જેલ આ શબ્દ સાંભળીને લોકોના મગજમાં એક જ તસવીર બને કે જેલ એટલે એવી જગ્યા જ્યાં અપરાધ કર્યા પછી સજા મળે છે. જ્યાં રહેતા કેદીઓને ન તો સારી રીતે રહેવા મળે કે ન તો સારું ખાવાનું મળે. પણ એવું નથી.. હાલ યુપીના ફરુખાબાદ જિલ્લાની ફતેહગઢ સેન્ટ્રલ જેલ તેના ભોજનને લઈને ઘણી ચર્ચામાં છે. આ જેલમાં બંધ 1,100 થી વધુ કેદીઓને પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા એવી છે કે તેને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) તરફથી “ફાઇવ-સ્ટાર” રેટિંગ આપવામાં આવ્યું છે.
FSSAI પાસેથી મળ્યું સર્ટિફિકેટ
FSSAI તરફથી મળેલ સર્ટિફિકેટ પર લખવામાં આવ્યું છે કે, “જિલ્લા જેલ ફતેહગઢ, ફરુખાબાદને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Food Safety and Standards Authority of India) દ્વારા સ્થાપિત માર્ગદર્શિકા અનુસાર ઈટ રાઈટ કેમ્પસ (Eat Right Campus) તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું છે.” આ સારા નિવેદન પછી સર્ટિફિકેટ પર 5-સ્ટાર રેટિંગ અને ‘બેસ્ટ’ પણ લખવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટ 18 ઓગસ્ટ 2024 સુધી માન્ય રહેશે.
- Advertisement -
જેલરે કહ્યું- માપદંડના આધારે મળ્યું સર્ટિફિકેટ
ફતેહગઢ સેન્ટ્રલ જેલના જેલર અખિલેશ કુમારે જણાવ્યું હતું કે ‘થર્ડ પાર્ટી ઓડિટ કરાવ્યા પછી અમને આ સર્ટિફિકેટ મળ્યું છે. ‘સાથે જ એમ પણ કહ્યું હતું કે’ જેલના કેટલાક કર્મચારીઓને ખોરાક અંગે ઓનલાઈન તાલીમ પણ આપવામાં આવી હતી. પ્રમાણપત્ર મેળવતા પહેલા તેઓને જે માપદંડો પર નિર્ધારિત કરવામાં આવ્યા હતા તેમાં સ્વચ્છતા, ખોરાકની ગુણવત્તા, FSSAI-પ્રમાણિત દુકાનોમાંથી ચોખા, ઘઉં અને કઠોળ ખરીદવા અને સારી રીતે વ્યવસ્થિત ખોરાક બનાવવાનો સ્ટાફ શામેલ અને જેલમાં શાકાહારી ભોજન પીરસવામાં આવે છે. જેમાં કઠોળમાં તુવેર, મસૂર, ચણા અને અડદનો સમાવેશ થાય છે.’
આગળ એમને કહ્યું હતું કે ‘જિલ્લા જેલમાં હાલ 1,144 કેદીઓ રહે છે જેમાંથી રસોઈ કરતાં કેદીઓ એપ્રોન પહેરે છે. જે રીતે વિવિધ રેસ્ટોરન્ટમાં જોવા મળે છે એવી જ રીતે તેઓ તેમના નખ અને વાળ કાપી અને ઢાંકીને રસોઈ બનાવે છે.’