ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
સંત શ્રી વેલનાથ જયંતી ઉત્સવ સમિતિના પ્રમુખ તરીકે દેવાંગભાઈ કુકાવા, મહામંત્રી તરીકે દીપકભાઈ બાબરીયા અને ઈન્ચાર્જ તરીકે દેવભાઈ કોરડીયાની વરણી કરવામાં આવી છે. સંત શ્રી વેલનાથ જયંતી ઉત્સવ નિમિત્તે અષાઢી બીજના દિવસે 7 જુલાઈએ ભવ્ય શોભાયાત્રાના આયોજનની તૈયારીના ભાગરૂપે ચુંવાળીયા કોળી વિદ્યાર્થી ભુવન 4-લાખાજીરાજ ઉદ્યોગનગર, ચુનારાવાડ, રાજકોટ ખાતે દર બુધવારે અને દર રવિવારે સાંજે 5-00 કલાકથી 8-00 કલાક સુધી વાહન નોંધણી કરવામાં આવશે. આ વર્ષે શોભાયાત્રામાં વધુમાં વધુ સંખ્યામાં ફોર વ્હીલો એકત્રિત થાય, સૌથી વિશાળ સંખ્યામાં બહેનો જોડાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
- Advertisement -
આ અદ્ભુત શોભાયાત્રાના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય સમાજની વિવિધ સંસ્થાના આગેવાનો સાથે મળીને સિલ્વર જ્યુબેલીની ઉજવણી તરીકે આ અવસર ઉજવાશે. આ વર્ષે રથયાત્રા સવારે 9-00 કલાકથી રાજકોટ બહુમાળી ચોકથી પ્રસ્થાન થશે તેની જ્ઞાતિજનોએ ખાસ નોંધ લેવી. 25મી શોભાયાત્રાને ઐતિહાસિક સફળતા મળે તેના માટે રાજકોટ શહેર- તાલુકામાં ચાલતા કોળી સમાજના વિવિધ મંડળો, ગ્રુપોને સહકાર આપવા અનુરોધ કર્યો છે. વિશેષ માહિતી માટે મો. 9033518909 ઉપર સંપર્ક કરી શકાશે.