1500 ફીડર બંધ અને 2500 જેટલાં વીજ પોલને પણ નુકસાન
ખાસ-ખબર સંવાદદાતા
બિપોરજોય વાવાઝોડાં કારણે સૌરાષ્ટ્ર કચ્છમાં 11 સદના 14727 જેટલા ફીડર ઠપ થઈ ગયા છે. જેના પગલે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં છવાઈ ગયો છે. બીજી તરફ વાવાઝોડાની સંભવિત અસરવાળા કચ્છ અને સૌરાષ્ટ્રના 11 જેટલા જિલ્લાઓમાં 179 ગામોમાં હજી પણ વીજ પુરવઠો ન હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે 65 ગામડાંમાં વીજ પુરવઠો ન હતો. સૌરાષ્ટ્ર કચ્છમાં 2500 જેટલા વીજ પોલોને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
હાલ ઙૠટઈકઓની સૌરાષ્ટ્ર કચ્છમાં 1000થી વધુ ટીમો કામ કરે છે અને ફરી કઈ રીતે જલ્દી વીજ પુરવઠો રાબેતા મુજબ થાય તે રીતે અલગ અલગ ટીમો બનાવી હાલ કામગીરી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં ઙૠટઈકને નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારમાં જામનગર જિલ્લામાં જોવા મળે છે. જામનગર જિલ્લાના 440 ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ હોવાનું સામે આવ્યુ છે. હાલ ઙૠટઈકની ટીમો દ્વારા ફોલ્ડ થયેલા વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
કયા જિલ્લાઓમાં કેટલા ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ
રાજકોટ ગ્રામ્ય એગ્રીકલ્સર 95,
જ્યોર્તિગ્રામ 03, ૠઈંઉઈ 01, ગામડાઓ 09
મોરબી એગ્રીકલ્ચર 84, ૠઈંઉઈ 01
પોરબંદરમાં જ્યોર્તિગ્રામ 10,
એગ્રીકલ્ચર 126, ગામ 33
જૂનાગઢ એગ્રીકલ્ચર 138, જ્યોર્તિગ્રામ 03
જામનગર જ્યોર્તિગ્રામ 27,
એગ્રીકલ્ચર 327, ગામો 15
ભુજ જ્યોર્તિગ્રામ 09, એગ્રીકલ્ચર 218, ગામો 40, ૠઈંઉઈ 03
અંજાર એગ્રીકલ્ચર 79, ૠઈંઉઈ 01
ભાવનગર એગ્રીકલ્ચર 02
બોટાદ એગ્રીકલ્ચર 23
અમરેલી એગ્રીકલ્ચર 159, ગામો 01
સુરેન્દ્રનગર 63