ગીરનો સિંહ માત્ર ગુજરાતનું નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષનું ગૌરવ
10 ઓગસ્ટ એટલે વિશ્ર્વ સિંહ દિવસ
- Advertisement -
ગીર ભારતના સૌથી જૂના અભયારણ્યોમાંનું એક છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
સમગ્ર ગુજરાત અને ભારતનું ગૌરવ અને પ્રતિક એવા એશિયાટિક સિંહનું એકમાત્ર નિવાસસ્થાન ગીરનું જંગલ છે. સિંહોના જતન સંવર્ધન માટે લોકજાગૃત્તિ કેળવાઈ તે માટે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.સિંહ સંરક્ષણ, સંવર્ધન અને સિંહ વસવાટને લગતી બાબતો માટે રાજય સરકારના સાતત્યભર્યા પ્રયાસોને કારણે સિંહોની સંખ્યામાં નોંધપાત્ર ઉમેરો થયો છે. ગુજરાત રાજય સરકારના સિંહ સંવર્ધન માટેના સાતત્યભર્યા પ્રયાસોના પરિણામે છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા 891 થઈ છે.
રાજ્ય સરકારે સિંહ દર્શન માટે પ્રવાસનને વેગ આપ્યો છે, ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઓ સિંહદર્શન માટે સાસણ અને દેવળીયા ઉમટે છે. પ્રવાસનની સાથે સ્થાનિક સ્તરે રોજગારીની તકો વિસ્તરી છે.પ્રતિ વર્ષ વિશ્વના 40 જેટલા દેશો તેમજ સમગ્ર ભારતમાંથી 9 લાખ જેટલા સહેલાણીઓ ગુજરાતનું ગૈારવ એવા સિંહ,ગીરના જંગલમાં પ્રકૃતિના અલૈાકીક સૈાર્દયને માણવા આવે છે.
- Advertisement -
ગીર ભારતના સૌથી જૂના અભ્યારણ્યોમાંનું એક છે. ગીરનો સિંહ માત્ર ગુજરાતનું નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષનું ગૌરવ છે.કુદરતી રીતે જ એશિયાઇ સિંહ એ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિહરતા જોવા મળે છે. એશિયાઈ સિંહોની અવરજવર વાળો વિસ્તાર એશિયાટિક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખાય છે. વર્તમાન સમયમાં સિંહ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય જીવ અભયારણ્ય અને તેના સિવાય તેની આજુબાજુના જંગલ વિસ્તારો જેવા કે પાણીયા વન્યજીવ અભયારણ્ય, મીતીયાળા વન્યજીવ અભયારણ્ય, ગિરનાર અભયારણ્ય, બરડા વન્યજીવ અભયારણ્ય, દરિયાકાંઠાનો વિસ્તારો અને જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, બોટાદ તથા ભાવનગરની અનામત અને બિન અનામત વિડીઓ તેમજ રેવન્યુ વિસ્તારમાં પણ છુટા છવાયા જોવા મળે છે. તેમજ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ જિલ્લાના વિસ્તારોમાં અવારનવાર અવર-જવર કરે છે.આ વિસ્તારોમાં વ્યવસ્થાપનની કામગીરી વન વિભાગ રાજ્ય દ્વારા કરવામાં આવે છે.
ગીર અભયારણ્યમાં થતી જંગલ સફારીનું એકમાત્ર પ્રવેશદ્વાર સાસણગીર કેન્દ્રશાસિત પ્રદેશ દિવ જેવા પર્યટન તેમજ ઐતિહાસિક શહેર જૂનાગઢ, બાર જ્યોતિર્લિંગમાંનું એક સોમનાથ મંદિર, ભગવાન દ્વારકાધીશનું દ્વારકા ખાતેનું મંદિર જેવા યાત્રા અને પ્રવાસ ધામો સાથે એક પર્યટન સર્કિટમાં આવતા હોય સમગ્ર ભારત તેમજ વિશ્વના અન્ય દેશોમાંથી આવતા પ્રવાસીઓ મુલાકાત લે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ-2013માં આફ્રિકન લાયન એન્વાયર્નમેન્ટ રિસર્ચ ટ્રસ્ટ (અકઊછઝ) ના સ્થાપકો દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરુઆત કરવામાં આવી હતી. ભારતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરુઆત ગુજરાત વન વિભાગ દ્વારા વર્ષ-2016થી કરવામાં આવી રહી છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણી એશિયાઇ સિંહોના સંરક્ષણ માટેની સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સામૂહિક પ્રતિબદ્ધતા ગુજરાત અને ભારતના ગૌરવ એશિયાઇ સિંહોના સંરક્ષણને આગળ વધારવાના સહિયારા ઉદ્દેશ્યથી પ્રેરિત છે.
સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે આટલું કરીએ
સિંહ થતા અન્ય વન્ય પ્રાણીઓ આપણા દેશની સંપત્તિ છે. જૈવ વિવિધતાની સમતુલા જાળવવા માટે મદદરૂપ થાય છે. વિશ્વમાં એશિયાય સિંહો માત્ર સૌરાષ્ટ્રમાં જ કુદરતી વિહરતા જોવા મળે છે. તૃણાહારી વન્ય પ્રાણીઓની વસ્તી પર નિયંત્રણ કરે છે. આપણા ધાર્મિક મૂલ્યોમાં પણ સિંહને આગવુ સ્થાન પ્રાપ્ત છે. સામાજિક મૂલ્યોમાં પણ સિંહને ગૌરવના પ્રતિક તરીકે દર્શાવવામાં આવે છે. એશિયાઈ સિંહના વસવાટ વિસ્તાર એવા ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં લોકોને આજીવિકાના લાભ મળી રહ્યા છે.