અમારા માટે પક્ષથી મોટો દેશ: મોદી, pmએ લૉન્ચ કર્યું ભાજપનું ઘોષણાપત્ર
ખાસ-ખબર ન્યૂઝ નવી મુંબઇ, તા.15
- Advertisement -
લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા જારી કરાયેલા ચૂંટણી ઢંઢેરામાં રોજગારી વધારવાથી માંડીને ખેડુતો-મહિલાઓ માટે ગેરેંટી જાહેર કરવામાં આવી છે. વનનેશન, વન ઈલેકશનથી માંડીને રામાયણ ઉત્સવ તથા ઓલમ્પીકની યજમાનીના મુદા સામેલ કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચારીઓ વિરૂૂદ્ધ આકરી કાર્યવાહી કરવા તથા આકરા નિર્ણયો લેવાનું જાહેર કરાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સંકલ્પ પત્ર એટલે કે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. વડાપ્રધાન મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું જે સમયે ભાજપના વરિષ્ઠ નેતાઓ રાજનાથ સિંહ, જેપી નડ્ડા અને અમિત શાહ પણ હાજર હતા. આ સંકલ્પપત્ર અથવા રિઝોલ્યુશન લેટર જાહેર કર્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આખો દેશ ભાજપના રિઝોલ્યુશન લેટરની રાહ જોઈ રહ્યો છે. ભાજપે 10 વર્ષમાં દરેકને ગેરંટી આપી છે. આ વખતના ચૂંટણી ઢંઢેરામાં “વન નેશન, વન ઈલેક્શન અને 2036માં ઓલિમ્પિક્સના યજમાનપદ જેવા મુદ્દા સામેલ છે.
પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે આજનો દિવસ ખૂબ શુભ દિવસ છે. દેશના અનેક રાજ્યોમાં હાલમાં નવા વર્ષનો ઉત્સાહ છે. આજે આંબેડકર જયંતિ પણ છે. આવા સમયે ભાજપે તમારા સમક્ષ વિકસિત ભારતનો સંકલ્પ રજુ કર્યો છે. હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.રાજનાથ સિંહ અને તેમની ટીમનો હું આભાર માનું છું. હું સામાન્ય લોકોનો પણ આભાર માનું છું જેમણે તેને બનાવવામાં ભાગ લીધો. આખો દેશ ભાજપના રિઝોલ્યુશન લેટરની રાહ જોઈ રહ્યો છે. 10 વર્ષમાં ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરાના દરેક મુદ્દાને ગેરંટી તરીકે લાગુ કર્યા છે. ભારતમાં જોબલેસ ગ્રોથ થઈ રહ્યો છે તેવી ટીકા વચ્ચે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં રોજગારની ગેરંટી પર સૌથી વધુ ભાર આપ્યો છે. ભાજપ રોજગાર ગેરંટી દ્વારા યુવા મતદારોને પોતાની તરફેણમાં જીતવાનો પ્રયાસ કરશે. રોજગારને લઈને વિપક્ષો દ્વારા ભાજપ પર સતત પ્રહારો કરી રહ્યા છે.
- Advertisement -
આ ઉપરાંત આ વખતે મહિલા અનામતનો મુદ્દો પણ સામેલ કરાયો છે. મોદી સરકારે ગયા વર્ષે મહિલા અનામત બિલ પાસ કર્યું હતું. ‘નારી શક્તિ વંદન એક્ટ’ નામના આ કાયદામાં વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની વાત કરવામાં આવી છે.ત્રીજો મુદ્દો કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસને લગતે છે. ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં ખેડૂતોને પોતાના પક્ષે લેવાનો પ્રયાસ કર્યો છે. કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરવામાં આવશે અને ખેડૂતો માટે ખેતીમાં વધુ સુધારો કરવા માટે ઘણી યોજનાઓ લાવવામાં આવશે તેવું ભાજપે જણાવ્યું છે.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અન્ય વિરોધ પક્ષો ઓબીસીને અનામત આપવાની સતત વાત કરી રહ્યા છે.
ત્યારે ભાજપ પણ આ મુદ્દાની ગંભીરતા સમજે છે અને ઓબીસી, એસસી અને એસટીને આકર્ષવા માટે ભાજપે પોતાના ઠરાવ પત્રમાં આ ત્રણેયને દરેક ક્ષેત્રમાં સન્માન આપવાનું વચન આપ્યું છે. રાહુલ ગાંધીએ ગયા વર્ષે પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી વખતે આને મોટો મુદ્દો બનાવ્યો હતો.
અયોધ્યામાં રામ મંદિર બંધાઈ ગયું છે ત્યારે ભાજપ રામના મુદ્દે વધુ આગળ વધવા માગે છે. ભાજપે તેના ઘોષણાપત્રમાં વિશ્ર્વભરમાં રામાયણ ઉત્સવ મનાવવાની વાત પણ કરી છે. એટલે કે ભાજપ ફરી એકવાર રામ મંદિરનો ફાયદો ઉઠાવવાના પ્રયત્ન કરે છે. આ ઉપરાંત ભ્રષ્ટાચાર સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે, અને દેશમાં વન નેશન, વન ઈલેક્શન લાગુ કરવામાં આવશે.
ભાજપના ચૂંટણી ઢંઢેરાના વચન
પ્રધાનમંત્રી સુર્યઘર મફત વિજળી યોજના હેઠળ ગરીબ પરિવારોને મફત વીજળી.
મહિલાઓનાં સ્વસ્થ જીવન માટે આરોગ્ય સેવાઓનુ વિસ્તરણ.
નારી શકિત વંદન કાયદો લાગુ કરાશે.
સામાજીક સુરક્ષા યોજનામાં રીક્ષા-ટેકસી ટ્રક ચાલકોનો સમાવેશ કરાશે.
રોજગારી વધારાશે.
2030 સુધીમાં ભારતને ઈલેકટ્રોનિકસ સહીતનાં ક્ષેત્રોમાં વૈશ્ર્વીક હબ બનાવાશે.
વર્ષ 2025 જનજાતિ ગૌરવ વર્ષ તરીકે ઉજવાશે.
દુનિયાભરમાં રામાયણ ઉત્સવ ઉજવાશે.
સૈન્ય થીયેટર કમાંડની સ્થાપના થશે.
સેટેલાઈટ ટાઉનશીપ બનાવવામાં આવશે.