ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા જૂનાગઢ જિલ્લામાં તા.14 જૂન 2022 થી તા.21 જૂન 2022 સુધી યોગ સપ્તાહનુ આયોજન કરાયુ હતું. જેમાં 21 હજાર થી વધુ લોકો યોગાભ્યાસમાં જોડાયા. આઠમાં વિશ્ર્વ યોગ દિવસ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શનમાં આયુષ હેલ્થ એન્ડ વેલસેન્ટર દ્વારા યોગ સપ્તાહની ઉજવણી કરાઈ હતી.
જેમાં યોગ કરવાની સાથે સ્વાસ્થયમાં યોગ અને પ્રાણાયમનું કેટલું મહત્વ, શ્ર્વસનતંત્રના, ડાયાબીટીશ, પેટ, સાંધાનાં દુ:ખાવા, ચામડી, માનસિક રોગોમાં યોગનું મહત્વ અને આયુર્વેદનું સ્વસ્થ જીવન શૈલીમાં મહત્વ બાબતની જાણકારી અપાઈ હતી. અલગ અલગ રોગ પરત્વે યોગ અને તેના ફાયદા પ્રેકટીકલી તેમજ મૌખીક રીતે જણાવવામાં આવ્યાં હતા. યોગ પોસ્ટર દ્વારા યોગ વિશે મહત્તમ જાણકારી પ્રાપ્ત થાય તે માટે પ્રદર્શનનું પણ આયોજન કરાયું હતું. તેમ આયર્વેદ અધિકારી મહેશ વારાએ જણાવ્યું હતુ.