નગરપાલિકા પ્રમુખ તરીકે કુલદીપસિંહ ઝાલાનું એક વર્ષ પૂર્ણ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
રાજ્યમાં મોટાભાગે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પર ભાજપનું શાસન છે અને એમાંય ગત ચૂંટણી દરમિયાન સ્પષ્ટ બહુમતી સાથેનું શાસન ભાજપને આપવામાં આવ્યું છે ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે ભાજપની સ્પષ્ટ બહુમતી સાથેનું શાસન આપ્યું હતું ધ્રાંગધ્રા નગરપાલિકાના કુલ 9 વોર્ડના 36 સુધરાઇ સભ્યોમાથી 35 સભ્યો ભાજપના છે જ્યારે એક કોંગ્રેસના છે ત્યારે ધ્રાંગધ્રાના મતદાતાઓ દ્વારા સ્પષ્ટ બહુમતી સાથે નગરપાલિકાને આપેલા શાસનના પ્રથમ અઢી વર્ષમાં મહિલા કલ્પનાબેન રાવલ પ્રમુખ તરીકે સફળ આયોજન કર્યું હતું જે બાદ તેઓની ટર્મ પૂર્ણ થતા કુલદીપસિંહ ઝાલાને પ્રમુખ તરીકે કાર્યભાર સોંપવામાં આવ્યો હતો.
ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ તરીકે એક વર્ષ પૂર્વે કુલદીપસિંહ ઝાલા પદ સંભાળ્યું ત્યારે શહેર અને ગ્રામ્યના મોટાભાગે આગેવાનો, સામાજિક કાર્યકરો અને જાહેર જનતા દ્વારા આવકાર્યા હતા કારણ કે કુલદીપસિંહ ઝાલાના પિતા સ્વ પ્રકરમસિહ ઝાલા વર્ષોથી રાજકીય કદાવર નેતા અને સામાન્ય લોકોના કામ કર્યા હતા જેથી પિતાએ કરેલા લોક ઉપયોગી કામના લીધે કુલદીપસિંહ ઝલાની લોકચાહના પણ સ્વાભાવિક હતી. જોકે પોતે પ્રમુખ પદ સંભાળ્યા બાદ નગરપાલિકામાં વર્ષોથી અટવાયેલા પ્રશોનું નિરાકરણ લાવ્યા હતા જેમાં ખાસ કરીને વોર્ડ નંબર 1ના સ્થાનિકોને પીવાના પાણીનો પ્રસ્થાન હાલ કર્યો હતો સાથે જ વોર્ડ નબર 9માં પાણીની વિકટ સમસ્યા પૂર્ણ કરવા માટે રેલવેની હદમાંથી પાઇપલાઇન લાવવી જરૂરી હરી જેમાં કોઈ કાળે પરવાનગી મળતી ન હતી પરંતુ કુલદીપસિંહ ના કોઠાસૂઝ અને આગવી વિચાર સરણીના લીધે રેલવે કર્મચારીઓનું કામગીરી પૂર્ણ કરવાની સાથે પાણીની લાઈનનું કાર્ય પણ તત્વરીન પૂર્ણ કર્યું હતું. કુલદીપસિંહ ઝાલાના એક વર્ષના શાસન દરમિયાન અનેક કાર્યો સફળતા પૂર્વ સિદ્ધ કર્યા પરંતુ અનેક કામ એવા પણ છે જે અધ્ધરતાલ રહી ગયા છે.
- Advertisement -
જેમાં ખાસ કરીને ધ્રાંગધ્રા શહેરની ભૂગર્ભ ગટરની સફાઈ અંગે વર્ષોથી લોકો પીડાતા આવ્યા છે આ ભૂગર્ભ ગટરની સફાઈ માટે દર વર્ષે કોન્ટ્રાકટરની લાખો રૂપિયાનું બિલ ચૂકવાય છે પરંતુ હજુય ભૂગર્ભ ગટરની સફાઈ અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી એટલું જ નહિ રાજ્યમાં સફાઈ અંગે અનેક અભ્યાં ચલાવી છે પરંતુ ધ્રાંગધ્રા નગરપાલિકાની હદમાં ઠેર ઠેર અસ્વચ્છતા અને સફાઈનો અભાવ જોવા મળે છે.
ખાસ કરીને પ્લાસ્ટિક મુક્ત ધ્રાંગધ્રા બનાવવાનું સ્વપ્ન એક વર્ષ બાદ પણ સ્વપ્ન જ રહી ચુક્યું છે. જેથી સ્વચ્છતા અંગે શહેર હજુય અસ્વચ્છ જોવા મળે છે આ તરફ નગરપાલિકા ખાતે કર્મચારીઓ મન પડે ત્યારે આવતા અને મન પડે ત્યારે ચાલ્યા જતા હતા જેના લીધે લોકોને સામાન્ય કામ માટે પણ અનેક ધક્કા ખાવા પડતાં હતા. જે અંગે અનેક રજૂઆતો બાદ પ્રમુખ તરીકે કુલદીપસિંહ ઝાલા દ્વારા દરેક કર્મચારીને હાજરી માટે નગરપાલિકા ખાતે મશીન પણ મૂકવામાં આવ્યું હતું જેમાં કર્મચારીઓને આવવા અને જતા સમયે પોતાનો અંગૂઠો ફરજિયાત મૂકવાનો રહે તે પ્રકારનું આયોજન કર્યું હતું પરંતુ આ અમલવારી માંડ એકાદ મહિનો ચાલી હતી અને બાદમાં પહેલાની માફક નગરપાલિકામાં રામ રાજ્યની જેમ આજેય કર્મચારીઓ મન ફાવે ત્યારે આવે છે.
જ્યારે કુલદીપસિંહ દ્વારા પ્રમુખ તરીકે પદ સભળ્યું ત્યારે ધ્રાંગધ્રાના રહીશો અને પ્રજાજનો માટે નગરપાલિકાને લાગતી કોઈપણ ફરિયાદ માટે એક નંબર જાહેર કરવાની વાત પણ કરાઈ હતી જેમાં નાનામાં નાના માણસની ફરિયાદ સંભાળી તેનો તત્કાલ નિર્ણય લાવવા માટે પ્રયત્ન હાથ ધરાય જેથી લોકોને નગરપાલિકા સુધી થતાં ધક્કાથી છુટકારો મળે તેવી વ્યવસ્થા ઊભી કરવાનું ખુદ પ્રમુખે જણાવ્યું હતું પરંતુ પોતાના કાર્યકાળ પૂર્ણ થયાના એક વર્ષ બાદ પણ હજુ આ પ્રકારની કોઈ વ્યવસ્થા ઊભી નથી થઈ અને જેના લીધે અન્ય રાજકીય નેતાઓની માફક કરેલા વાયદા સમય આવ્યે વિસરતા ગયા છે.