ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સિવિલ હોસ્પિટલનાં અહેવાલ ‘ખાસ-ખબર’માં પ્રકાશિત થયા બાદ તેની અસર પડી છે. જૂનાગઢ સિવિલમાં બાકડા રીપેર કરવામાં આવી રહ્યાં છે. તેમજ સફાઇ કરાઇ છે. જોકે તુટેલા કાચને લઇ રજુઆત કરવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ ડો. સુશીલકુમારે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ સાર્વજનીક જગ્યા છે. ગંદકી વગેરે થતા હોય છે. પરંતુ અમાર પ્રયાસ રહે છે કે તે તાત્કાલીક દુર કરવામાં આવે. તેમજ લોખંડનાં બાકડા પણ રીપેર કરવામાં આવ્યાં છે.
ભવનનાં કાચ તુટી ગયા છે. તે અંગે પીઆઇઓ હસ્તક હોય તેને રજુઆત કરેલી છે. ધણી વખત યાત્રાકી ખામીનાં કારણે લીફટ બંધ હોય છે. તે પણ તાત્કાલીક રીપેર કરવામાં આવે છે. સિક્યુરીટી દ્વારા પાન માવા ખાતા લોકોને રોકવામાં આવે છે. અનેક વખત મોબાઇલ ચોરને પકડી પોલીસને આપ્યાં છે. અમારો પ્રયાસ સિવિલ હોસ્પિટલને સારામાં સારી હોસ્પિટલ બનાવવાનો છે.જેથી કરી સામાન્ય માણસ અહીં સારવાર માટે આવી શકે.અહીં આવતા લોકોએ ઓછામાં ઓછી મુશ્કેલી પડે તેવા અમાર પ્રયાસ છે. દરેક લોકોની સમસ્યા હલ થાય તેવું કરી રહ્યાં છીએ.