ઉમિયાધામ મહોત્સવમાં વેણુ નદીના કાંઠે દરરોજ માતાજીની સહસ્ત્રદીપ આરતી
આવતીકાલે રાજયપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં વિશાળ કૃષિ સંમેલન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
આજથી સીદસરમાં જગતજનની માઁ ઉમિયાના પ્રાગટયના 1રપ વર્ષ નિમિત્તે પાંચ દિવસીય ઉમિયાધામ મહોત્સવનો શ્રધ્ધા અને ભકિત સાથે પ્રારંભ થયો છે. હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયા છે. આજથી 5 દિવસીય શ્રી 1મ શતાબ્દી મહોત્સવ ઉજવણીની સાથોસાથ સૌરાષ્ટ્રભરના અઢીલાખ થી વધુ પાટીદાર પરિવાર માટે સામાજીક વિકાસનો નૂતન પંથ નિર્માણ કરશે તેમ ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા અને ઉમિયાધામના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ જણાવ્યુ હતું. માઁ ઉમિયાની ભકિત થકી સરસ્વતીની સાધનાના સંકલ્પ સાથે દસ જેટલા સંમેલનોમાં વિવિધ ક્ષેત્રના આગેવાનો સમાજને નવી રાહ ચિંધવા પ્રરીત કરશે. મા ઉમિયાના દર્શન, મહોત્સવનો લ્હાવો માણવા પાટીદાર સમાજનો માનવ મહેરામણ ઉમટી પડયો છે. ઉત્સવ દરમ્યાન સિદસર ખાતે શ્રી 1મ શતાબ્દી મહોત્સવમાં સૌરાષ્ટભરના વિવિધ શહેરો તાલુકા તથા ગ્રામ્ય વિસ્તોરો માંથી દરરોજ લાખો ભાવીકો ભાગ લઈ માઁ ઉમિયાના ચરણોમાં શિશ ઝુકાવશે. પાંચ દિવસીય શ્રી 1મ શતાબ્દી મહોત્સવ દરમ્યાન દરરોજ સાંજે મા ઉમિયાના મંદિર સામે આવેલ વેણું નદીના કાંઠે ‘માઁ ઉમિયાની’ સહસ્ત્રદિપ આરતી કરશે. વેણુ નદીના કાંઠે ખાસ બનાવવામાં આવેલ ’વેણુઘાટ’ ખાતે ભવ્યાતિભવ્ય આરતી થશે. આરતી સમયે માઁ ઉમિયાના પ્રાગટયની યશોગાથા સાથેનો લેસર શો યોજાશે.
મહોત્સવની આયોજન કમિટીના ચેરમેન ચિમનભાઈ શાપરીયા, મહામંત્રી જયેશભાઈ પટેલ, સહમહામંત્રી કૌશીકભાઈ રાબડીયાના જણાવ્યા અનુસાર હરિદ્વાર ગંગાધાટે યોજાતી આરતી જેવો જ ભવ્યાતિભવ્ય અને મનોરમ્ય દશ્ય માઁ ઉમાની આરતી સમયે યોજાય તે માટે વેણુ નદીમાં લાઇટીંગ અને ડેકોરેશન લેસર શો સહીતનું આયોજન કરવામાં આવ્યુ છે. ઉમિયાધામ સિદસર માં માઁ ના સાનીધ્યમાં યાત્રાળુઓ ભાવીકો આ આરતીના દર્શન અલૌકિક અને યાદગાર બની રહેશે. શ્રી 1મ શતાબ્દી મહોત્સવનો કડવા પાટીદાર પરિવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. સિદસર ખાતે પાંચ દિવસીય મહોત્સવમાં દરમ્યાન વિવિધ સંમેલનો, વૈવિધ્ય સભર કાર્યક્રમો યોજાશે. તા. 27ને શુક્રવારે યોજાનાર મહિલા સંમેલનમાં જગત જનની માઁ ઉમિયાને આરાધવા કડવા પાટીદાર પરિવારની સવા લાખ બહેનો, દિકરીઓ, કુંવારિકાઓ પોતાની હથેળીમાં ‘માઁ ’ના નામથી મહેંદી મુકી અવનવી રીતે માતાજીના મહોત્સવના હર્ષ અને ઉલ્લાસને પ્રર્દશીત કરી નવો વિક્રમ સર્જશે. મહિલા સંમેલનમાં બહેનો બહોળી સંખ્યામાં જોડાશે તેમજ 1250 જેટલી દિકરીઓ શિર પર ઝવેરા લઇ ઝવેરા યાત્રામાં જોડાશે. આ દિકરીઓનું પૂજન કરી તેમને પ્રસાદ રૂપે ખીર રોટલી તેમજ ભેટ આપવામાં આવશે. સેવા અને સમર્પણ દ્વારા સમાજ વિકાસની ભાવના પ્રજજવલીત કરવા યોજાઇ રહેલ મા ઉમિયાના સિદસર ખાતેના મહોત્સવમાં ઉમિયા ભકતો દ્રારા વિક્રમજનક ચક્ષુદાન અને અંગદાન થાય તેવું આયોજન થઇ રહયું છે.સિદસર ખાતે શ્રી 1મ શતાબ્દી મહોત્સવમાં આવતા ભાવીકોમાં ચક્ષુદાન અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે મહોત્વમાં વિવિધ જગ્યાઓ પર 15 બાય 15 ના 4 ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે.
