ગઈકાલે એટલે કે ગુજરાત સ્થાપના દિને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત નવા રેસકોર્ષ અને અટલ સરોવરને લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે અટલ સરોવરનું લોકપર્ણ કરવામાં આવ્યું હતું. ગઈકાલે અટલ સરોવર ખુલ્લુ મૂકાતા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
ત્યારે આજે બીજા દિવસે પણ મોટી સંખ્યામાં લોકો અટલ સરોવરને નિહાળવા પહોંચી ગયા હતા. જેના કારણે ટિકિટબારીમાં પણ ટિકિટ લેવા માટે લાંબી લાઈનો લાગી હતી.