થમાં બિનસંપ્રદાયિકતા,સર્વધર્મ સમભાવ અને સમજવાદનું પ્રતીક છે.ઉચ નીચના સંકુચિત ભેદભાવો આ પવિત્ર રમતને અભડાવી શક્યા નથી.

પુરુષ-મહિલા,ગરીબ-તવંગર, કર્મચારી-માલિક, શિક્ષક-શિષ્ય,બાપ-દીકરો..બધા આ રમત રમી શકે છે.
આપણે બધા એક યા બીજા સ્વરૂપે સતત જુગાર રમતાં જ રહીએ છીએ. લોકશાહીમાં ચૂંટણી એ મોટામાં મોટું જુગાર પર્વ છે.જિંદગીમાં પણ લોકો લગ્ન વિગેરે પ્રસંગોએ જુગાર જ રમતાં હોય છે.

કાયદાના પ્રતિબંધ છતાં જુગારની રમત પોતાનું સ્થાન અડગ રાખી શકી છે.એટલું જ નહીં દિન પ્રતિદિન આ રમત વધુ ને વધુ લોકપ્રિય બની રહી છે…

ચાલો,આ બધું તો મજાકમાં લખ્યું. શ્રાવણમાં પરિવારના સભ્યો “ઝીણી ઝીણી” રમે ત્યાં સુધી ઠીક છે.બાકી એ કદી ભૂલવું નહીં કે જુગાર વિનાશ જ નોતરે છે.પૌરાણિક કથાઓમાંથી પ્રેરણા લેવી હોય તો એ લેવાય કે ધર્મરાજા જેવા ધર્મરાજા પણ જુગારને કારણે ઘરબાર વગરના થઈ ગયા હતા. યાદ રાખજો!કૃષ્ણ ભગવાન આખી દુનિયાના પુરુષોની પત્નીઓ માટે સાડીના જથ્થા લઈને તૈયાર નહીં બેઠા હોય.ઘર બાર અને બૈરી છોકરાઓનું હિત હૈયે હોય તો જુગાર કદી રમવું નહીં..

You Might Also Like

અમેરિકાના વિઝા કેમ નકારાય છે?

માતા પછી મા, મમ્મી અને હવે મોમ

રહેમાનનો જાદુ

પર્યુષણ, ગોરખયંત્ર અને ઇસપનું શિયાળ..

સાવધાન :આપણાં કોષો આપણો અવાજ સાંભળી તે મુજબ આપણને ઘડે છે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રેસિડેન્ટ વિથ ડિફરેન્સ!
Next Article રાજકોટ એટલે રાજકોટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોરબંદર

પોરબંદરમાં PM મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા પખવાડિયા’નું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
પોરબંદર જિલ્લામાં ઘેડ વિસ્તાર માટે 1500 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી : કુંવરજી બાવળિયા
રાજકોટમાં ગુજરાતનું પ્રથમ ડ્યુઅલ-સ્ક્રીન ડિજિટલ એનામોર્ફિક હોર્ડિંગ લૉન્ચ
રાજુલા ખાતે સાંસદ ભરત સુતરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીની શુભેચ્છા મુલાકાત
વીરપુર (જલારામ) ખાતે નેશનલ હાઈવેના નાલાના પ્રશ્ર્ને વિરોધ
‘રાજકોટ કા મહારાજા’ ગણેશ મહોત્સવમાં 108 દીવડાની મહાઆરતી યોજાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

અમેરિકાના વિઝા કેમ નકારાય છે?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

માતા પછી મા, મમ્મી અને હવે મોમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

રહેમાનનો જાદુ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?