અમદાવાદ મણિનગર પોલીસે ઘરફોડ ચોરીને કેસ ઉકેલ્યો
PI ઉનડકટ અને તેમની ટીમે રૂા.60 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
- Advertisement -
આરોપી રાજકોટના ગુનાઓમાં પાસા હેઠળ જેલની હવા ખાઈ ચૂકેલો છે, આશરે 18 ગુનાઓ નોંધાયેલા છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની સામે, પંચવટી સોસાયટી, ઘનશ્યામ ભુવન બંગલો ખાતે રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા ફરિયાદી અનિલભાઈ ઘનશ્યામભાઈ ભાવસારના રહેણાંક મકાનના દરવાજાનું તાળું તોડી પ્રવેશ કરી અજાણ્યા આરોપીઓ મકાનમાં રાખેલ રોકડા રૂા. 67,000/-, ચાંદીની વાટકીઓ નંગ 3, ચાંદીના ગ્લાસ નંગ 2, ચાંદીના સિક્કા 5, ચાંદીનો જોડો, સોનાનું મંગળસૂત્ર, સોનાની વીંટી વિગેરે મળી કુલ રૂા. 1,11,500/-ની ચોરી કરી નાસી જતા ફરીયાદીએ મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરી અંગે ફરિયાદ દાખલ કરવામાં આવતા મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી. પી. ઉનડકટ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી. પી. ઉનડકટ, ડી સ્ટાફના પીએસઆઇ વી. એમ. પરમાર તથા સ્ટાફના હે.કો. અર્જુનસિંહ, પો.કો. નરેશભાઈ, મયુદીનભાઈ, અબ્દુલભાઈ, હરસુરભાઈ, દેવુસિંહ, પરિમલભાઈ, અનિલભાઈ સહિતની પોલીસ ટીમ દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ ગુન્હામાં પુરુષ અને સ્ત્રી એવા બે આરોપીઓ એક્ટિવા મોટર સાયકલ ઉપર આવતા અને ઘરમાં પ્રવેશતા નજરે પડેલ હતા. જેથી પોલીસ કંટ્રોલ રૂમના કેમેરા આધારે તપાસ કરતા ભૂતકાળમાં આ એક્ટિવાની હાજરી નારોલ વિસ્તારમાં જણાઈ આવતા સુરેશભાઈ ભરવાડની ઓફિસે આ મહિલા અને પુરુષ ગયેલાની વિગત મળતા સુરેશભાઈ ભરવાડની પૂછપરછમાં જાણવા મળેલ કે પોતે જમીન લે-વેંચનો ધંધો કરતા હોય આ છોકરી ઉમાબેન અને એનો બાપ લાખાભાઇ દેવીપૂજક એક જમીનના પ્લોટ રાખેલ હોય જેના રૂપિયા દેવા આવેલ હતા અને નારોલ વિસ્તારમાં રંગોલીનગર ખાતે રહેતા હોવાનું સરનામું મળતા મણિનગર પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક બતાવેલ સરનામે તપાસ કરતા છોકરી ઉમા ઉર્ફે ઉર્મિલા વા/ઓ વિજયભાઈ ડાભી દેવીપૂજક ઉ.વ. 25 તથા તેના પિતા માલાભાઈ નાથાભાઈ સમેચા દેવીપૂજક ઉ.વ. 48 રહે. 19, હરસિધ્ધિનગર, ગુરુકૃપા રોડ, રંગોળીનગર, નારોલ, અમદાવાદ મૂળ રહે. આંબાવાડી ખેતરમાં, રાધનપુર જી. પાટણને એક્ટિવા મોટર સાયકલ તથા મૂર્તિઓ, કપડાં, ચોરી કરવાના ડીસમીસ, કટર સહિતના સાધનો મળી કુલ કિંમત રૂા. 60,000/-ના મુદામાલ સાથે પકડી પાડી, જેઓ બંનેની પ્રાથમિક પૂછપરછમાં શરૂઆતમાં ગલ્લાતલ્લા કરવા લાગતા તેના નામ આધારે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા માલાભાઈ દેવીપૂજક ભૂતકાળમાં સને 2007થી સને 2024 દરમિયાન અમદાવાદ શહેરના નરોડા, પાટણ જિલ્લાના બી ડિવિઝન, બનાસકાંઠા જિલ્લાના થરાદ, કચ્છ જિલ્લાના આદિપુર, ગાંધીધામ એ ડિવિઝન, ગાંધીનગર જિલ્લાના અડાલજ, સેક્ટર 07, રાજકોટ શહેરના ગાંધીગ્રામ, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સહિતના આશરે દસેક પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ હોવાની અને રાજકોટ શહેરના ગુનાઓમાં પાસા ધારા હેઠળ જેલની હવા ખાઈ ચૂકેલ આશરે 18 (દોઢ ડઝન) ગુનાઓમાં પકડાયેલા આંતર જિલ્લા ગુન્હેગાર હોવાની વિગતો ખુલતા પોલીસની ભાષામાં પૂછવામાં આવતા આરોપી માલાભાઈ દેવીપૂજક ભાંગી ગયેલ અને પોતાની દીકરી ઉમાબેન દેવીપૂજક સાથે મળી મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ઘરફોડ ચોરીઓ તથા નારોલ પોલીસ સ્ટેશનની હદમાંથી એક એક્ટિવા ચોરી મળી, અન્ય ત્રણ ગુન્હાઓ આચરેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી. મણિનગર પોલીસ ટીમ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી આરોપીઓના કબ્જામાંથી મણિનગર પોલીસ સ્ટેશનના ખાતેના ઘરફોડ ચોરીનો મુદામાલ તથા ગુન્હામાં વાપરેલ અને નારોલ પોલીસ સ્ટેશન ખાતે ચોરી કરેલ એક્ટિવા સહિતનો મળી કુલ રૂા. 60,000/-નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે. આમ મણિનગર પોલીસ ટીમ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશન આધારે સવા લાખ રૂપિયાની માતબર રકમની ઘરફોડ ચોરીનો ગુન્હો ડિટેકટ કરી, મુદામાલ સાથે બાપ દીકરી એવા બંને આરોપીઓની ઘરફોડ ગેંગને પકડી પાડવામાં આવેલ છે.
- Advertisement -
બંને આરોપીઓએ આ એક્ટિવા ચોરી તથા ઘરફોડ સહિત મણિનગર વિસ્તારમાં જ બીજા એક એનઆરઆઈના બંધ મકાનને ટાર્ગેટ કરી આશરે રૂા. 70,000/-ના સોના-ચાંદીના દાગીના તથા પૂજાના સામાનની ચોરી કરેલાની પણ કબૂલાત કરવામાં આવેલ છે. ઘરફોડ ચોરીનો મુદામાલ રાધનપુરના સોનીને વહેંચેલ અને આવેલ રૂપિયા પ્લોટ પેટે સુરેશભાઈ ભરવાડને આપેલાની પણ કબૂલાત કરતા પોલીસ ટીમ દ્વારા રાધનપુર સોનીને ત્યાં તપાસ કરતા આરોપી ખોટું બોલતા હોવાની વિગતો પણ જાણવા મળેલ છે.