ભારતીય યાત્રીકોને લઇને જઇ રહેલા વિમાનને ફ્રાંસમાં રોકવા પર એરલાઇન્સનું કહેવું છે કે, કંપનીએ કંઇપણ ખોટું નથી કર્યુ, તેઓ તપાસમાં સહયોગ આપી રહ્યા છે. જણાવી દઇએ કે, માનવ તસ્કરીની આશંકામાં વિમાનને ફ્રાંસના વેટ્રી એરપોર્ટ પર રોકવામાં આવ્યું હતું. વિમાન રોમાનિયાની લીજેન્ડ એરલાયન્સનું છે. આ વિમાનમાં 300થી વધારે પ્રવાસીઓ હતા અને વધારે લોકો ભારતીય મૂળના હતા. ફ્લાઇટ ઉડાણ ભરતાના 48 કલાક પહેલા જ ગ્રાહકોને એરલાયન્સ સાથે વાત કરી હતી.
યૂએઇથી ઉડાણ ભરીને વિમાન નિકારગુઆ જઇ રહ્યું હતું
જણાવી દઇએ કે, સંયુક્ત આરબ અમીરાતથી ઉડાણ ભરીને નિકારગુઆ જઇ રહેલા લીજેન્ડ એરલાયન્સના એરબસ એ 340 વિમાન ગુરૂવારના પેરીસથી લગભગ 150 કિલોમીટર દૂર પૂર્વમાં આવેલા વેટ્રી એરપોર્ટ પર અહિં વિમાનની ટેકનીક માટે રોકવામાં આવ્યું હતું. ફ્રાંસના પોલીસને સુચના મળી હતી કે આ વિમાનથી માનવ તસ્કરી થઇ રહી છે, ત્યાર પછી ફ્રાંસની પોલીસે વિમાનને એરપોર્ટ પર રોકી દીધું હતું અને તપાસ કરી હતી. પોલીસે ફ્રાંસમાં આવેલા ભારતીય દુતાવાસને પણ સુચના આપી હતી, ત્યાર પછી દુતાવાસની ટીમ એરપોર્ટ પહોંચી હતી સમગ્ર ઘટના પર નજર રાખી હતી.
- Advertisement -
મીડિયા રિપોર્ટસ અનુસાર, ફ્રાંસની પોલીસે બે મુસાફરોની ધરપકડ કરી હતી અને પુછપરછ કરી હતી. જણાવી દઇએ કે, ફ્રાંસમાં માનવ તસ્કરીના ગુનામાં 20 વર્ષ જેલની સજા આપવામાં આવે છે.