શ્ર્વાસ, ફેફસાંના રોગો સહિતનું નિદાન નિષ્ણાત ડૉકટરો દ્વારા કરી અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આસ્થા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા આવતીકાલે શ્ર્વાસ અને ફેફસાંના રોગો, ડાયાબિટીસ અને બી.પી. માટે તેમજ સ્ત્રીરોગ અને પ્રસુતિ માટેનો નિ:શુલ્ક નિદાન કેમ્પ સવારે 10થી 12 કલાકે આસ્થા મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલ, અલ્કા પાર્ક, 50 ફૂટ મેઈન રોડ નાગબાઈ પાન અને પેડક રોડને જોડતો ક્રોસ રોડ કુવાડવા રોડ ખાતે રાખવામાં આવ્યો છે.
- Advertisement -
આ નિ:શુલ્ક નિદાન કેમ્પમાં નિષ્ણાત અનુભવી એમ.ડી. ડૉ. રવિન્દ્ર પરમાર, ડૉ. ભક્તિ ગણાત્રા, ડૉ. કાર્તિકેય શાસ્ત્રી દ્વારા તમામ દર્દીઓની નિ:શુલ્ક ચકાસણી કરવામાં આવશે જેમાં ડાયાબિટીશ, સ્નાયુ, ચેતાતંત્ર, શ્ર્વાસ, ફેફસાં અને સ્ત્રીરોગને લગતી કોઈ પણ તકલીફ કે બીમારીનું નિદાન અને માર્ગદર્શન ફ્રીમાં આપવામાં આવશે. આ નિ:શુલ્ક નિદાન કેમ્પમાં નામ નોંધાવવા માટે મો.નં. 9726553174 અને 9427445601 પર સંપર્ક કરી શકાશે.