ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના વિવિધ વિસ્તારોમાં ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં મનપાની ફૂડ વિભાગ શાખા દ્વારા સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે હાથીખાના-16માં આવેલા ઈશ્ર્વર ઘુઘરા પેઢીના ઉત્પાદન સ્થળ પર ન્યુસન્સ અટકાવવા તથા સ્થળ પર હાયજિનિક કંડીશન જાળવવા નોટીસ આપી હતી.
વધુમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા સીતારામ ફૂડ ઝોન, જલારામ સેલ્સ એજન્સી, ગોપાલ જનરલ સ્ટોર, સદ્ગુરૂ નાસ્તા હાઉસ, બાપા સીતારામ દાળ પકવાન, વેલનાથ કોલ્ડ્રિંક્સ, રાજકમલ ઘૂઘરા, કસ્તુરી ફુડ કોર્ટ, જલારામ ખમણને લાયસન્સ બાબતે નોટીસ ફટકારી હતી તથા અન્ય સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.