રશિયા સાથેના યુદ્ધ પછીની પ્રથમ સત્તાવાર મુલાકાત
ખાસ-ખબર સંવાદદાતા
યુક્રેનના પ્રથમ નાયબ વિદેશ પ્રધાન, એમીન ઝાપારોવા સોમવારે ચાર દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ આજે દિલ્હીમાં વિદેશ મંત્રાલય પહોંચ્યા હતા. તેમના આગમનનો વીડિયો ન્યૂઝ અજેન્સી અગઈં દ્વારા શેર કરવામાં આવ્યો છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે રશિયા-યુક્રેન સંઘર્ષની શરૂઆત પછી પૂર્વ યુરોપિયન દેશની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે. ઝાપારોવા વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ), સંજય વર્મા સાથે વાટાઘાટો કરશે, જે દરમિયાન બંને પક્ષો દ્વિપક્ષીય સંબંધો, યુક્રેનની વર્તમાન પરિસ્થિતિ અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર વિનિમયની ચર્ચા કરે તેવી અપેક્ષા છે. એમીન ઝાપારોવા સપ્ટેમ્બરમાં યોજાનાર ૠ20 શિખર સમ્મેલનમાં રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સકીના સામેલ થવાની સંભાવનાઓને લઈને પણ વાત કરી શકે છે. જો કે, અત્યાર સુધી ભારતે યુક્રેન રાષ્ટ્રપતિને આમંત્રણ આપ્યું નથી. તે પોતાની યાત્રા દરમિયાન ભારત પાસેથી સમર્થન માગી શકે છે. યુક્રેન ભારત સાથે વાતચીત જારી રાખવામાં આવે છે. રશિયા સાથેના યુદ્ધ બાદ પીએમ મોદી અને ઝેલેન્સકી વચ્ચે ઘણીવાર વાત થઈ ચૂકી છે. ભારત હંમેશા કહેતું આવ્યું છે કે, તે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ શાંતિ પહેલનું સમર્થન કરશે.