એમને ઓપરેશન ન આવડતું હોય તો શા માટે કરવું જોઈએ?
હું આ દર્દને લીધે આત્મહત્યા કરી રહી છું : હેમલતાબેન વાછાણીની વલોવી નાંખતી વેદના
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનાં મહિલા હેમલતાબહેન વાછાણીએ આત્મહત્યા કરી હતી અને તેમણે સ્યુસાઈડ નોટમાં રાજકોટનાં ઓર્થોપેડિક સર્જન વિમલ કોઠારી (મંગલમ્ હોસ્પિટલ, મંગળા મેઈન રોડ, રાજકોટ) સામે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. સ્યુસાઈડ નોટ મુજબ તેમનાં મોત માટે ડૉ. વિમલ કોઠારીએ કરેલું નિષ્ફળ ઓપરેશન જવાબદાર છે. સ્યુસાઈડ નોટ નીચે મુજબ છે.
ઓર્થોપેડીક સર્જન મંગલમ હોસ્પિટલનાં ડૉ. વિમલ કોઠારીએ મારા પગનું ઓપરેશન તા. 19-3-2021ના રોજ કરેલ. તેમણે ઓપરેશન ખોટું કરેલ અને આજે 13 મહીના થઈ ગયા છતાં મારો ગોઠણ હજી પણ દુ:ખે છે. જોઈન્ટ રીપ્લેસમેન્ટનું ઓપરેશન કરેલ તેમને તે ઓપરેશન આવડતું જ નહતું તો શા માટે કર્યું. બાકી મારે કોઈ દુ:ખ નથી, મારી મોટી બેબીને જીવનમાં દુ:ખ છે તેમને મારા પૈસા જે આવે તે કૃપા અને અવનીને આપશે. અવનીને દુ:ખી નહીં કરતાં. એક વરસથી મારા ઘરવાળા મારી સેવા કરતા હતા. મારું પેન્શન આવે તે પણ અવનીને આપશે. મારી બેબી ગાંધીગ્રામ ગૌતમનગર શેરી નં. પાંચ-બમાં ફ્લેટમાં રહેશે. શિવધારા ફ્લેટ છે થર્ડ ફ્લોર પર. તેના ફોન નં. 9924014548 મારા ઘરવાળા મારી નાની બેબીને વડનગર મૂકવા ગયા છે. તેમનું નામ રમેશ છે તેમના ફોન નં. 9824043218 છે. હું માત્ર દુ:ખને હિસાબે જઉં છું તેમાં કોઈપણને વાંક નથી.