By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકાની આવક માટે સારા, નહીંતર યુનિવર્સિટીઓ બંધ: ટ્રમ્પના સૂર બદલાયા!
    11 hours ago
    જ્યોર્જિયામાં ટેકઓફ પછી તુર્કીનું C-130 લશ્કરી વિમાન ક્રેશ થતાં 20નાં મોતની આશંકા
    12 hours ago
    પાકિસ્તાન તાલિબાન દ્વારા ઈસ્લામાબાદ હુમલાનો દાવો કર્યા બાદ કાબુલ માટે ખ્વાજા આસિફની “યુદ્ધ”ની ધમકી
    13 hours ago
    હાફિઝ સઈદ બાંગ્લાદેશ મારફતે ભારત પર હુમલાની યોજના બનાવી રહ્યો છે: રિપોર્ટ
    1 day ago
    મુનીરને મળ્યા વધુ અધિકાર: પરમાણુ હથિયાર અને ત્રણેય સેનાઓ પર કંટ્રોલ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓપરેશન સિંદૂર 2.0?: PM મોદીની બેઠક, પાકિસ્તાનમાં હડકંપ
    11 hours ago
    દિલ્હી લાલ કિલ્લાના વિસ્ફોટ પર અલ ફલાહ યુનિવર્સિટીની પ્રથમ પ્રતિક્રિયા
    13 hours ago
    તુર્કી ટ્રિપ, ટેલિગ્રામ ચેટ્સ, જૈશ હેન્ડલર: કેવી રીતે ડૉક્ટર્સ મોડ્યુલને કટ્ટરપંથી બનાવવામાં આવ્યું
    13 hours ago
    દિલ્હી સરકારે લાલ કિલ્લા બ્લાસ્ટના પીડિતો માટે વળતરની જાહેરાત કરી
    13 hours ago
    UPSC મેન્સ 2025નું પરિણામ જાહેર – 2736 ઉમેદવારો પર્સનાલિટી ટેસ્ટ (ઇન્ટરવ્યૂ) માટે શોર્ટલિસ્ટ થયા
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    11 hours ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    2 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    6 days ago
    RCB વેચાવાની તૈયારીમાં: 2026 IPL પહેલા વેચાણ પ્રક્રિયા પૂર્ણ થશે
    6 days ago
    લીગ ક્રિકેટમાં દરેક દેશના ખેલાડીઓને રમવાની તક મળવી જોઈએ..’ વસીમ અકરમ
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    12 hours ago
    મારા પિતા ધર્મેન્દ્ર હજુ જીવિત છે અને તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે
    1 day ago
    2027માં બાપ-બેટા સાથે મળીને ફિલ્મ બનાવશે
    5 days ago
    ભૂતપૂર્વ અભિનેત્રી ઝરીન ખાનનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન
    6 days ago
    વિક્કી- કેટરીનાના ઘરે નાના રાજકુમારની કિલકારી ગુંજી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વધુ પડતી ખાંડ ખાવાથી મગજની નવું શીખવાની અને નવી સ્મૃતિઓને યોગ્ય અને તાર્કિક રીતે સંગ્રહિત કરવાની ક્ષમતા પર સીધી અસર પડી શકે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > વધુ પડતી ખાંડ ખાવાથી મગજની નવું શીખવાની અને નવી સ્મૃતિઓને યોગ્ય અને તાર્કિક રીતે સંગ્રહિત કરવાની ક્ષમતા પર સીધી અસર પડી શકે છે
મનીષ આચાર્ય

વધુ પડતી ખાંડ ખાવાથી મગજની નવું શીખવાની અને નવી સ્મૃતિઓને યોગ્ય અને તાર્કિક રીતે સંગ્રહિત કરવાની ક્ષમતા પર સીધી અસર પડી શકે છે

Khaskhabar Editor
Last updated: 2025/11/08 at 5:34 PM
Khaskhabar Editor 4 days ago
Share
14 Min Read
SHARE

તે આપણા જ્ઞાનાત્મક કાર્યોને ધીમું કરી શકે છે અને, નવી કુશળતા શીખવી અથવા જ્ઞાન જાળવી રાખવું વધુ મુશ્કેલ બનાવી શકે છે.