શુક્રવારે સવા લાખ બહેનો હથેળીમાં માઁના નામથી મહેંદી મૂકી માતાજીની આરાધના કરશે પાંચ દિવસ દરમિયાન લાખો લોકો આવશે
- Advertisement -
જેમાં યાત્રાળુઓને અંગદાન-ચક્ષુદાનનું મહત્વ સમજાવી સંકલ્પપત્રો ભરાવાશે. આ પ્રેરણાત્મક કાર્ય ડો. દિવ્યેશ વિરોજાના માર્ગદર્શન હેઠળ અંગદાન સમિતિના અધ્યક્ષ કિંજલભાઈ મણવર, ઉપાધ્યક્ષ રોનકભાઈ કડીવાર, મંત્રી સંદીપભાઈ સોલાધ્રા, સહમંત્રી વ્યોમેશભાઈ સંતોકી તેમજ 40 સ્વયંસેવકોની ટીમ દ્વારા કરવામાં આવશે. સિદસર ખાતે કાલે તા. 26 ને ગુરૂવારના રોજ સવારે 9 કલાકે યોજાનાર કૃષિ સંમેલનમાં સમારોહના અધ્યક્ષ તરીકે ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, ઉદ્ઘાટક તરીકે ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્ય મહેમાન તરીકે કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી રાધવજીભાઈ પટેલ, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવરીયા, અતિથિવિશેષ તરીકે વિશ્વ ગુજરાતી સમજના પ્રમુખ સી.કે. પટેલ, ઉંઝાના પૂર્વ પ્રમુખ મણીભાઈ મમ્મી, અમદાવાદના કાંતિભાઈ રામ, પ્રહલાદભાઈ, પાટીદાર સમાજ અમદાવાદના પ્રમુખ મગનભાઈ જાવીયા, પાટીદાર સમાજ વડોદરાના પ્રમુખ મણીભાઇ વાછાણી, પાટીદાર સમાજ સુરતના પ્રમુખ વજુભાઈ માણાવદરીયા, પાટીદાર સમાજ મુંબઇના પ્રમુખ ગીરીશભાઇ ગોવાણી, સુરેન્દ્રનગરના પરસોતમભાઈ વરમોરા, મુંબઇના ભગવાનજીભાઇ હેદપરા ઉપસ્થિત રહેશે. બપોર બાદ 3 કલાકે યોજાનાર સામાજીક સંમેલનમાં સમારોહના અધ્યક્ષ તરીકે ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ, ઉદ્ઘાટક તેમજ મુખ્ય વકતા તરીકે સાંસદ પરસોતમભાઈ રૂપાલા, મુખ્ય મહેમાન તરીકે સમુધિી યોજના-ર ના મહાપદ્મ દાતા જીવનભાઈ ગોવાણી, અતિથિ વિશેષ તરીકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદના પ્રમુખ આર.પી.પટેલ, ખોડલધામ કાગવડના પ્રમુખ નરેશભાઈ પટેલ, ઉમિયાધામ સુરતના પ્રમુખ જશુભાઈ પટેલ, સમસ્ત પાટીદાર સમાજ સુરતના પ્રમુખ વેલજીભાઈ શેટા, ઉમિયાધામ રાજકોટના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, સરદારધામ અમદાવાદના ગગજીભાઈ સુતરીયા, ઉમાધામ ગાંઠીલાના પ્રમુખ નિલેશભાઈ ધુલેશીયા, ઉમિયાધામ નાગપુરના પ્રમુખ જીવરાજભાઈ પટેલ, ઉમિયાધામ વાંઢાઇના પ્રમુખ હંસરાજભાઈ ધોળુ, ઉમિયાધામ મેંગલોરના પ્રમુખ મગનભાઈ ઘેટીયા, ઉમિયાધામ લીલીયાના પ્રમુખ બાબુભાઈ ધામત, ઉમિયાધામ ચિત્રી રાજસ્થાનના પ્રમુખ રમેશભાઈ પાટીદાર, મહોત્સવના અન્નપૂર્ણા દાતા નંદલાલભાઈ માંડવીયા, મયુરભાઈ પરસાણીયા, રાજકોટના વલ્લભભાઈ વડાલીયા, નાથાભાઇ કાલરીયા, જૂનગઢના અગ્રણી કાંતીભાઇ ફળદુ, મોરબીના દુર્લભજીભાઇ દેથરિયા, શાપુરના વાલજીભાઇ ફળદુ, વિન્ટેલ ગ્રુપ મોરબીના કે.જી. કુંડારીયા, મોટો ગ્રુપ મોરબીના ત્રંબકભાઈ ફેફર, વેલેન્સીયા ગ્રુપ મોરબીના ત્રિભોવનભાઈ વાંસજાળીયા, દુર્લભજીભાઈ એલ. રંગપરીયા, સુરતના ભગવાનદાસ કે. સવસાણી, અમદાવાદના કિશોરભાઈ વિરમગામા, રાજકોટના મુળજીભાઈ ભીમાણી, મુંબઈના હરિશભાઇ ભાલોડીયા, આર.સી.માકડીયા, કંચનબેન હદવાણી, ગીંગણીના રમેશભાઈ સાપરીયા, અમેરીકાથી અશ્વિનભાઇ જાવીયા, દિપકભાઈ ગોવાણી ઉપસ્થિત રહેશે. તેમ શ્રી 1મ શતાબ્દી મહોત્સવની પ્રેસ મિડીયા સમિતિના અધ્યક્ષ રમેશભાઇ ઘોડાસરા તથા મંત્રી રજની ગોલની યાદીમાં જણાવાયુ છે.