ખાસ-ખબર સંવાદદાતા
ઝારખંડના પૂર્વ રાજ્યપાલ અને આદિવાસી નેતા દ્રૌપદી મુર્મૂને આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે એનડીએના ઉમેદવાર બનાવવામાં આવ્યાં બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે મને વિશ્વાસ છે કે દ્રૌપદી મુર્મૂ આપણા દેશના મહાન રાષ્ટ્રપતિ બનશે. તેમણે પોતાનું જીવન સમાજની સેવા ગરીબો, દલિતો તથા હાશિયા પર રહેલા લોકોને સશક્ત બનાવવા માટે સમર્પિત કર્યું છે.
પીએમ મોદીએ કહ્યુ,‘લાખો લોકો, જેણે ગરીબીનો અનુભવ કર્યો છે અને જીવનમાં મુશ્કેલીનો સામનો કર્યો છે, તે દ્રૌપદી મુર્મૂના જીવનથી શક્તિ પ્રાપ્ત કરે છે. નીતિગત મુદ્દા પર તેમની સમજ અને તેમની દયાળુ પ્રવૃતિથી દેશને ફાયદો થશે.’
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ, ’દ્રૌપદી મુર્મૂએ સમાજની સેવા અને ગરીબો, વંચિતો અને શોષિતોના સશક્તિકરણમાં પોતાનુ જીવન આપી દીધુ. તેમની પાસે સમૃદ્ધ વહીવટી અનુભવ છે અને રાજ્યપાલના રૂપમાં તેમનો કાર્યકાળ પણ ઉત્કૃષ્ટ રહ્યો. મને વિશ્વાસ છે કે તે આપણા દેશના મહાન રાષ્ટ્રપતિ સાબિત થશે.’ તો ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી કહ્યુ, ’આજે દેશ માટે એક અત્યંત મહત્વપૂર્ણ ક્ષણ છે, જ્યારે નરેન્દ્રના નેતૃત્વ તથા જેપી નડ્ડાની અધ્યક્ષતામાં એનડીએના રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મૂની જાહેરાત કરી છે. આ નિર્ણય જનજાતીય ગૌરવને નવા શિખર પર લઈ જવાનું કામ કરશે. તેથી હું પીએમ મોદીને અભિનંદન આપુ છું.’
લાખો લોકો, જેણે ગરીબીનો અનુભવ કર્યો છે અને જીવનમાં મુશ્કેલીનો સામનો કર્યો છે, તે દ્રૌપદી મુર્મૂના જીવનથી શક્તિ પ્રાપ્ત કરે છે. નીતિગત મુદ્દા પર તેમની સમજ અને તેમની દયાળુ પ્રવૃતિથી દેશને
ફાયદો થશે. -વડાપ્રધાન મોદી
- Advertisement -
રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મુને તત્કાળ ઝેડ પ્લસ સુરક્ષા
જગન્નાથ મંદિરમાં ઝાડુ માર્યુ: પુજા-અર્ચના કરી
ખાસ-ખબર સંવાદદાતા
એનડીએના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર માટે દ્રોપદી મુર્મુની પસંદગી કરી છે. રાષ્ટ્રપતિપદની ઉમેદવારી જાહેર થયાના એક દિવસ બાદ દ્રોપદી મુર્મુએ રાયરંગપુરના જગન્નાથ મંદિરમાં પુજા-અર્ચના કરી અને ત્યાં જ પુજા કર્યા પહેલા મુર્મુ એ શિવમંદિર સાફ કર્યુ હતું. ઉમેદવારી જાહેર થયા બાદ કેન્દ્રએ દ્રોપદીને સીઆરપીએફ કમાંડોની ઝેડ પ્લસ સુરક્ષા આપી છે.
એનડીએના રાષ્ટ્રપતિ માટેની ઉમેદવાર દ્રોપદી મુર્મુની જીવન યાત્રા ખૂબ સંઘર્ષોથી ભરેલી છે. કાઉન્સેલર તરીકે રાજકીય સફર શરૂ કરનાર દ્રોપદી અનુસૂચિત જનજાતિ (એસટી) શ્રેણીમાંથી દેશના પ્રથમ રાષ્ટ્રપતિ અને બીજી મહિલા રાષ્ટ્રપતિ બનવા માટે તૈયાર છે. આર્થિક સંકડામણના કારણે દ્રોપદી માત્ર સ્નાતક સુધી શિક્ષણ મેળવી શકયા. આ પહેલા તેઓ ઓડીશા સરકારમાં ફરજ બજાવતા હતા.
