ખાસ-ખબર ન્યૂઝ વિરપુર
સૌરાષ્ટ્રન જગવિખ્યાત યાત્રાધામ એવા લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર શ્રી ખોડલધામ કાગવડ ખાતે જગત જનની માં ખોડિયાર માતાજીને લાખો ભક્તો શીશ ઝુકાવીને માતાજીના આશીર્વાદ મેળવે છે જેમને લઈને હાજરો ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે માં ખોડલ માતાજીના ખોડલધામ મંદિર ખાતે ધ્વજારોહણ કરે છે.
- Advertisement -
શ્રી ખોડલધામ મંદિર ખાતે માતાજીને દરરોજ ચાર ધ્વજા ચડાવવામાં આવે છે જેમાં સવારે બે ધ્વજા અને બપોર પછીના સમયે બે ધ્વજા ચડાવાય છે ત્યારે યાત્રાધામ વિરપુરની સેવાભાવી સંસ્થા શ્રી ગાયત્રી મુક્તિધામ સેવા સમિતિના અનીલભાઈ ભગવાનભાઈ વઘાસિયા તેમજ પરિવારજનો તથા લાડલી નાની બહેન જોષનાબેન જીજ્ઞેશભાઈ પટેલ દ્વારા માં ખોડિયાર માતાજીના મંદિર ખોડલધામ ખાતે ધ્વજારોહણ કરાયું હતું.
ખોડલધામ ખાતે આ ધ્વજારોહણમાં વિરપુર ગુરૂકુળના શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારી દાસજી તેમજ વિરપુર ગાયત્રી મુક્તિધામ સેવા સમિતિના સભ્યો તેમજ ગાયત્રી મહિલા મંડળના બહેનો તથા વઘાસીયા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહી માં ખોડલનો જય જયકાર કરીને વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું.