તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 50 હજાર થઈ ગઈ છે. ભૂકંપના કારણે 5,20,000 એપાર્ટમેન્ટ સહિત ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, 6 ફેબ્રુઆરીએ તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પહેલો આંચકો સવારે 4.17 વાગ્યે રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.8 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું.
લોકો બહાર નીકળી શકે તે પહેલાં, તેના થોડા સમય બાદ બીજો ભૂકંપ આવ્યો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.4 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપના આંચકાનો આ સમયગાળો અહીં જ અટક્યો ન હતો. આ પછી 6.5ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. આ આંચકાઓએ માલત્યા, સાનલિઉર્ફા, ઓસ્માનિયે અને દિયારબાકીર સહિત 11 પ્રાંતોમાં વિનાશ સર્જ્યો હતો.
- Advertisement -
6 ફેબ્રુઆરીએ આવેલા વિનાશક ભૂકંપમાં તુર્કી અને સીરિયાના વિવિધ વિસ્તારોમાં હજારો લોકોના મોત થયા બાદ ભારતે મદદ પૂરી પાડવા માટે ‘ઓપરેશન દોસ્ત’ શરૂ કર્યું હતું. આ અંતર્ગત અલગ-અલગ ટીમો બનાવીને મોકલવામાં આવી હતી. તેમાંથી ઘણી ટીમો બચાવ કામગીરી પૂરી થયા બાદ પરત ફરી ચૂકી છે.