ભૂતપુર્વ નોકરે શેઠનું અમૂલ્ય ૠણ અનોખી રીતે ચૂકવ્યુ : દેશના ઇતિહાસની અનેરી ઘટના
કાયદેઆઝમ પુરુષોત્તમ પીપળીયાએ પોતાના પગારના 10%ની આવક ઉપરાંત ભેટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.00
સૌરાષ્ટ્રના જાણીતા મોટા ગજાના વેપારી અગ્રણી, રાજનિતીજ્ઞ, સહકાર શ્રેષ્ઠી, વિશ્ર્વ લોહાણા મહાજન પ્રમુખ, ક્ધયા કેળવણીકાર, ધર્માનુરાગી સહિત અનેક ઉપમાઓ આપી શકાય તેવા ભામાશા શેઠ જયંતિભાઇ કુંડલીયાનું આંશિક ૠણ અદા કરવાના શુભ આશયથી જયંતિભાઇ કુંડલીયાને ત્યા નોકરી કરી ચૂકેલા ભૂતપૂર્વ સેવક અને જાણીતા કાયદેઆઝમ, ધિ રાજકોટ કોમર્શીયલ કો-ઓપરેટીવ લી.ના સીઇઓ ડો.પુરૂષોત્તમ પીપરીયાએ તેમના શેઠની સ્મૃતિમાં રૂપીયા એક કરોડનું માતબર રકમનું દાન રાજકોટ લોહાણા મહાજનને જીજ્ઞેશ દાદાની કથા પ્રસંગે આપવાની જાહેરાત કરેલ છે. આ અગાઉ પણ ડો.પુરૂષોત્તમ પીપરીયાએ તેમના શેઠ જયંતિભાઇ કુંડલીયાની સ્મૃતિમાં રૈયા ગામ, રૈયા મુક્તિધામ મુકામે શિવાલયનુ સ્વખર્ચે નિર્માણ કરી સમાજને અર્પણ કરેલ તે પણ નોંધનીય બાબત છે. ડો.પુરૂષોત્તમ પીપરીયાએ જણાવ્યુ હતુ કે, મે શાક બકાલાની રેકડથી કારકિર્દીની શરૂઆત કરી હતી તે દરમ્યાન જાણીતા ભામાશા દાનવીર જયંતિભાઇ કુંડલીયાની પેઢીમાં નોકરી કરવાનો અમૂલ્ય મોકો મળ્યો હતો. મારી નોકરી દરમ્યાન મને જયંતિભાઇ કુંડલીયાએ સીઇઓ સુધીની મંજીલે પહોંચાડવામાં અહમ્ ભૂમિકા ભજવી હતી. આ વાત જો હું યાદ ના રાખુ તો મારો આત્મા મને ડંખ્યા વગર ન રહે.
આજના યુગમા નોકર અને માલિકો વચ્ચે નોકરી સબંધિત વિવાદોથી કોટોર્ર્ઉભરાઇ રહી છે તેવા સંજોગોમા આજથી 4પ વષર્ર્ પુવેર્ર્ જયંતિભાઇ કુંડલીયાની પેઢીમા ઓફિસબોયની નોકરીનો આરંભ કરેલ હતો. શેઠ જયંતિભાઇ કુંડલીયાએ આર્થિક મદદથી મને ઉચ્ચ અભ્યાસ કરાવી પગભર કરી જીવનની મહત્વની સફરના હરેક તબકકે તેમનું મહત્વનું યોગદાન રહેલ છે તે તમામ બાબતોને યાદ ન રાખુતો મને ઇશ્ર્વર ક્યારેય માફ કરે નહી. એટલે હું જે કંઇ તેમની સ્મૃતિ માટે કરુ છું તે મારી પવિત્ર ફરજ છે.
