આસામમાં રવિવારે પુરની સ્થિતિ ગંભીર બની હતી. જેની 9 જિલ્લામાં અસર થઈ હતી. આ વિનાશકારી પૂરની ચાર લાખથી વધુ લોકોને અસર થઈ હતી. જો કે હવે ધીરે ધીરે પાણી ઘટી રહ્યું છે. પુરને લઈને સરકારે રાહત-બચાવ કાર્ય ઝડપી કરી દીધા છે. એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ)ની તૈનાતી કરવામાં આવી છે.
- Advertisement -
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએમ હિમતા વિશ્વ સરમા સાથે વાત કરી સંભવ દરેક મદદ કરવાની ખાતરી આપી છે. એનડીઆરએફની ટીમો નિચાણવાળા વિસ્તારમાં લોકોને બહાર કાઢવાની બચાવ કામગીરી કરી રહી છે. એનડીઆરએફની ટીમે અત્યાર સુધીમાં 123થી વધુ લોકો અને પશુઓને સુરક્ષિત સ્થળે પહોંચાડયા છે. 11 લોકોના જીવ બચાવ્યા છે.