ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.5
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું, ત્યારે આ ઓપરેશનના વધુ ચોક્કસ પુરાવા સામે આવ્યા છે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં 21 આતંકવાદીઓને દફન કરાયા હોવાના પુરાવા સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે.
વાસ્તવમાં પાકિસ્તાનના બહાવલપુરમાં 21 આતંકવાદીઓની કબરોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. આ કબરો જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓની છે અને તેમાંથી કેટલીક કબરો મસૂદ અઝહર (ખફતજ્ઞજ્ઞમ ઉવફિ)ના નજીકના અને તેના પરિવારના લોકોની હોવાનું કહેવાઈ રહ્યું છે. આ તસવીરો ભારતે કરેલી સ્ટ્રાઇકની વિશ્ર્વનીયતાનો પુરાવો દર્શાવે છે.
- Advertisement -
ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સ્થિત અનેક આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવાયા હતા, જેમાં અનેક આતંકવાદીઓના મોત થયા છે. આ હુમલામાં આતંકવાદી જૈશનો વડો મૌલાના મસૂદ અઝહરના પરિવારના લોકો પણ સામેલ હતા. તેમની કબરો બહાવલપુરના એક કબ્રસ્તાનમાં બનાવાઈ છે. આ પુરાવા ઓપરેશન સિંદૂરની સફળતાનું પ્રતિક છે, કારણ કે કેન્દ્ર સરકારે ઓપરેશન હેઠળ આતંકવાદી સંગઠનના મોટા નેતાઓને નિશાન બનાવ્યા હતા. જૈશ-એ-મોહમ્મદના ઓપરેટિવે આતંકવાદીઓની કબરોની તસવીરો ફેસબુક પર શેર કરી છે. તેમાં મસૂદ અઝહરના પરિવારના સભ્યોની કબરો પણ સામેલ છે. તસવીરો સાથે શેર કરાયેલા વીડિયોમાં મસૂદનો અવાજ પણ સંભળાય છે. આ ઓપરેશનમાં ભારતના ટોચના દુશ્ર્મન મસૂદને મોટો ઝટકો મળ્યો છે.