તદુપરાંત, સુગર સ્પાઇક્સ ડોપામાઇનના પ્રકાશનને ટ્રિગર કરે છે, તેનાથી એક કામચલાઉ આનંદ આપે છે, પરંતુ તેનાથી લાંબા ગાળાનું અવલંબન ઉભુ થાય છે. સમય જતાં, આ વાત એકાગ્રતા અને પ્રેરણામાં દખલ કરે છે, મગજની શીખવાની કાર્યક્ષમતામાં વધુ ઘટાડો કરે છે.

- Advertisement -

મગજ પર ખાંડની અસરને સમજવું તમને વધુ સારી આહાર પસંદગીઓ કરવા માટે સક્ષમ બનાવે છે. ખાંડનું સેવન ઓછું કરવાથી માત્ર તમારા શારીરિક સ્વાસ્થ્યને જ ફાયદો નથી થતો પણ તે તીક્ષ્ણ, અનુકૂલનશીલ અને યાદશક્તિ-કાર્યક્ષમ તેમજ પ્રસન્નતા જાળવવામાં પણ મદદ કરે છે.

સિંગાપોરનું ચાંગી એરપોર્ટ; અદભૂત દૂરંદેશી

સિંગાપોરનું ચાંગી એરપોર્ટ શહેરી વિકાસમાં સસ્ટેઇનેબિલિટી અને વરસાદી પાણીના કાર્યક્ષમ ઉપયોગનું આદર્શ વૈશ્વિક મોડેલ છે. તેની અદ્યતન ડિઝાઇન વરસાદી પાણીના સંગ્રહ અને પુન:ઉપયોગની પ્રણાલીઓમાં ઉત્કૃષ્ઠ સંકલન દર્શાવે છે. આ એ બાબતનું બહુ યોગ્ય ઉદાહરણ છે કે, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કુદરતી વાતાવરણ સાથે કેવી રીતે સુમેળ સાધી શકે છે. વરસાદી પાણીના વહેણને નકામા જવા દેવાને બદલે, એરપોર્ટ તેને તેની વિશાળ છત, રનવે અને બગીચાઓમાંથી તળાવો અને ભૂગર્ભ સંગ્રહ પ્રણાલીમાં ફેરવે છે. આ પાણી, એકવાર ફિલ્ટર કર્યા પછી, તેનો ઉપયોગ એરપોર્ટનું વિશાળ ગ્રીનરીને પાણી પૂરું પાડવા અને ટોયલેટ ફ્લશિંગ માટે કરવામાં આવે છે, જે પીવાના પાણીના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો કરે છે.

- Advertisement -

જ્વેલ ચાંગી બિલ્ડીંગના સંકુલની અંદર તેના “રેઈન વોર્ટેક્સ” માટે અલગ સિસ્ટમ છે, આ વિશ્વનો સૌથી ઊંચો ઇન્ડોર વોટરફોલ છે, જે લગભગ સંપૂર્ણ રીતે એકત્રિત વરસાદી પાણી દ્વારા સંચાલિત છે. આ પ્રણાલી માત્ર વિઝ્યુઅલ સ્પેક્ટેકલ જ નથી આપતી પણ ઊંડી પર્યાવરણીય પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે. વધુમાં, એરપોર્ટની એર ક્ધડીશનીંગ સિસ્ટમ્સ ક્ધડેન્સેટ પુન:પ્રાપ્ત કરે છે, જે દર વર્ષે 60,000 ઘન મીટર કરતાં વધુ પાણીની બચત કરે છે.

ચાંગી એરપોર્ટની ડિઝાઇન દર્શાવે છે કે ટકાઉપણું માટે આધુનિકતા અથવા સૌંદર્ય શાસ્ત્રનો બલિદાન આપવાની જરૂર નથી. તેનો વ્યવહારુ અને તકનીકી અભિગમ એ એરપોર્ટને વૈશ્વિક માપદંડ બનાવે છે કે કેવી રીતે ભાવિ શહેરો ઉપલબ્ધ પાણીના દરેક ટીપાને બુદ્ધિપૂર્વક મેનેજ કરી શકે છે.

