ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન સફળતાપૂર્વક સંપન્ન
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.17
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં પ્રિ-ખરીફ કેમ્પેઇન અંતર્ગત વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો ગીર સોમનાથ જિલ્લામાં તારીખ 29 મે થી શુભારંભ કરવામાં આવ્યો હતો.જિલ્લામાં વેરાવળ, ગીરગઢડા, તાલાળા, ઉના, સૂત્રાપાડા અને કોડિનાર તાલુકાના 90 જેટલા ગામોમાં કૃષિરથના માધ્યમથી ખેડૂતોને કૃષિલક્ષી યોજનાઓ તેમજ ખેતીની વિવિધ આધુનિક પદ્ધતિઓ તેમજ ખેતીના વિવિધ આયામોથી માહિતગાર કરી અને વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આ અભિયાન અંતર્ગત વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી, કેવિકેના જુદા જુદા વિષયના નિષ્ણાંતશ્રીઓ, કૃષિ યુનિવર્સિટી, આઈ.સી.એ.આર.ના વૈજ્ઞાનિકો, ખેતીવાડી, બાગાયત અને આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર તથા અન્ય અધિકારીઓ, એફ.પી.ઑ અને ઈફકો કંપનીના પ્રતિનિધિઓ દ્વારા ખેડૂતોને વિવિધ તબક્કાની સમજૂતી આપવામાં આવી હતી.