ચાર માસ પહેલાં શિલા પડવાથી સિડી તૂટી ગઈ હતી
જૂનાગઢ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી સાથે વિકાસ યાત્રા યોજાઈ રહી છે એવા સમયે ચાર માસ પેહલા ગિરનાર સીડી પર શીલા પડવાથી સીડીનો એક ભાગને નુકશાની સાથે તૂટી ગયો હતો આ તૂટેલી સીડી ગિરનારના 2 હજાર પગથિયાં પાસે આવેલી છે તૂટેલી સીડીના લીધે ગિરનાર યાત્રા કરવા આવતા યાત્રિકોને અકસ્માતનો ભય રહે છે જેમાં ખાસ રાત્રીના સમયે વૃદ્ધ અને અશક્ત લોકોને વધુ જોખમ રહે છે ત્યારે તાકીદે સીડી રીપેર થાય તેવી માંગ ઉઠી છે. ગિરનાર પર્વત બે હજાર પગથિયા નજીક તોતિંગ શિલા ધસી પડી પગથિયા પર આવી ગઇ હતી. વન વિભાગ દ્વારા આ શિલાને દૂર કરવામાં પાંચ-સાત દિવસ લાગ્યા હતા. શિલા કાપી તેના ટુકડા સાઇડમાં રાખી દેવામાં આવ્યા હતા પરંતુ તૂટી ગયેલી ગિરનાર સીડીને રિપેરીંગ કરવાની કોઇ દરકાર લેવામાં આવી નથી
- Advertisement -
રોપ-વે અવાર-નવાર બંધ થઇ જાય છે, રોજ મોટી સંખ્યામાં યાત્રિકો પગથિયા ચડી અંબાજી તથા દતાત્રેય દર્શન કરવા અવર-જવર કરે છે આ સ્થળેથી પસાર થવામાં જોખમ રહે છે. સીડીની નીચેથી પથ્થરો પણ બહાર નીકળી ગયા છે. તાજેતરમાં સરકાર અને તંત્ર દ્વારા વિકાસ યાત્રાના નામે ડીંડક કરવામાં આવ્યુ હતુ પરંતુ તૂટી પડેલી સીડીને ચાર માસથી રિપેર કરવારની દરકાર લેવામાં આવી નથી બે હજારપગથિયા ઉપરાંત અંબાજી તથા દતાત્રેય સુધીના અનેક પગથિયામાં નુકશાન થયુ છે. અમુક સ્થળે પગથિયા ઉખડી પણ ગયા છે તંત્ર દ્વારા તાકિદે કોઇ અકસ્માત થાય તે પૂર્વે સીડીને રિપેર કરવામાં આવે એવી માંગ ઉઠી છે.