તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ મહુઆ મોઇત્રા પાસેથી સરકારી બંગલો ખાલી કરવા માટે એસ્ટેટ ડાયરેક્ટરની એક ટીમ મોકલવામાં આવી છે. ગયા મહિને લોકસભાની સભ્યતા આપ્યા પછી મોઇત્રાએ બે વાર સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ મોકલી હતી કે જો મહુઆ મોઇત્રા બંગલો ખાલી નહીં કરે તો એક ટીમ મોકલવામાં આવશે, જે સરકારી મકાન ખાલી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરશે.
આ પહેલા ડિસેમ્બરમાં લોકસભા સભ્યતા ગુમાવી દેવાના કારણે મહુઆ મોઇત્રાને 7 જાન્યુઆરી સુધી બંગલો ખાલી કરવાની નોટિસ મોકલી હતી. ત્યાર પછી 8 જાન્યુઆરીના એસ્ટેટ વિભાગે બંગલો ખાલી ના કરતા ત્રણ દિવસની અંદર જવાબ માંગ્યો હતો. 12 જાન્યુઆરીના તેમણે આ બાબતમાં એક વધુ નોટિસ મોકલી છે.
- Advertisement -
હાઇકોર્ટે વધુ સમય આપવા માટે મનાઇ કરી
મહુઆ મોઇત્રાને ગુરૂવારના દિલ્હી હાઇકોર્ટથી ફટકો લાગ્યો હતો. હાઇકોર્ટે સરકારી બંગલો ખાલી કરવા માટે ડાયરેક્ટોરેટ ઓફ એસ્ટોટની નોટિસ સામે અરજી દાખલ કરી છે, મહુઆની અરજીને નકારી કાઢી હતી. આ અરજીમાં તેઓએ સરકાર દ્વારા ફાળવવામાં આવેલા બંગલામાંથી તેમની હકાલપટ્ટી પર વચગાળાનો સ્ટે માંગ્યો હતો.
મહુઆ મોઇત્રા હોસ્પિટલમાં દાખલ
મહુઆ મોઇત્રાના વકીલ અને વરિષ્ઠ અધિકારી બૃજ ગુપ્તાએ હાઇખોર્ટને જણાવ્યું હતું કે, હકાલપટ્ટી કરવામાં આવેલા સાંસદ હોસ્પિટલમાં દાખલ છે અને આઇસીયૂમાં છે. ડોક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે, જેના માટે તેમણે બંગલો ખાલી કરવા માટે કેટલાક સમયની જરૂર છે. મહુઆ મોઇત્રાએ આના માટે વળતર ભરવા તૈયાર છે.