લવાદ/સમાધાન માટે મધ્યસ્થી તરીકે ઉમદા સેવા પ્રદાન કરનાર ડો.પુરૂષોત્તમ પીપરીયાને પક્ષ્ાકાર વચ્ચેના સુખદ સમાધાનના રાજીપાથી પક્ષ્ાકારોએ પે્રમ અને આગ્રહપૂર્વક કેટલીક મિલ્ક્તો બક્ષ્ાીસ/ભેટ તરીકે આપેલ હતી, તે મિલ્ક્તો વણકમાયેલ હોય તેવી બક્ષ્ાીસ/ભેટ સ્વરૂપે મળેલી મિલ્ક્તો ઉપરાંત ધર્મના સિધ્ધાંત અનુસાર મારા પગારની આવકના 10% આવક પરમાર્થે વાપરવી જોઇએ તેવી પવિત્ર ફરજના ભાગરૂપે સમાજનું સમાજને અર્પણ સુત્રને સાર્થક કરવા રૂપીયા એક કરોડના દાનની જાહેરાત કરેલ છે. બક્ષ્ાીસ કે ગીફટ સવિનય અસ્વીકાર કરવાની મહેચ્છા વ્યક્ત કરવા છતા કેટલાક સમાજ શ્રૈષ્ઠીઓની ઇચ્છાનો અનાદર કરવો તે અવિવેક સમાન હોય તેવા સમાજ શ્રેષ્ઠીઓની ગીફટ/બક્ષ્ાીસનો સ્વીકાર કરવો મારા માટે અનિવાર્ય હતું. ગીફટ/બક્ષ્ાીસમાંથી મને મળેલી વણકમાયેલી આવક સમાજને અર્પણ કરવા માટે ઇશ્ર્વરે માત્ર મારી પસંદગી કરેલ છે. મે માત્ર આંગડીયા તરીકેની ફરજ બજાવી છે, વણકમાયેલી મિલ્ક્તો મારે કે મારા પરીવારે અંગત ઉપયોગ માટે વાપરવી તે ભાગવત ગીતાના કર્મના સિધ્ધાંતો વિરૂધ્ધ છે તેમ દાન આપનાર પુરૂષોત્તમ પીપરીયાએ જણાવેલ હતું. મારી 6પ વર્ષની ઉંમર એટલે કે મારા જીવનની ઢળતી સંધ્યાએ શક્ય હોય ત્યા સુધી કોઇપણ વ્યક્તિઓનું ૠણ બાકી રહેવુ જોઇએ નહી તેવા હંમેશા મારા પ્રયાસો રહૃાા છે તેમ છતા મારા શેઠ જયંતિભાઇ કુંડલીયાની સ્મૃતિમાં રૂપીયા એક કરોડનું દાન આપવાથી પણ હું તેમના ૠણમાંથી ક્યારેય મુક્ત થઇ શકુ તેમ નથી.
કરોડો જીવાત્મા માંથી કોઇક જ આત્મ એવો ભાગ્યશાળી હોય કે તેમના જીવનમાં જયંતિભાઇ કુંડલીયા જેવા શેઠના સાનિધ્યમાં કર્મ કરવાનો અવસર પ્રાપ્ત થાય. આ અવસર મને પ્રાપ્ત થયો છે તે મારી ઉપર સદગુરૂદેવ રણછોડદાસજી બાપુ અને જલારામ બાપાની અસીમ કૃપાથી વિશેષ કંઇ નથી. તાજેતરમાં જ 30 માર્ચના રોજ એક અલૌકિક કથાનો પ્રસંગ યોજાવવામાં જઇ રહેલ છે જેમાં કુંડલીયા પરીવારની સુપુત્રીઓ સર્વ પદ્માબેન કુંડલીયા, કિરણબેન કુંડલીયા અને બિનાબેન કુંડલીયા મુખ્ય મનોરથીઓ તરીકે બિરાજમાન થશે. આ ખાસ પ્રસંગે મને અમૂલ્ય દાન પ્રદાન કરવા માટે જે અવસર પ્રાપ્ત થયેલ છે તેનાથી મારો પરીવાર ખૂબજ રાજીપો અનુભવી રહૃાો છે, તેમ પુરૂષોત્તમ પીપરીયાએ અંતમાં જણાવ્યું હતું.