રાજકોટ પંથકમાં આંગડિયા પેઢીમાં નકલી નોટ જમાં કરાવી જે તે સ્થળેથી અસલી નોટ મેળવતા હોવાનું ખૂલ્યું, અત્યાર સુધી 10 થી 12 પેઢી મારફતે અંદાજીત 35 લાખ ઘુસાડ્યાની માહીતી
ગુજરાતમાં ફરી એકવાર નકલી નોટો ઘુસાડવાનું કારસ્તાન ઝડપાતા હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ રાજકોટ એ-ડિવિઝન અને ક્રાઈમ બ્રાન્ચે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં આંગડિયા પેઢીમાં નકલી નોટ જમા કરવામાં આવતી હતી. જે બાદમાં પેઢીમાં નકલી નોટ જમા કરાવ્યા બાદ જે તે સ્થળે અસલી નોટ મેળવતા હતા. જોકે 10થી 12 પેઢી મારફતે અંદાજીત 35 લાખ ઘુસાડ્યા હોવાની માહીતી સામે આવી છે.
- Advertisement -
રાજકોટમાં નકલી નોટો ઘુસાડવાનું કારસ્તાન પોલીસે ખુલ્લુ પાડ્યું છે. ઘટનાની વિગત એવી છે કે, રાજકોટ એ-ડિવિઝન અને ક્રાઈમ બ્રાન્ચે નકલી નોટો ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પ્રથમ વિગતો મુજબ ઇસમો આંગડિયા પેઢીમાં નકલી નોટ જમાં કરાવી અન્ય જગ્યાએથી આ પૈસા મેળવી લેતા હોવાનું સામે આવ્યું છે.
કેવી રીતે કરતાં હતા કૌભાંડ ?
માહિતી મુજબ ઇસમો દ્વારા આંગડિયા પેઢીમાં નકલી નોટ જમાં કરાવાતી હતી. જે બાદમાં જે તે સ્થળે અસલી નોટ મેળવતા હતા. જોકે પ્રાથમિક તપાસમાં 10 થી 12 પેઢી મારફતે અંદાજીત 35 લાખ ઘુસાડ્યાની માહીતી સામે આવતા હડકંપ મચી ગયો છે. જોકે આ સમગ્ર કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની આશંકા પણ સેવાઇ રહી છે.
- Advertisement -
7 વ્યક્તિની અટકાયત
આંગડિયા પેઢી દ્વારા નકલી નોટો જમા કરાવી અન્ય જગ્યાએથી અસલી નોટો મેળવી લેવાના કૌભાંડમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી ભરત નામના વ્યક્તિ સહિત કુલ 7ની અટકાયત કરવામાં આવી છે. જોકે પોલીસની પૂછપરછમાં હજી પણ અનેક ખુલાસા થઈ શકે છે.
નકલી નોટ આવી ક્યાંથી ?
રાજકોટ પંથકમાં નકલી નોટો ઘુસાડવાનું કારસ્તાન ઝડપાયા બાદ પોલીસ પણ તપાસમાં લાગી છે. પોલીસ ઝડપાયેલા ઇસમોની વધુ પૂછપરછ કરવાની કવાયત શરૂ કરી છે. તો બીજી તરફ પ્રાથમિક તપાસમાં નકલી નોટ ઉના શહેર અથવા ઉના પંથકમાંથી આવ્યાની ચર્ચા છે. આ સમગ્ર કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની આશંકા પણ સેવાઇ રહી છે.