સ્ત્રી અને પુરુષ છેક ગર્ભાવસ્થાથી જ તદ્દન ભીન્ન હોય છે

સ્ત્રી અને પુરુષ એ બન્ને પ્રકૃતિના બીલકુલ ભીન્ન ભીન્ન સર્જન છે. તેમને એક સમાન દર્શાવવાની કોઈ લાખ કોશિશ કરે, ગમ્મે એટલા આંદોલનો ચલાવે તો પણ, સત્ય એ છે કે ગર્ભાધાનના માત્ર સાત જ દિવસ બાદ નર અને માદા ભ્રૂણનો વિકાસ અને સ્વરૂપ અલગ-અલગ હોય છે.

એક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, બીજું રોગપ્રતિકારક શક્તિ પર, અને તે ફર્ક જીવનભર સત્તત બન્નેના સ્વાસ્થ્ય અને વિકાસને આકાર આપતા રહે છે.

કોર્નેલ યુનિવર્સિટીના છેલ્લા સંશોધન મુજબ જીવવિજ્ઞાનમાં જાતિ આધારિત તફાવતો આપણે માની છીએ તે કરતા ઘણા વહેલા શરૂ થઈ જાય છે, એટલે કે ગર્ભાધાનના માત્ર સાત જ દિવસ બાદ આ બન્ને અલગ અલગ રીતે વિકસે છે. ગાયનું ભ્રૂણ, જે માનવીના ભ્રૂણ વિકાસની પ્રક્રિયાથી ખુબ મળતું આવે છે, તેના અભ્યાસ દરમ્યાન વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે નર અને માદા ભ્રૂણ જીવન વિકાસના અત્યંત શરૂઆતી તબક્કામાં જ જનીનોના સંપૂર્ણ અલગ સેટને સક્રિય કરે છે. પુરુષો ઝડપી કોષ વિભાજન અને ઉર્જા ઉત્પાદનને પ્રાથમિકતા આપે છે, જ્યારે સ્ત્રીઓ રોગપ્રતિકારક તંત્ર અને પ્રજનન તેમજ જનીન બાબતો પર ધ્યાન આપે છે. આ તફાવતો હોર્મોન્સ અને અવયવોના વિકાસની શરૂઆતના ઘણા સમય પહેલા ઉદ્ભવે છે, જે ખૂબ જ પ્રારંભથી વિકાસને આગળ ધપાવતા ઊંડે જડિત આનુવંશિક બ્લુપ્રિન્ટ્સનો સંકેત આપે છે. આ પ્રારંભિક તફાવતોની સ્વાસ્થ્ય અને ચિકિત્સા સંદર્ભે ગહન અસરો હોઈ શકે છે. તમામ રોગો પુરુષો અને સ્ત્રીઓને જુદી જુદી રીતે અસર કરે છે – કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓથી લઈને ન્યુરોલોજીકલ ડિસઓર્ડર સુધી, વિકાસના સંદર્ભમાં જાતીયતાનો એક ખાસ અર્થ હોય છે. આ બાબત સારવારના આયોજન અને વિવિધ પરીક્ષણ કેવી રીતે કરવામાં તેને નવો આકાર આપી શકે છે. ઐતિહાસિક રીતે, તબીબી અભ્યાસો પુરૂષ મોડેલો પર આધાર રાખે છે, સંભવિતપણે સ્ત્રીઓમાં ડ્રગના પ્રતિભાવને પ્રભાવિત કરતા નિર્ણાયક પરિબળોને નજરઅંદાજ કરે છે. તારણો ઈંટઋ પરિણામોમાં સુધારો કરવા અને પશુધન સંવર્ધનને શ્રેષ્ઠ બનાવવા માટે નવી શક્યતાઓ પણ ખોલે છે. વધુ વ્યાપક રીતે, આ સંશોધન સૂચવે છે કે આપણું જૈવિક સેક્સ એ માત્ર એક લક્ષણ નથી જે તરુણાવસ્થા દરમિયાન ઉદ્ભવે છે – તે આપણા જીવનના પહેલા અઠવાડિયાથી આપણે કોણ છીએ તેનો મૂળભૂત ભાગ છે.

ચિમ્પાન્ઝી આપણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય તેમ માનવીની જેમ વિચારી શકે છે !

