નવી વીજ લાઈનથી ગિરનારની વીજ સમસ્યાનો અંત થશે
ગિરનાર અંબાજી સુધી 7.91 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે: 50 પગથિયે સંતો મહંતો અગ્રણી નેતાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પ્રાચીન નગરી સાથે હિમાલયનો પ્રપિતાહમાં તરીકે વિશ્ર્વ વિખ્યાત છે ત્યારે વર્ષો સુધી ગિરનાર પર લો વોલ્ટેજ અને જુના વીજ વાયરના લીધે સમસ્યાનો સામનો પર્વત પર આવેલ ધર્મ સ્થાનો કરી રહ્યા હતા આખરે પીજીવીસીએલ દ્વારા આજ રોજ ગિરનારના 50 પગથિયાં પાસે 11 કેવી કેબલ નાખવાનું ખાતમુહર્ત કરાયુ હતું જેમાં સાધુ સંતો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગરવા ગઢ ગિરનારના દેવ દર્શન કરવા પ્રતિ વર્ષ લાખો શ્રદ્ધાળુ પધારે છે ત્યારે પર્વત પર અંબાજી મંદિર, ગુરુદત્ત શિખર, કમંડળ કુંડ સહીત અનેક ધાર્મિક જગ્યાઓ આવેલી છે ત્યારે વર્ષોથી જૂની અને ખખડધજ વીજ લાઈનના લીધે વીજ પાવરની સમસ્યા જોવા મળતી હતી ક્યારેક વીજ વાયર તૂટવા તો ક્યારેક લો વોલ્ટેજ થી પાણી સમસ્યા ઉદભવતી હતી હવે આજ રોજ 11 કેવી કેબલ અંડર ગ્રાઉન્ડ નાખવાની મંજૂરી મળતા 7.91 કરોડના ખર્ચે 4 કિમિ લાંબો કેબલ અને 6 ટ્રાન્સફોર્મર નાખવામાં આવશે જેનું ખાતમુહર્ત સાધુ સંતો મેયર ગીતાબેન પરમાર, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડીયા, ડે.મેયર ગિરીશ કોટેચા, સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ , કલેકટર અનીલકુનાર રાણાવસીયા સહીત પદાધિકારી અને પીજીવીસીએલ અધિકરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગિરનાર વીજ સમસ્યાનું ખાતમુહર્ત આજરોજ થયું ત્યારે આ કામ વેહલી તકે પૂર્ણ થાય તેવી આશા સાધુ સંતો રાખી રહ્યા છે કારણે કે આ વીજ કેબલ કામગીરી ખુબ અઘરી છે તેનું કારણ ગિરનાર ઉપર અંબાજી મંદિર સુધી કાડમીંણ ના પથ્થરો તોડીને અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવશે ત્યારે પીજીવીસીએલ દ્વારા કપરી કામીગીરીની આ યોજના કરોડોના ખર્ચે થવા જય રહી છે ત્યારે વહેલામાં વેહલી તકે યોજના પૂર્ણ થાય તેવી સૌકોઈ આશા રાખી રહ્યા છે.
હાલ વર્ષો બાદ ગિરનારની વીજ સમસ્યા હળવી કરવા હવે જયારે 11 કેવી વીજ કેબલ નાખવાનું શરુ કરવામાં આવ્યું છે ત્યારે રોપ-વે કંપની દ્વારા પૂરતો સહયોગ મળશે તો રોપ-વે ની માલવાહક ટ્રોલી દ્વારા વીજ કેબલને નાખવાની સાધન સામગ્રી ઝડપથી અંબાજી મંદિર સુધી પોહચશે અને કામમાં ગતિ આવશે અને વેહલું કામ પૂર્ણ થશે.
આખરે વન વિભાગની મંજૂરી મળતાં હવે ગિરનારને પુરતો વીજ પુરવઠો મળશે
ગિરનાર પર્વત પર પીજીવીસીએલ દ્વારા 50 જેટલા વીજ જોડાણો આપવામાં આવેલ છે. ત્યારે વન વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ વીજ કેબલ નાખવાની મંજૂરી મળતા આજરોજ 11 કેવીની હેવી વીજ લાઇન નાખવાનું ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતુ. જેમાં વન તંત્રની મંજૂરી મળતા સીડીની બાજુમાં ખાડાઓ ગાળીને ચાર કિ.મી. કેબલ અને 6 ટ્રાન્સફોર્મર નાખવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારે આગામી દિવસોમાં ગિરનારની વીજ સમસ્યા હવે હળવી થશે. તેવી સૌ કોઇ આશા રાખી રહ્યા છે.