પરિપત્ર, માર્ગદર્શિકા ન મળતાં સ્કૂલો મુંઝવણમાં મૂકાઈ
ખાસ-ખબર સંવાદદાતા
વર્ષ 2021-22નું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું છે, પરંતુ હજુ સુધી શિક્ષણ ઓનલાઇન જ ચાલી રહ્યું છે ત્યારે કોરોનાના કેસ ઘટતાં શિક્ષણ મંત્રી દ્વારા આવતીકાલથી ધોરણ 12 માટે સ્કૂલ ઓફલાઈન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. શિક્ષણમંત્રી દ્વારા મૌખિક જાહેરાત જ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પરિપત્ર કે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. આવતીકાલથી સ્કૂલો શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે, પરંતુ સતાવાર કોઈ પરિપત્રના મળતાં સ્કૂલ-સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ ધોરણ 12ની સ્કૂલો શરૂ કરવા જાહેરાત કરી હતી. કોરોનાના કેસ ઘટતાં કેટલાય સમયથી ઓનલાઇન ચાલી રહેલા શિક્ષણ હવે ધીરે ધીરે ઓફલાઈન કરવા સરકાર વિચારણા કરી રહી છે, જેથી ધોરણ 12ના વર્ગ ઓફલાઈન શરૂ કર્યા બાદ તબક્કાવાર 9થી 11ના વર્ગ શરૂ કરવા આયોજન છે, પરંતુ હજુ સુધી ધોરણ 12ના વર્ગ શરૂ કરવા શિક્ષણમંત્રીએ માત્ર જાહેરાત કરી છે પરંતુ હજુ સુધી કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. એને કારણે સ્કૂલ-સંચાલકો સ્કૂલ શરૂ કરવા તૈયારી કરવી કે નહીં એ અંગે મૂંઝવણમાં છે.