હાઇવે પર ખનિજ ભરેલું ડમ્પર ખાલી કરતા રાહદારીઓને માટે અકસ્માતનો ભય
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ સંપતિને નુકશાન કરતાં ખનિજ માફીયાઓ પર લગામ કસવી ખૂબ જ જરૂરી છે કારણ કે અહી ભરપૂર ખનીજનો જથ્થો લૂંટતા માફીયાઓ હવે બેખોફની સાથે બેલગામ પણ થયા છે ત્યારે ગેરકાયદેસર ખનન થતા જિલ્લામાં મુખ્ય સ્થળો એટલે કે થાનગઢ અને મૂળી ખાતે વારંવાર પ્રાંત અધિકારીના દરોડા છતાંય હજુય ખનિજ માફીયાઓ બેરોકટોક ખનન કરી રહ્યા છે તેવામાં મૂળી પંથકમાં ખનિજ માફીયાઓ દ્વારા સફેદ માટીનું ખનન કરી રાત્રીના સમયે વાહનોમાં આ ગેરકાયદેસર માટી ભરીને મોરબી તરફ લઈ જતા હોય છે તેવામાં ખનિજ માફિયાઓને અધિકારી આવતા હોવાની જરાય ભનક લાગે કે તરત જ ગેરકાયદેસર ભરેલું ખનિજનું ડમ્ફર રોડ પર જ ખાલી કરી નાશી જે છે આ પ્રકારે વારંવાર કિસ્સાઓ બનતા હોય છે જેથી અને રોડ પર ખનીજનો ઢગલો પડ્યો હોવાથી રાત્રીના સમયે રાહદારીઓ માટે અકસ્માત થવાની પણ શક્યતા વધી જાય છે. ત્યારે આ પ્રકારે ખનિજ ખનન અને વહન કરતા માફિયાઓને સદંતર બંધ કરી કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ મૂળી પંથકના જાગૃત નાગરિકોમાં માંગ ઉઠવા પામી છે.