નાણામંત્રી તરીકેના પોતાના કાર્યકાળને યાદ કરતા મનમોહન સિંહે કહ્યું કે વર્ષ 1991માં ભારત બાહ્ય મોરચે અનેક પડકારોનો સામનો કરી રહ્યું હતું.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની આર્થિક સુધારા દ્વારા દેશને નવી દિશા આપવા બદલ વખાણ કરતા કહ્યું કે આ માટે દેશ તેમનો ઋણી છે. એક સમારોહને સંબોધતા ગડકરીએ કહ્યું કે વર્ષ 1991માં તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહ દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાએ ભારતને નવી દિશા બતાવી. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે ઉદાર અર્થવ્યવસ્થાના કારણે દેશને નવી દિશા મળી. તેના માટે દેશ મનમોહન સિંહનો ઋણી છે.
- Advertisement -
ગડકરીએ એ મદદનો પણ ઉલ્લેખ કર્યો હતો કે મનમોહનની નીતિઓએ નેવુંના દાયકામાં મહારાષ્ટ્રના રસ્તાઓ માટે નાણાં એકત્ર કરવામાં મદદ કરી હતી. તેમણે કહ્યું કે મનમોહન સિંહ દ્વારા શરૂ કરવામાં આવેલા આર્થિક સુધારાઓને કારણે તેઓ જ્યારે મહારાષ્ટ્રના મંત્રી હતા ત્યારે આ રોડ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરવામાં સક્ષમ હતા. ગડકરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતને એક ઉદાર આર્થિક નીતિની જરૂર છે જેનો ઉદ્દેશ્ય ગરીબોને પણ ફાયદો થાય. તેમણે કહ્યું કે ઉદાર આર્થિક નીતિ ખેડૂતો અને ગરીબો માટે છે.
તેમણે ઉદાર આર્થિક નીતિ દ્વારા દેશના વિકાસમાં ચીનને એક સારું ઉદાહરણ ગણાવ્યું હતું. ભારતના સંદર્ભમાં ગડકરીએ કહ્યું કે દેશને આર્થિક વિકાસને વેગ આપવા માટે વધુ મૂડી રોકાણની જરૂર પડશે. તેમના મંત્રાલય દ્વારા દેશભરમાં 26 એક્સપ્રેસ-વેના નિર્માણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આમાં તેમને પૈસાની કોઈ અછતનો સામનો કરવો પડ્યો નથી. તેમણે કહ્યું કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ગઇંઅઈં) પણ હાઈવેના નિર્માણ માટે સામાન્ય માણસ પાસેથી પૈસા વસૂલ કરી રહી છે.