આપણી કલ્પના કરતા વધુ બુદ્ધિશાળી હોય છે ચિંપાંઝી

એક નવો અભ્યાસ દર્શાવે છે કે ચિમ્પાન્ઝી કદાચ આપણે ક્યારેય કલ્પના પણ ન કરી તેવી રીતે માનવીની જેમ વિચારી શકે છે. યુસી બર્કલે અને યુટ્રેચ યુનિવર્સિટીના સંશોધકોએ શોધ્યું કે ચિમ્પ્સ પોતાની અગાઉની પસંદગી કે અગાઉના નિર્ણયોને

જિદ્દી રીતે વળગી રહેવાને બદલે કોઈ વાત જો યોગ્ય રીતે તેની સામે આવે તો તે પોતાના નિર્ણયો પર પુનર્વિચાર કરી શકે છે. પુનર્વિચાર અને અનુકૂલન કરવાની આ ક્ષમતા – એક વખત માનવીય મોનોપોલી માનવામાં આવતી હતી, પરંતુ આ નવા સંશોધન આપણાં નજીકના સંબંધીઓની જ્ઞાનાત્મક સુગમતાના ઊંડા સ્તર બાબતે નવો પ્રકાશ ફેંકે છે. યુગાન્ડાના નગામ્બા દ્વીપ ચિમ્પાન્ઝી અભયારણ્યમાં વૈજ્ઞાનિકોએ બે બોક્સમાં ખોરાક છુપાવીને ચિમ્પ્સનું પરીક્ષણ કર્યું હતું. આ ચિંપાઝીઓને જ્યારે પાછળથી સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો, ત્યારે ઘણા ચિમ્પ્સે તેમની પસંદગી બદલી, જે દર્શાવે છે કે તેઓ અગાઉના અનુમાનની વિરુદ્ધ નવી માહિતીનું વિશ્લેષણ કરી શકે છે. કોમ્પ્યુટેશનલ મોડલ્સે પુષ્ટિ કરી કે તેઓ ભૂતકાળની બીનાની મજબૂતાઈનું મૂલ્યાંકન કરે છે, માત્ર સહજ પ્રતિક્રિયા આપતા નથી.

દાઢીધારી ગીધ; પ્રકૃતિની ભયાનક અજાયબી!

વિશ્વના ઉચ્ચતમ પર્વતીય શિખરોથી ક્યાંય ઊંચે, જ્યાં માત્ર પવન જ ફરવાની હિંમત કરે છે, પ્રકૃતિના સૌથી વિચિત્ર અને ભયાનક શિકારીઓ માંહેના એક એવા દાઢીધરી ગીધ મોજથી ઉડયન કરતા રહે છે.
આ વિશિષ્ટ પ્રજાતિને લેમરજીયર તરીકે પણ ઓળખવામાં આવે છે.આ ભયાવહ શિકારી પક્ષી શિકારી પક્ષી વીશે આપણે જે જાણીએ છીએ તે બધું કદાચ ઘણું ઓછું છે. જ્યારે બીજા બધા શિકારી જીવો અન્ય માંસ માટે ટળવળતા હોય છે ત્યારે આ દાઢીધારી ગીધ બીજાએ આરોગી લીધેલા માંસ પછી જે બાકી વધે તે હાડકાઓની મિજબાની માણે છે. હકીકતમાં તેનો લગભગ 90% ખોરાક તેમાંથી બને છે.
શિકારને જ્યારે સફાચટ કરી નાખવામાં આવે ત્યારે દાઢીવાળું ગીધ છેલ્લે આવે છે. પૂરી ચોકસાઈ સાથે તે હાડકાને લઈને હવામાં ઉપડે છે – ક્યારેક તો એ હાડકા તેના પોતાના માથા જેટલા વજનદાર હોય છે. તે આ હાડકાને નીચે ખડકો પર ફેંકે છે. તેનો ધ્વનિ ખીણોના ખાલીપાને ભરી દે છે અને આમ રાત્રિભોજનનો પ્રારંભ થાય છે. પરંતુ તેનું વાસ્તવિક રહસ્ય કાંઈક અલગ જ છે. તેના પેટનું એસિડ ાઇં 1.0 ની આસપાસ હોય છે – એક દિવસ કરતાં ઓછા સમયમાં તે એકદમ પ્રચુર હાડકાને પણ ઓગાળી શકે છે. તેમાંથી મળતું કેલ્શિયમ અને મજ્જાને જીવન ટકાવી રાખતા બળતણમાં ફેરવી નાખેછે. આલ્પ્સથી હિમાલય સુધી, ઇથોપિયાના ખડકોથી પિરેનીસના શિખરો સુધી, દાઢીવાળું ગીધ જંગલીને સ્વચ્છ રાખે છે, મૃત્યુને જીવનમાં રિસાયકલ કરે છે. તેના કાટ લાગતા પીછાઓ, ઉગ્ર લાલ આંખો અને અસ્પષ્ટ “દાઢી” સાથે, પ્રાચીન લોકોએ તેને શુકન અને ભગવાન બંને તરીકે જોયા તેમાં કોઈ આશ્ચર્ય નથી. પૌરાણિક કથામાં જીવંત આ જીવ હાડકાં પર પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યા છે.
મોટી ઉંમરે પણ મગજ વિકાસ સાધી શકે છે

