By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
    6 hours ago
    ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી
    6 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 days ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર ભારતમાં ભીષણ ગરમી, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
    10 minutes ago
    10 હજાર કરોડના પ્રોજેકટનો પ્રસ્તાવ તૈયાર, સેનાને મળશે ત્રણ આઈ-સ્ટાર જાસૂસી વિમાન
    14 minutes ago
    પાણી માટે તડપતું પાકિસ્તાન : સિંધુ જલ સંધી બહાલ કરવા માટે ભારતને કરી આજીજી
    18 minutes ago
    ભારતમાં આઝાદી બાદ પ્રથમ સોનાની ખાણ શરૂ થશે
    21 minutes ago
    વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે સ્પેશિયલ ફેરવેલ, ઑસ્ટ્રેલિયામાં ખાસ તૈયારી: રિપોર્ટ
    41 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    44 minutes ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    5 hours ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    3 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
    5 hours ago
    ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
    5 hours ago
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    2 days ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    2 days ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડૉ. ડી.પી. ચીખલિયા: તબીબ, નેતા અને સમાજ સેવક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ડૉ. ડી.પી. ચીખલિયા: તબીબ, નેતા અને સમાજ સેવક
ગુજરાતજુનાગઢ

ડૉ. ડી.પી. ચીખલિયા: તબીબ, નેતા અને સમાજ સેવક

Khaskhabar Editor
Last updated: 2022/08/27 at 4:23 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

જૂનાગઢમાં આરોગ્ય ક્ષેત્રે મોટું યોગદાન આપનાર ડો.ડી.પી.ચીખલિયાની ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત

જૂનાગઢ એક સમયે આરોગ્ય સેવાને લઇને ખુબ જ પછાત હતું. લોકોને અમદાવાદ અને રાજકોટ સુધી જવું પડતું હતું.ત્યારે જૂનાગઢને આરોગ્ય ક્ષેત્રે નવી જ ઉર્જા અને ગતી આપવાનું કામ ડૉ. ડી.પી.ચીખલિયાએ કર્યું. 1981માં જૂનાગઢમાં હોસ્પિટલનો પ્રારંભ કર્યો. પહેલા માત્ર પાંચ બેડની ચાલતી હોસ્ટિલ આજે ત્રિમૂર્તિ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ બની ગઇ.જે 150 બેડ ધરાવે છે.વર્ષ 2003માં ડૉ.ડી.પી.ચીખલિયાને હદય રોગનો હુમલો આવ્યો અને અમદાવાદ જવાની જરૂરી પડી ત્યારે એમ્બ્યુલન્સ પણ મળી ન હતી.બસ અહીંથી લોકોને પડતી મુશ્કેલીની અનુભુતી થઇ અને જૂનાગઢને આરોગ્ય ક્ષેત્રે નવી ઉંચાઇએ લઇ જવાનાં સંકલ્પ સાથે જુદીજુદી આરોગ્યલક્ષી સેવાઓનો પ્રારંભ કરનાર ડૉ. ડી.પી.ચીખલિયાની ખાસ ખબર સાથે વિશેષ મુલાકાત….

- Advertisement -

પિતાએ ખેડૂતના સાથી રહી પુત્રને તબીબ બનાવ્યો અને પુત્રએ તબીબથી રાજકારણ સુધીની સફર ખેડી

