અંબાજી ભાદરવી પૂનમના મહામેળાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ, 4 દિવસમાં 20 લાખ 34 હજાર 322 ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવી આશિર્વાદ મેળવ્યા
આજે ભાદરવી પૂનમના મેળાનો પાંચમો દિવસ છે. ભાદરવી પૂનમના મેળાને લઇ માઈ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોલ મારી અંબે જય જય અંબેના નાદથી અંબાજીના માર્ગો ગૂંજી રહ્યા છે. અંબાજીમાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. દાતાથી અંબાજી જતાં 20 કિલોમીટર પહોડી વિસ્તારોમાં પણ ભક્તો ભક્તિના રંગે રંગાઇને બોલ મારી અંબે જય જય અંબે નાદ સાથે થાક્યા વિના આગળ વધી રહ્યા છે. દાતાથી અંબાજીનો માર્ગ જેમાં અનેક ઢાળવાળા રસ્તાઓ આવેલા છે ત્રિશુળિયા ઘાટનો માર્ગ પસાર કરવો પગપાળા આવતા ભક્તો માટે કઠિન હોય છે, પરંતુ ભક્તોમાં માતાજીના ધામમાં પહોંચવા માટેનો એટલો ઉત્સાહ છે કે તેમને થાક પણ લાગતું નથી અને નાચતા-ગાતા માતાજીના રથ સાથે ભક્તો સતત આગળ વધી રહ્યા છે.
- Advertisement -
માં ના ધામ માં જાવું છે
ચાચર ચૌક જાવું છે @yatradhamboard @GujaratTourism pic.twitter.com/16SYb7UyMW
— Ambaji temple official, Gujarat, India (@TempleAmbaji) September 22, 2023
- Advertisement -
4 દિવસમાં 20,34,322 ભક્તોએ શીશ નમાવ્યું
ભક્તોની ભારે ભીડને લઇ બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા ભક્તોને પણ કોઈ તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બનાસકાંઠા કલેક્ટર સમગ્ર મેળાના સંચાલન પર નજર રાખી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિને તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે. અંબાજી ખાતે 4 દિવસમાં 20,34,322 ભક્તોએ માં અંબાના દર્શન કરી ચૂક્યા છે.
ચોથા દિવસે 7 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા
ચોથા દિવસની વાત કરીએ તો ખાલી ચોથા દિવસે જ 7 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે અને 58,601 ભક્તોએ ભોજન પ્રસાદ લીધો છે. તો ચોથા દિવસે 3,18,370 મોહનથાળ પ્રસાદના પેકેટનું અને 9,741 ચીકીના પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ચોથા દિવસે 1,44,500 ભક્તોએ બસમાં મુસાફરી કરી છે. ચોથા દિવસે 551 મંદિર શિખર પર ધજા ચડાવાઈ છે. ચોથા દિવસે ગબ્બર પર 8302 લોકોએ ઉડન ખટોલાનો ઉપયોગ કર્યો છે. મેળા દરમિયાન 35 લાખથી વધુ ભક્તો દર્શન માટે આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. ચોથા દિવસે કુલ 1,26,45,673ની આવક થઈ છે.
ભાદરવી પૂનમ મહામેળા માટે ગુજરાત ST નિગમનું ખાસ આયોજન..
યાત્રાળુઓની સેવા માટે 1200થી વધુ બસો મૂકવામાં આવી..#Ambaji #Gujarat @yatradhamboard pic.twitter.com/7l8F2vJjyA
— Gujarat Information (@InfoGujarat) September 25, 2023
દોડાવવામાં આવી રહી છે 1200થી વધુ બસો
ભાદરવી પૂનમના મેળાને લઈને બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ છે, કોઈપણ ભક્તને તકલીફ ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે અંબાજીમાં ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા પદયાત્રીકો અને ભક્તો માટે ગુજરાત એસટી નિગમ દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના દરેક ખુણે જવા માટે બસ મળી રહે તે માટે 1200થી વધુ બસો દોડાવવામાં આવી રહી છે. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા પદયાત્રાળુઓ માટે રાજ્ય આરોગ્ય તંત્ર દ્વારા અંબાજી તરફના તમામ માર્ગો પર 24 કલાક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સઘન આયોજન