દાયકાઓથી વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે પુખ્ત વયના લોકો પરિપક્વતા પર પહોંચ્યા પછી મગજના નવા કોષો વિકસાવી શકતા નથી. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, મગજના તાજા ચેતાકોષો બનાવવાની ક્ષમતા, જેને ન્યુરોજેનેસિસ કહેવાય છે, તે બાળપણ પછી સમાપ્ત થઈ જતી હોય છે, પરંતુ એક અદભૂત નવા અભ્યાસમાં હવે જાણવા મળ્યું છે કે, પુખ્ત હિપ્પોકેમ્પસની અંદર એક દુર્લભ પ્રકારનો કોષ હોય છે, જેને ન્યુરલ પ્રોજેનિટર સેલ તરીકે ઓળખવામાં આવે છે. મગજનો તે એ ભાગ છે જે શીખવા અને યાદશક્તિ માટે જવાબદાર છે. આ નોંધપાત્ર કોષો નવા ચેતાકોષો અથવા સહાયક મગજના કોષોમાં રૂપાંતરિત થઈ શકે છે. આ દર્શાવે છે કે આપણું મગજ એક વખત માનવામાં આવતું હતું તેના કરતાં વધુ અનુકૂલનશીલ હોઈ શકે છે.

આ છુપાયેલી સંભાવનાને ઉજાગર કરવા માટે, વૈજ્ઞાનિકોએ 20 થી 78 વર્ષની વયના દાતાઓ પાસેથી મગજના પેશીઓના નમૂનાઓનો ઉપયોગ કર્યો હતો. શક્તિશાળી ઇમેજિંગ તકનીક સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સંયોજન કરી આ આખો રિસર્ચ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. વૈજ્ઞાનિકોએ અઈં ને સામાન્ય રીતે બાળકોમાં જોવા મળતી પૂર્વજ કોશિકાઓની મોલેક્યુલર “ફિંગરપ્રિન્ટ” શોધવા માટે તાલીમ આપી અને પછી પુખ્ત મગજના નમૂનાઓમાં તેમની શોધ કરી, જેમાં 14 માંથી 9 પુખ્ત વયના લોકોમાં, આ કોષો મળી આવ્યા હતા. તે સૂચવે છે કે ન્યુરોજેનેસિસ સંપૂર્ણપણે બંધ નથી થતું પરંતુ તેના બદલે જીન્સ, પર્યાવરણ અને જીવનશૈલીના આધારે જીવનભર મર્યાદિત રીતે ચાલુ રહે છે. આ શોધ ન્યુરોડિજનરેટિવ રોગ સંશોધન માટે નવી આશા આપે છે. જો વૈજ્ઞાનિકો આ પૂર્વજ કોષોને કેવી રીતે સક્રિય અથવા વધારવું તે શીખી શકે, તો તે અલ્ઝાઈમર અને પાર્કિન્સન જેવી પરિસ્થિતિઓને કારણે મગજના નુકસાનને સુધારવા માટે નવા માર્ગો ખોલી શકે છે. એવું લાગે છે કે માનવ મગજ તેની અંદર પોતાને સાજા કરવાની અને પુન:નિર્માણ કરવાની શક્તિ ધરાવે છે.
વરું અને કાગડાની અદભૂત દોસ્તી!

