ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની મુલાકાત, સર્કિટ હાઉસમાં બંધ બારણે 20 મિનિટ કરતાં વધુ વાતચીત કરી
ગુજરાતના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુજરાત પ્રવાસે આવેલ કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહ ગઇકાલે સાંજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે હતા. આ દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોનું માનીએ તો આ મુલાકાત 20 મિનિટ સુધી ચાલી હતી. જોકે હજી સુધી આ મુલાકાતનું કારણ સામે આવ્યું નથી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં જ અમદાવાદ ખાતે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ કર્યા હતા. આ દરમિયાન ગઇકાલે સાંજે જ્યારે તેઓ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા ત્યારે જે બન્યું તેનાથી રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. અત્યાર સુધી અનેક મુદ્દે ભાજપ સરકારને ઘેરતાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તેમની સાથે મુલાકાત કરી હતી.
- Advertisement -
ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની સર્કિટ હાઉસમાં બંધ બારણે 20 મિનિટ કરતાં વધુ વાતચીત કરી હતી. જોકે હજી સુધી અમિત શાહ સાથે મુલાકાત કરવાનું કારણ સામે નથી આવ્યું. આ તરફ ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની આ મુલાકાતથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.