બાદમાં રાજકારણ માટે ભાજપને પસંદ કર્યુ. દ્રોપદી મુર્મુનું જીવન તેમના જીવન શક્તિને પ્રતિબિંબીત કરે છે. યુવાનીમાં વિધવા થયા ઉપરાંત બે પુત્રોના મૃત્યુથી તે ભાંગી પડયા ન હતા. આ દરમ્યાન તેણીએ તેની એક માત્ર પુત્ર ઈતિશ્રી સહિત સમગ્ર પરિવારને સંભાળીને રાખ્યા હતા. કેન્દ્રએ મુર્મુને ઝેડ પ્લસ સુરક્ષા આપવાની જાહેરાત કર્યા બાદ બુધવારે વહેલી સવારે 64 વર્ષીય દ્રોપદી મુર્મુ પાસે સુરક્ષા કર્મીઓ પહોંચી ગયા હતા.
કોણ છે ? ભાજપના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ
- Advertisement -
દ્રૌપદી મુર્મુનો જન્મ 20 જૂન, 1958ના રોજ ઓડિશામાં થયો હતો. તેમના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ હતું અને તેમના લગ્ન શ્યામ ચરામ મુર્મુ સાથે થયા હતા. તેઓ ઓડિશાના મયુરભંજ જિલ્લાના કુસુમી બ્લોકના ઉપરબેડા ગામના સંથાલ આદિવાસી પરિવારમાંથી આવે છે. આ દંપતીને બે પુત્રો અને એક પુત્રી હતી. દ્રૌપદી મુર્મુનું જીવન અંગત દુર્ઘટનાઓથી ભરેલું છે. તેના પતિ અને બે પુત્રો અકાળે મૃત્યુ પામ્યા. દ્રૌપદી મુર્મૂ ઝારખંડના પહેલા મહિલા અને આદિવાસી રાજ્યપાલ હતા. અહીંથી સેવાનિવૃતિ બાદ તેઓ પોતાના ગૃહ રાજ્ય ઓડિશાના મયૂરભંજ જિલ્લાના રાયરંગપુરમાં રહે છે. આ તેમના પૈતૃક ગામ બૈદાપોસીનુ પ્રખંડ મુખ્યાલય છે. તેઓ ઝારખંડમાં સૌથી લાંબા સમય સુધી રાજ્યપાલ રહ્યા. દ્રૌપદી મુર્મૂ ભારતના પહેલા આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બની શકે છે. તેઓ એનડીએના ઉમેદવાર છે અને એનડીએ મતના મુદ્દે જીતની નજીક છે. વિપક્ષી પાર્ટીઓએ યશવંત સિન્હાને આ પદ માટે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આઈએએસના પૂર્વ અધિકારી યશવંત સિન્હા ઝારખંડના હજારીબાગ બેઠક પરથી ભાજપના લોકસભા સાંસદ રહી ચૂક્યા છે અને કેન્દ્ર સરકારના મંત્રી પણ. તેઓ લાંબા સમય સુધી ભાજપના જ નેતા રહ્યા પરંતુ આખરે ભાજપથી અલગ થવુ પડ્યુ. અત્યારે તેઓ મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ સાથે જોડાયા હતા. તેમના પુત્ર અને હજારીબાગના વર્તમાન લોકસભા સાંસદ જયંત સિન્હા અત્યારે ભાજપમાં છે.
દ્રૌપદી મુર્મુ જાણીતા આદિવાસી નેતા
દ્રૌપદી મુર્મુ એક ભારતીય રાજકારણી છે અને 18 મે 2015 થી 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ તરીકે રહી ચૂક્યા છે. તેઓ તેઓ પ્રથમ ઓડિયા નેતા છે જેઓ ઝારખંડના ગવર્નર તરીકે રહ્યા છે. તેમણે 2000 થી 2004 સુધી ઓડિશા વિધાનસભામાં રાયરંગપુરથી ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી નિભાવેલી છે.