પ્રકૃતિ પોતાના સામ્રાજ્યમાં વિવિધ જીવો વચ્ચે કૌતુક ભર્યા અનેક સંબંધો ઊભા કરે છે. સાપ અને નોળિયાની, શ્વાન અને બિલાડીની દુશ્મની કોણ નથી જાણતું? જંગલોની અંદર પ્રકૃતિની આવી મહાલીલા તેના પૂર્ણ રૂપે જોવા મળતી હોય છે. આવું જ એક જોડું વરું અને કાગડાનું છે.

વરુ અને કાગડા કુદરતના સૌથી આકર્ષક અને અસંભવિત જોડાણોમાંના એક છે. આ સંબંધ અસ્તિત્વ અને સૂક્ષ્મ સહયોગ એમ બન્ને પર આધારિત છે. જ્યારે કાગડાઓ કોઈ મૃત શરીર જુએ છે, ત્યારે તેઓ એકલા ભોજન કરતા નથી. તેના બદલે, તેઓ મોટેથી વરુઓને બોલાવે છે. નજીક રખડતા વરુઓને કાગડાઓ વિશિષ્ટ પ્રકારના અવાજે બોલાવે છે. એકવાર વરુઓ આવી ગયા પછી, તેઓ શિકારના જાડા ચામડાને ફાડી નાખે છે, માંસને બહાર કાઢે છે. કાગડાઓ પોતે ક્યારેય આ ના કરી શકે. વરુઓને કાગડાની ચકોર દૃષ્ટિ અને મૈત્રીપૂર્ણ આમંત્રણથી ફાયદો થાય છે, કારણ કે આ પક્ષીઓ શિકારીઓ કરતા ઘણા સમય પહેલા શબ શોધી કાઢે છે. તે જંગલીમાં પરસ્પર સહકારનું ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં શિકારી અને સફાઈ કામદાર સહિયારા લાભ માટે સાથે મળીને કામ કરે છે.

પરંતુ તેમનું બંધન ખોરાકથી આગળ વધે છે. કાગડો – પૃથ્વી પરના સૌથી બુદ્ધિશાળી પક્ષીઓમાં એક ગણાય છે. ઘણીવાર તે વરુઓ સાથે રમતે ચડી જાય છે. પેટ પર નીચું ઝૂકી જાય છે, તેમની પૂંછડી ખેંચે છે અથવા શિકારની મધ્યમાં તેમને ચીડવે છે. વરુના બચ્ચા અને નાના વરુ વારંવાર મજાકમાં પક્ષીઓનો પીછો કરે છે, જે જિજ્ઞાસા અને હળવાશના માહોલનું સૂચન કરે છે.

સંશોધકો અને વન્યપ્રાણી નિરીક્ષકોએ નોંધ્યું છે કે અમુક કાગડાઓ ચોક્કસ વરુના જૂથ સાથે કાયમી બંધન બનાવે છે, મહિનાઓ કે વર્ષો સુધી તેમને અનુસરે છે. આ પક્ષીઓ વ્યક્તિગત વરુઓને ઓળખે છે, તેમની વર્તણૂક શીખે છે અને તેમની હિલચાલની અપેક્ષા પણ રાખે છે. વિશાળ અરણ્યમાં, જ્યાં જીવન ઘણીવાર કઠોર અને સ્પર્ધાત્મક હોય છે, વરુ-કાગડો ભાગીદારી વિશ્વાસ અને સહકારના દુર્લભ પ્રતીક તરીકે ઉભી છે – એક યાદ કે પ્રકૃતિના સંબંધો હંમેશા દુશ્મનાવટથી ચાલતા નથી. કેટલીકવાર, તેઓ શાંત સમજ દ્વારા માર્ગદર્શન મેળવે છે – બે ખૂબ જ અલગ પ્રજાતિઓ, વૃત્તિ, બુદ્ધિ અને જંગલીની અસ્પષ્ટ લયમાં પણ સંવાદિત છે.

