રાજકોટથી 30 શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
શ્રદ્ધાળુઓને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં જવાની સુવિધા આપવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા નવીન વોલ્વો બસ સેવા શરૂ કરવા આવી છે. જે અન્વયે તા. 4 ફેબ્રુઆરીના રોજ રાજકોટ મેયર શ્રી નયનાબેન પેઢડીયા તેમજ ધારાસભ્ય સર્વે શ્રી ડો. દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળા દ્વારા રાજકોટથી પ્રયાગરાજની ખાસ પેકેજ બસનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યા બાદ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
- Advertisement -
આ પ્રસંગે મેયર શ્રી નયનાબેન પેઢડીયા તેમજ ધારાસભ્યો શ્રી ડો. દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. મેયરશ્રી તથા ધારાસભ્યોશ્રીએ બસમાં મુસાફરોને પુષ્પગુચ્છ આપી અને મોઢું મીઠું કરાવીને યાત્રા આરામદાયક અને સફળ રહે, તેવી શુભેચ્છા પાઠવી હતી. આ તકે રાજકોટ એસ.ટી.ના વિભાગીય નિયામકશ્રી જે. બી. કલોતરા અને વહીવટી અધિકારીશ્રી ધવલભાઈ વાઘેલા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
રાજકોટ-પ્રયાગરાજ-રાજકોટની મુસાફરી માટે કુલ 6 બસ ફાળવવામાં આવી છે. રાજકોટથી દરરોજ એક બસ સવારે 5 કલાકે ઉપડશે અને બીજે દિવસે સાંજે 7 કલાકે પ્રયાગરાજ ખાતે પહોંચશે. એ પછીના દિવસે બપોરે 1 કલાકે બસ પ્રયાગરાજથી નીકળશે અને બીજે દિવસે રાત્રે 2 કલાકે બસ રાજકોટ પહોંચશે. પેકેજ બસના મુસાફરો માટે પ્રથમ અને ત્રીજી રાત્રે રહેવાની વ્યવસ્થા બારણ (મધ્યપ્રદેશ બોર્ડર) મુકામે કરવામાં આવી છે. યાત્રિકોએ પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા પોતાની રીતે કરવાની રહેશે. બસનું વ્યક્તિદીઠ પેકેજ ભાડું રૂ. 8,800 છે. આ બસનું ઓનલાઈન બુકિંગ એસ.ટી. નિગમની વેબસાઈટ ૂૂૂ.લતિભિં.શક્ષ પરથી કરી શકાશે. રાજકોટથી પ્રયાગરાજ જતી એસટી બસને મેયર અને ધારાસભ્યો દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી. જેમાં 8 વર્ષના બાળકથી લઈને 72 વર્ષના વૃદ્ધ આજે પ્રથમ બસમાં જ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે રવાના થયા હતા. જેમાં નાના બાળક અને પતિ સાથે જતા સ્કૂલ ટીચરે સરકારી એસટી બસની સુવિધાને વખાણી તો યુવાવયે જ ચારધામની યાત્રા અને મહાકુંભમાં જઈ આવવું જોઈએ, તેવી વાત કરી હતી. તેમના ધોરણ 3માં ભણતા પુત્રના ચહેરા પર ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જ્યારે પોતાની ત્રણ પેઢી એટલે કે, નાની, દીકરી અને 72 વર્ષના માતાને મહાકુંભમાં લઈ જતા ઙૠટઈક જુનિયર ક્લાર્કએ સનાતન ધર્મના પ્રચાર અને લોકોની આસ્થા મજબૂત કરતા આ મહાકુંભમાં જવા માટે તમામ લોકોને હાકલ કરી હતી.
મુસાફરોને પુષ્પગુચ્છ આપીને યાત્રા આરામદાયક અને સફળ રહે તેવી શુભેચ્છા પાઠવાઇ
- Advertisement -
(નોંધ: ટાઈમ ટેબલ જોવા માટે ઈ-પેપર વાંચો)