ગુજરાતની 26 બેઠકો માટે 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે, આ સાથે 7 મેના રોજ ગુજરાતમાં પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાશે
લોકસભાની ચૂંટણીને લઈ આવતીકાલે એટલે કે 12 એપ્રિલે ચૂંટણી જાહેરનામું બહાર પડશે. નોંધનિય છે કે, ગુજરાતની 26 બેઠકો માટે 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. આ સાથે 7 મેના રોજ ગુજરાતમાં પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાશે. રાજ્યમાં 26 લોકસભા બેઠક અને 5 વિધાનસભાની બેઠક માટે ઉમેદવારી પત્રક ભરાશે. નોંધનિય છે કે, ઉમેદવારી પત્રકો ભરવાનો અંતિમ દિવસ 19 એપ્રિલ રહેશે.
- Advertisement -
રાજ્યમાં આવતીકાલે બહાર ચૂંટણી જાહેરનામું પડશે. ચૂંટણી જાહેરનામું બહાર પડવાની સાથે જ ઉમેદવારી પત્રકો ભરવાની શરૂઆત થશે. મહત્વનું છે કે, ઉમેદવારી પત્રકો ભરવાનો અંતિમ દિવસ 19 એપ્રિલ રહેશે. નોંધનિય છે કે, ચૂંટણીની તારીખોની જાહેરાત થતાંની સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઇ છે. આ વખતે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે, જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે.
લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ
દેશભરમાં લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતની 26 લોકસભા સીટ અને પાંચ વિધાનસભા બેઠકની ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. દેશમાં 19 એપ્રિલે પહેલા તબક્કા સાથે મતદાનની શરુઆત થશે અને અંતિમ 7મા તબક્કાની ચૂંટણી 1 જૂનના રોજ યોજાશે. જ્યારે ગુજરાતની 26 બેઠકો માટે 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. 7 મેના રોજ ગુજરાતમાં પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાશે.
ગુજરાત 5 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી
લોકસભાની સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર બેઠકનો સમાવેશ થાય છે. 5 વિધાનસભા બેઠકની વાત કરીએ તો તેમાં વિજાપુર (કોંગ્રેસ), ખંભાત (કોંગ્રેસ), વાઘોડિયા (અપક્ષ), પોરબંદર (કોંગ્રેસ), માણાવદર (કોંગ્રેસ)ના ફાળે ગઇ હતી.
- Advertisement -
7મી મે એ ગુજરાતની 26 બેઠકો પર મતદાન
ચૂંટણી પંચ દ્વારા લોકસભાની તારીખોની જાહેરાત કરતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો તેમજ વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ત્રીજા તબક્કામાં 7 મે નાં દિવસે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીનાં દિવસે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મતદાનનાં દિવસે જાહેર રજાની જાહેરાત
લોકસભા ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે રાજ્ય સરકારનાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે સામાન્ય વહીવટી વિભાગે 7 મે એટલે કે મતદાનનાં દિવસે ગુજરાતમાં જાહેર રજાની જાહેરાત કરવામાં આવી છે.