જૂનાગઢમાં લંપટ સ્વામીના વિરોધ સાથે હરિભક્તોએ જૂનાં મંદિરે અને કલેકટરને આવેદન આપ્યું
સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મને લાંછન લગાડનાર સ્વામીઓની હકાલપટ્ટી કરો
- Advertisement -
બહોળી સંખ્યમાં હરિભક્તો એકત્ર થયાં, લંપટ સ્વામીઓનો રોષ સાથે વિરોધ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ શહેરના સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સ્વામિઓ દ્વારાધર્મને લાંછન લાગે તેવા કૃત્યો કરવામાં આવતા સંપ્રદાયની છબી ખરડાઇ રહી છે. તેના વિરોધમાં સ્વામિનારારયણ સંપ્રદાયના હરિભક્તો મેદાનમાં આવ્યા છે. જૂનાગઢમાં જૂના મંદિર ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલા હરિભક્તોએ વિરોધ કરી મંદિરના કોઠારી અને જૂનાગઢ કલેકટરને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો છે. તેઓની માંગણી છે કે, આવા લંપટ અને ધંધાર્થી સાધુઓને સંપ્રદાયમાંથી હાંકી કાઢવામાં આવે. આવી પ્રવૃતિથી ધર્મ બદનામ થઇ રહ્યો છે. તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓ વિવાદમાં આવ્યા છે જેમાં દુષ્કર્મના ગુનામાં, જમીનના ધંધામાં, સૃષ્ટી વિરૂઘ્ધના કૃત્ય કરવામાં, ખાનગી ગુરૂકુલો ચલાવી ધંધા કરવામાં આવી રહ્યા છે. આવી પ્રવૃતિથી સમગ્ર સંપ્રદાય અને સનાતન ધર્મ બદનામ થઇ રહ્યો છે. તેની સામે લડવા માટે હભિકતોએ શ્રી સ્વામિનારાયણ સિઘ્ધંત હિત રક્ષક સમિતિ બનાવી છે. આ સમિતિ દ્વારા આવા કૃત્યો કરતા સ્વામિઓ સામે બંડ પોકારવામાં આવ્યો છે. સ્વામિનારાયણના સાધુએ ભાગવતી દિક્ષા અંગીકાર કરેલ, સાધુઓ ભગવા વસ્ત્રો માત્ર પહેરેલ પણ ભગવાને સ્થાપેલા સિઘ્ધાંતો મુજબ વર્તન કરતા નથી., સાધુઓ પોતે દ્રવ્યનો સંગ્રહ કરવો નહી કે બીજા પાસે કરાવવો નહી તેવી આજ્ઞા છે છતા કેટલાક સાધુઓ ખાનગી સંસ્થાઓ, ગુરૂકુલો બનાવી સંપતિ એકઠી કરી સંપ્રદાયના લોકોને ભોળવી છેતરપીંડી કરે છે. સ્ત્રી સાથે બોલવુ નહીં: સ્ત્રીનું મુખ જોવુ નહીં, સ્ત્રીના વસ્ત્રોને અડવુ નહી તેવી આજ્ઞાઓ હોવા છતા સ્ત્રીઓ સાથે નજીકના સબંધો બાંધી દુષ્કૃત્ય આચરે છે અને ભગવા વસ્ત્રની આડમાં ચારિત્રહિન પ્રવૃતિ કરે છે.
ધર્મના વડા સંપ્રદાયના લંપટ સાધુઓની કરતુતો જાણતા હોવા છતાં તેઓની સંપ્રદાયમાંથી હાંકી કાઢવાને બદલે છાવરે છે. આવા કૃત્યથી સનાતન ધર્મને લાંછન લાગે છે. સમાજમાં ધાર્મિક લાગણી ધરાવનારની લાગણી દુભાઇ છે. છેલ્લા કેટલાય દિવસથી અનેક કૌભાંડો, દુષ્કર્મ બહાર આવી રહ્યા છે તા તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બની બેઠેલા ધર્મના વડાઓ આવા કિસ્સાઓમાં કંઇ કરે તેવુ સમિતિની લાગતુ નથીતેથી હવે સરકાર આ બાબતે સખ્ત પગલા લે તેવી માંગ કરી છે. સિઘ્ધાંધ હિત રક્ષક સમિતિના સેંકડો મહિલા સહિતના હરિભક્તો જૂનાગઢ જવાહરરોડ સ્થિત જૂના મંદિર ખાતે એકઠા થયા હતા. જયાં તેઓએ આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યો હતો. ત્યારબાદ આ સમિતિ કલેકટર કચેરીએ પહોંચી ત્યાં આવેદનપત્ર આપી લંપટ સાધુઓ સામે સરકાર કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.