ઉત્તરપ્રદેશનાં સંભલમાં મંદિર-મસ્જિદ વિવાદમાં 4નાં મોત, 20 ઘાયલ
સંભલમાં સ્કૂલ-ઇન્ટરનેટ બંધ: કર્ફ્યૂ જેવો માહોલ, ભારેલો અગ્નિ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ઉત્તર પ્રદેશના સંભલમાં રવિવારે ભારે હિંસા થઈ હતી. જામા મસ્જિદના સર્વેક્ષણનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં ચાર લોકો માર્યા ગયા, 20 સુરક્ષા કર્મચારીઓ અને ચાર વહીવટી કર્મચારીઓ અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન, પથ્થરો કરવામાં આવ્યો હતો, પ્રદર્શનકારીઓએ વાહનોને આગ લગાવી હતી અને પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસ અને લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે સંભલના સપા સાંસદ ઝિયાઉર્રહેમાન બર્ક અને સંભલના ધારાસભ્ય નવાબ ઈકબાલ મહમૂદના પુત્ર સુહેલ ઈકબાલ વિરુદ્ધ હિંસા ભડકાવવા બદલ FIR નોંધી છે. DIG મુનિરાજ જીએ કહ્યું- હિંસા કરનાર બે મહિલાઓ સહિત લગભગ 21 લોકોની પોલીસે ધરપકડ કરી છે. લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. આ સિવાય પોલીસે 400 લોકો સામે FIR નોંધાઈ છે. સંભલમાં, જ્યાં હિંસા થઈ હતી, મોટાભાગના લોકો તેમના ઘરને તાળા મારીને અન્ય સ્થળોએ જતા રહ્યા છે. આ વિસ્તારના મોટાભાગના ઘરોના તાળા લાગ્યા છે. શેરીઓમાં માત્ર પોલીસ બંદોબસ્ત છે.
આજે સંભલમાં બજાર સંપૂર્ણપણે બંધ છે. લોકો દુકાનો ખોલતા ડરે છે. હોટલો અને ગેસ્ટ હાઉસ પણ બંધ છે. વિવિધ સ્થળોએ પોલીસ દળ તહેનાત છે.
સંભલમાં ચારના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. 5ના મોતની અફવા પર કમિશનર ઓંજની સિંહે કહ્યું કે અમારી પાસે 5 લોકોના મોત અંગે કોઈ માહિતી નથી. માત્ર 4 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયું છે.
- Advertisement -
મુરાદાબાદના પૂર્વ સપા સાંસદ ડો. એસટી હસને કહ્યું- જો હિન્દુ-મુસ્લિમ વચ્ચેની આ રાજનીતિ બંધ નહીં થાય તો આવનારી પેઢીઓ જોખમમાં આવી જશે. મુસ્લિમોને સંયમ રાખવાની અપીલ કરી. કહ્યું કે તરબૂચ છરી પર પડે કે છરી તરબૂચ પર પડે, તરબૂચ જ કપાય છે. દરેક પરિસ્થિતિમાં નુકસાન તેમનું જ છે.
સંભલ હિંસા બાદ વહેલી સવારે સમગ્ર શહેરમાં ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી. શહેરના તમામ મુખ્ય ચોકો પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રવેશતા માર્ગો પર પણ પોલીસ તહેનાત છે. બજારો અને દુકાનો સંપૂર્ણપણે બંધ છે.
20 પોલીસકર્મી ઘાયલ, ડેપ્યુટી કલેક્ટરના પગમાં ફ્રેક્ચર
મુરાદાબાદના ડિવિઝનલ કમિશનર અંજનેય કુમાર સિંહે કહ્યું કે બદમાશોએ ગોળીબાર કર્યો હતો, એસપીના પીઆરઓને પગમાં ગોળી વાગી હતી, સીઓને પણ ઈજા થઈ હતી અને હિંસામાં 20 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે એક કોન્સ્ટેબલને પણ માથામાં ગંભીર ઈજા થઈ છે.જ્યારે ડેપ્યુટી કલેકટરના પગમાં ફ્રેકચર થયું છે. સંભલમાં ઈન્ટરનેટ સેવાઓ 24 કલાક માટે બંધ કરવામાં આવ્યું છે, જિલ્લા વહીવટીતંત્રે 25 નવેમ્બરે ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી છે. ડીએમના આદેશ પર, 1 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે, જેના કારણે શહેરની સરહદ સીલ કરી દેવામાં આવી છે.
ભાજપ સરકાર જવાબદાર: રાહુલ ગાંધી
રાહુલે ડ પર લખ્યું- સંભલ અંગે રાજ્ય સરકારનું પક્ષપાતી અને ઉતાવળભર્યુ વલણ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. હિંસા અને ગોળીબારમાં જેમણે પોતાના લોકોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. વહીવટીતંત્ર દ્વારા તમામ પક્ષોને સાંભળ્યા વિના અને અસંવેદનશીલતાથી લેવાયેલા પગલાથી વાતાવરણ વધુ વણસી ગયું હતું. તેના કારણે ઘણા લોકોના મોત થયા – જેના માટે ભાજપ સરકાર જવાબદાર છે.