ચોમાસાનો નવો વરસાદ આગામી 24-48 કલાક સુધી ચાલુ રહેવાની ધારણા છે, ભારે વરસાદને કારણે પાકિસ્તાન અને ઉત્તર ભારતમાં મોટા પૂરનો ખતરો વધી ગયો છે.
પંજાબ પ્રાંતનાં પ્રોવિન્શ્યલ ડીઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર જનરલ અર્ફાન અલિએ જણાવ્યું હતું કે ભારતે બુધવારે જ રાજ્યાવિક ચેનલો દ્વારા પાકિસ્તાનમાં નવા પૂર આવવાની શક્યતા વિષે ‘એલર્ટ’ જારી કર્યો છે. ભારતમાં પણ થઇ રહેલી ભારે વર્ષાને પરિણામે ભારતના બંધોમાંથી પાણી છોડાતાં, ચીનાબ, રાવી અને સતલજમાં જળ ખતરાની નિશાનીથી ઉપર વહી રહ્યાં છે.
- Advertisement -
અત્યારે પ્રશાસન નદીઓના પ્રવાહને ખેતરો તરફ વાળી રહ્યું છે જેથી શહેરોને બચાવી શકાય.
પંજાબ સરકાર વધુમાં કહે છે કે આ પ્રાંતના ઇતિહાસના સૌથી મોટા રાહત કાર્ય પૈકીનું એક છે.
કથિયાએ કહ્યું હતું કે હજ્જારો રાહત કર્મચારીઓ બની શકે તેટલા લોકોને અને બની શકે તેટલાં પશુઓને બચાવવા સેનાએ હોડીઓ દ્વારાં પ્રયત્નો શરૂ કરી દીધા છે. અગાશીઓ અને છાપરાંઓ ઉપર ફસાયેલા લોકોને શોધવા ડ્રોનનો સહારો લેવો પડયો છે. હજી સુધીમાં 33 હજાર ગામનાં ૩૩ લાખથી વધુ લોકોને અસર થઇ છે. ફસલ તદ્દન નષ્ટ થઇ ગઇ છે. તે માટે વળતર આપવાની સરકારે જાહેરાત કરી છે. આ પૂરમાં કેટલા ડૂબી મર્યા હશે તેનો સાચો અંદાજ મેળવવો મુશ્કેલ છે.