લોકસભા ચૂંટણીપૂર્વે દક્ષિણના રાજયને ટાર્ગેટ કરતા ભાજપના વરિષ્ઠ નેતા: ડીએમકે – કોંગ્રેસ સરકાર પર પ્રહાર: બીજી-ત્રીજી-ચોથી પેઢીથી શાસન કરનારાઓ ભ્રષ્ટાચારમાં લીન
ખાસ-ખબર સંવાદદાતા
કર્ણાટક ચૂંટણીમાં પરાજય છતા પણ દક્ષિણમાં પક્ષને મજબૂત કરવાના ઈરાદા સાથે ભાજપે હવે તામિલનાડુ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ અને ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે તેમના બે દિવસના તામિલનાડુ પ્રવાસમાં વેલ્લોર ખાતે એક સભામાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં તામિલનાડુમાંથી દેશના વડાપ્રધાનની ભેટ મળે તેવું ભાજપ ઈચ્છે છે.
- Advertisement -
અમીત શાહે રાજયની 39 લોક્સભા બેઠકમાંથી 25 પર ભાજપને મજબૂત સ્થિતિમાં મુકવા અને એઆઇડીએમકે સાથે જીતવાની તૈયારી હોવાનો સંકેત આપી દીધો હતો. તેઓએ રાજયની ડીએમકે- કોંગ્રેસ સરકાર પર જોરદાર હુમલો કરતા કહ્યું કે રાજયની સરકાર તામિલનાડુના વિકાસ રોકવાની કામગીરી કરે છે. શાહે જે રીતે તામિલનાડુમાં ભાજપને પગ મુકવાની પણ જગ્યા મળતી નથી તે જોતા હવે તામિલ પીએમનો નવો દાવ ખેલ્યો છે અને જણાવ્યું કે ભાજપ ઈચ્છે છે ભવિષ્યમાં તામિલનાડુના કોઈ ગરીબ પરિવારનો વ્યક્તિ દેશના વડાપ્રધાન બને. શાહે વેલ્લોરમાં પક્ષના કાર્યકર્તાઓ સાથે બંધબારણે બેઠક યોજી હતી.
તેઓએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વ. જી.કે.મુમનારને યાદ કરતા કહ્યું કે તેઓએ વડાપ્રધાન બનવાની ક્ષમતા હતી પણ કોંગ્રેસે તેઓને આગળ જ આવવા દીધા ન હતા. તેઓએ મુખ્યમંત્રી એમ.કે.સ્તાલીન પર હુમલો કરતા કહ્યું કે કરૂણાનીધી પરિવારની ત્રણ પેઢીઓ ભ્રષ્ટાચારમાં લીધી છે. તેઓએ ક્યું કે અહી ટુ-જી, થ્રી-જી, ફોર-જી
પાર્ટીયા છે.