હવે વ્હેલ માનવીને પોતાનો શિકાર ગિફ્ટ કરે છે

એક નવા અભ્યાસમાં માનવોને શિકાર ઓફર કરતી કિલર વ્હેલના 34 વૈશ્વિક કેસોનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે, જે તેમની બુદ્ધિમત્તા અને જિજ્ઞાસાની આશ્ચર્યજનક ઝલક દર્શાવે છે.
આમાંના ઘણા બનાવોમાં ઓર્કાસ માછલીઓ, પક્ષીઓ અથવા તો સીવીડના ટુકડાઓ રજૂ કરતી જોવા મળી હતી – પછી તેમની “ભેટ” પુન:પ્રાપ્ત કરતા અથવા છોડી દેતા પહેલા માનવીઓ કેવો પ્રતિભાવ આપે છે તે જોવા માટે તે રોકાતી હતી. આ પેટર્ન રેન્ડમ વર્તન કરતાં કાંક અલગ સૂચવે છે; સંશોધકો માને છે કે તે સામાજિક અન્વેષણ અથવા આંતર-જાતિ સંબંધો-નિર્માણનું એક સ્વરૂપ હોઈ શકે છે. જર્નલ ઓફ કોમ્પેરેટિવ સાયકોલોજીમાં પ્રકાશિત અભ્યાસમાં વધતા જતા પુરાવાઓ ઉમેરવામાં આવ્યા છે કે કિલર વ્હેલ જટિલ સમજશક્તિ અને સાંસ્કૃતિક વર્તણૂક ધરાવે છે, તેઓ માનવો તરફ સામાજિક ક્રિયાઓ પ્રદર્શિત કરવા માટે જાણીતી કેટલીક જંગલી શિકારીઓમાં સ્થાન આપે છે.

પછી ભલે તે જિજ્ઞાસા હોય, રમત હોય અથવા સંચારનો પ્રયાસ હોય, એક વાત સ્પષ્ટ છે – આ સમુદ્રી જાયન્ટ્સ વૃત્તિ અને બુદ્ધિ વચ્ચેની રેખાને સ્પષ્ટ કરવાનું ચાલુ રાખે છે, જે આપણને યાદ અપાવે છે કે આપણે મોજાની નીચે રહેતા મન વિશે કેટલું શીખવાનું છે…

You Might Also Like

માનવીનું મગજ મોટી ઉંમરે પણ વિકસતું રહે છે !

ડાયનોસોરથી પણ મોટા મશરૂમ્સ

અબજોના અબજો ગેલન આલ્કોહોલ ભરેલું વાદળું

સંપૂર્ણ જીવસૃષ્ટિના એક કોષી પૂર્વજ એટલે લુકા

ઇંગ્લેન્ડમાં બનશે મધમાખીઓ માટે ખાસ આવાસ

TAGGED: manner, the brain
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટની આર.કે.યુનિવર્સિટીમાં રોડ સેફટી અવેરનેસ સેમિનાર, 900 વિદ્યાર્થી જોડાયા
Next Article ફાયર NOC, BU પરમિશન, સીસીટીવી હશે તેવી જ સ્કૂલમાં બોર્ડની પરિક્ષાનાં કેન્દ્ર ફાળવાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

સાઇખા GIDCમાં વિસ્ફોટ બાદ આગ, 3નાં મોત, 24 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
પરસાણાનગરમાં રેલ્વે ટ્રેક નીચે ગટરના ગંદા પાણીથી ફેલાય છે રોગચાળો : ગાયત્રીબા વાઘેલા
મવડીનો શખ્સ થાર અને અર્ટિગા સેલ્ફમાં ભાડે લઇ ગયા બાદ ગાયબ
રાજકોટ-ભાવનગર હાઈ-વે પર ડામર રોડ રીપેરિંગ કામગીરી પ્રગતિમાં
નિ:શુલ્ક સર્જરીથી જીવનદાન : ડૉ. પારસ મોટવાણીએ સર્જરીથી દર્દીને કર્યો પગભર
સરધારમાં પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીંકી પોતાને પણ ઘા ઝીકી દેતા ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

માનવીનું મગજ મોટી ઉંમરે પણ વિકસતું રહે છે !

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
મનીષ આચાર્ય

ડાયનોસોરથી પણ મોટા મશરૂમ્સ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
મનીષ આચાર્ય

અબજોના અબજો ગેલન આલ્કોહોલ ભરેલું વાદળું

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?