જૂનાગઢ આસપાસ 10 કિલોમીટરના વિસ્તારમાં ટ્રેનની સ્પીડ ઘટાડવાની માંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢના ઝાંઝરડા અંડરબ્રીજ અને ચોબારી ફાટક નજીક ટ્રેન હડફેટે છ ગાયના મોત થયા હતા. અમુક ગાયના શીંગડા તો અમુકની ગરદન તેમજ પૂછ કપાઇ જતા પર કંપારી છૂટી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા આ બનાવથી ગૌપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ અંગેની વિગત મુજબ જબલપુર વેરાવળ ટ્રેન જૂનાગઢ સ્ટેશન પરથી વેરાવળ તરફ જવા રવાના થઇ હતી. ઝાંઝરડા અંડરબ્રીજથી ચોબારી ફાટક વચ્ચેના ટ્રેક પર છ ગાયો ચરતી ટ્રેકપર ચડી આવી હતી. ગાયો ટ્રેક પર હતી ત્યારે ધસમસતી ટ્રેન આવી જતા ગાયોને ત્યાંથી જતા રહેવાનો મોકો મળ્યો ન હતો.
- Advertisement -
ડ્રાઇવરે હોર્ન મારવા છતા ગાયો ટ્રેકથી દૂર જાય એ પૂર્વે ટ્રેન પહોંચી ગઇ હતી અને એક પછી ટ્રેનની હડફેટે ચડી જતા છ ગાયના મોત થયા હતા. અમુક ગાયની ગરબદ, અમુકના શીંગડા તેમજ પૂછડી અલગ થઇ ગઇ હતી અમુકને પેટામાં ઇજા થતા આંતરડા બહાર નિકળી ગયા હતા અને તેમાંથી પ્લાસ્ટિક નિકળ્યુ હતુ સ્થળ પર કંપારી છૂટી જાય એવા દ્રશ્યો સર્જાયા હતા. આ અંગે જાણ જતા રેલવે સાફટર ટ્રેક પરથી ગાયોના મૃતદેહને હટાવ્યા હતા આ બનાવથી લોકોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જૂનાગઢમાં ખલીલપુર પાસે ગાય 80 ફૂટ ઊંડા કૂઆમાં ખાબકતા ફાયર ટીમ દ્વારા રેક્સ્યૂ કરાયું
- Advertisement -
જુનાગઢ જોષીપરા ખલીલપુર પાસે આવેલ વિશ્વાસ સીટી વિસ્તારમાં આવેલ કુવામાં એક ગાય પડી જતા જૂનાગઢના મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યું રેસ્ક્યુ જુનાગઢ જોષીપરા ખલીલપુર પાસે આવેલ વિશ્વાસ સીટી વિસ્તારમાં આવેલ એક અંદાજે 80 ફૂટ ઊંડા કુવામાં એક ગાય પડી જવાની સ્થાનિક લોકો દ્વારા જૂનાગઢના મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા સાથે ફાયર વિભાગ દ્રારા ઘટના સ્થળ પર દોડી જઈ ગાયનું રેસ્ક્યું કરી બહાર કાઢવામાં આવી હતી. જોકે ગાયને સારવારની જરૂરત જણાતા સારવારઅર્થે નંદબાવા ગૌ શાળાના કાર્યકરો દ્વારા ગૌશાળા પર ખસેડવામાં આવેલ ગૌ રક્ષા પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા જૂનાગઢ ફાયર બ્રિગેડ વિભાગની કામગીરીની સરાહના કરી હતી અને ફાયર વિભાગના કર્મચારીઓની બિરદાવયા હતા.