ગુજરાતની રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા બે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.
રાજ્યસભાની 10 બેઠકો માટે આગામી 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી માટે 13 જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઈ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠક માટે ચૂંટણી યોજાશે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં બે રાજ્યસભા બેઠકોના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ અને કેસરીસિંહ ઝાલાનું નામ જાહેર કરાયું છે. મહત્વનું છે કે, ત્રણ બેઠકો પૈકી કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે બે દિવસ અગાઉ જ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
- Advertisement -
બાબુભાઈ દેસાઈ અને કેસરીસિંહ ઝાલાનું નામ જાહેર
ભારતીય જનતા પાર્ટી દ્વારા બાકીની બે બેઠકો માટે પણ ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપે કેસરીસિંહ ઝાલા અને બાબુભાઈ દેસાઈનું નામ જાહેર કર્યું છે. બંને ઉમેદવારો લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીને વફાદાર રહ્યા છે, તેથી બંને ઉમેદવારોને પાર્ટીને ઈનામ આપ્યું છે. બાબુભાઈ દેસાઇ ઉત્તર ગુજરાતના આગેવાન છે અને રબારી સમાજમાં તેમનું મોટું નામ છે, બાબુભાઈની છાપ સામાજિક કાર્યકર્તા તરીકેની છે. કેસરીસિંહ ઝાલા વાંકાનેર સ્ટેટના વારસદાર છે અને ક્ષત્રિય સમાજનાં મોટા આગેવાન છે. યુવા સમયથી જ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે.
ત્રણ બેઠક માટે આ મહિનાની 24 તારીખે ચૂંટણી યોજાશે
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. વાસ્તવમાં આગામી ઓગસ્ટ મહિનામાં વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આ ત્રણ બેઠક માટે આ મહિનાની 24 તારીખે ચૂંટણી યોજાશે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
- Advertisement -
એસ.જયશંકરને કરાયા રિપીટ
ભાજપ દ્વારા એસ.જયશંકરને રિપીટ કરાયા છે. જ્યારે જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાની ટિકિટ કપાઈ છે. તેમની જગ્યાએ બાબુભાઈ દેસાઈ અને કેસરીસિંહ ઝાલા પર પાર્ટી હાઈકમાન્ડે વિશ્વાસ મુક્યો છે.