પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો
મિલકતવેરો, પ્લાન પાસ, જન્મ-મરણનું પ્રમાણપત્ર સહિતની કામગીરી એક જ સ્થળે થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ હારીજ, તા.26
હારીજ રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા શાકમાર્કેટના મેડા પર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત હારીજ નગરપાલિકા સિટી સિવિક સેન્ટર ઈ-લોકાર્પણ કાર્યક્રમ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં શહેરના પૂર્વ કોર્પોરેટરો, ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રી લોકાર્પણના કાર્યક્રમને લાઈવ નિહાળ્યું હતું.હારીજ નગરના લોકોને સીધા પાલિકામાં ધક્કા ના ખાવા પડે તે માટે સરકાર દ્વારા જનસુવિધા કેન્દ્ર એટલે કે સિટી સિવિક સેન્ટર નવીન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નગરજનોને મિલકતવેરો, વ્યવસાય કર, વાહનવેરો, મકાનના નકશાની મંજૂરી, બિલ્ડીંગ પ્લાનની મંજૂરી, જન્મ-મરણનું પ્રમાણપત્ર, ગુમાસ્તાધારા નોંધણી, આરોગ્ય અંગેના લાયસન્સ, લારી-ફેરિયાના લાયસન્સ, ફાયર એનઓસીની અરજી જેવી સેવાઓ માટે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.