જૂનાગઢમાં આરોગ્ય ક્ષેત્રની વાત નિકળે એટલે પહેલા જેના નામની ચર્ચા થયા એ છે ડૉ. દેવરાજ પી. ચીખલિયા. જૂનાગઢમાં આરોગ્ય ક્ષેત્રે મહત્વનું યોગદાન ડૉ.ડી.પી.ચીખલિયાનું રહ્યું. ડૉ. ડી.પી.ચીખલિયાનો જન્મ રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકાનાં આરબટીબડી ગામે થયો હતો. સામાન્ય પરિવારનાં ડૉ.ચીખલિયાનો જન્મ થયો. પ્રાથમિક શિક્ષણ આરબટીબડીમાં પૂર્ણ કર્યું. ભેંસાણમાં ધોરણ 11 સુધી અભ્યાસ કરી મેડીકલનાં અભ્યાસમાં પ્રવેશ મળવ્યો. ખુબ જ આર્થીક નબળી સ્થિતી હોવા છતા પિતાએ ઉચ્છશિક્ષણ માટે મેડિકલમાં પ્રવેશ અપાવ્યો. ડૉ. ડી.પી. ચીખલિયાનાં પિતાજી ભેંસાણમાં 25 વર્ષ સુધી ખેડૂત સાથે સાથી તરીકે કહ્યાં હતાં. આ ક્ષણને યાદ કરતા ડૉ.ડી.પી.ચીખલિયા ભાવુક બની ગયા હતાં. તેમણે કહ્યું હતું કે, પિતાજીએ ખુબ જ સંઘર્ષ કરી અભ્યાસ કરાવ્યો. 25 વર્ષ સુધી સાથી તરીકે રહ્યાં. મેડિકલમાં પ્રવેશ મેળવ્યો ત્યારે આવકનાં 3 સ્ત્રોત હતા. ઘરેથી પૈસા આવતા,બીજા કાકાનાં દિકરા છગનભાઇ અને પ્રો.ગીરીશભાઇ માકડ દ્વારા આર્થીક સહકાર મળતો હતો અને આ રીતે અભ્યાસ પૂર્ણ કર્યો હતો. શરૂઆતમાં અભ્યાસનો મુખ્ય હેતુ આર્થીક સ્થિતી સુધરે તેવો જ હતો. અમદાવાદ મેડીકલમાં અભ્યાસ દરમિયાન ચાલીને જતો ત્યારે અહીં કાપડ મીલનાં માલીકનાં ભવન અને ગાડીઓ જોતો હતો. મનોમન આ પ્રકારનાં વ્યકિત બનવાનું વિચારતો હતો. 1980માં અભ્યાસ પૂર્ણ થયો. એમએસ ગોલ્ડ મેડાલિસ્ટ બન્યાં. રાજયમાં અનેક જગ્યા ખાલી હતી પરંતુ નોકરી મળતી ન હતી. પહેલા ટીચીંગ લાઇનમાં જવાનું વિચાર્યું હતું. રાજકોટમાં પ્રાઇવેટ પ્રેકટીસ શરૂ કરી હતી.

- Advertisement -

5 બેડની હોસ્પિટલથી શરૂઆત કરી આજે 150 બેડની મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ બનાવી

2003માં ડૉ.ડી.પી. ચીખલિયાને હ્રદય રોગનો હુમલો આવ્યો ત્યારે એમ્બ્યુલન્સ પણ મળી ન હતી

તેમજ અહીં હોસ્પિટલ શરૂ કરવાનો વિચાર કર્યો હતો. લોકોએ પહેલા મદદ કરવાનું કહ્યું હતુ, તેવા લોકો ખરા સમયે સાથે રહ્યાં નહી. રાજકોટમાં હોસ્પિટલ શરૂ કરવામાં સફળતા મળી ન હતી. બાદ ઘરેથી પણ કમાવા માટે પ્રેસર હતું. જૂનાગઢ આવવા માટે પાંચ કીમી ચાલવું પડતું હતું. જૂનાગઢ આવ્યા બાદ કોઇ જગ્યા કે કામ મળે નહી. દિવસભર બસ સ્ટેશનમાં બેસી રહ્યું.કેટલીક વાર સતાધાર જતો રહ્યું. આવી રીતે સમય પસાર કર્યો. બાદ રાણાવાવમાં ભાડાથી દવાખાના માટે જગ્યા મળી. 19/07/1981નાં દિવસે પાંચ બેડ સાથે હોસ્પિટલનો પ્રારંભ કર્યો. લોકોનો વિશ્ર્વાસ જિત્યો. હોસ્પિટલનાં પ્રારંભમાં જે કામ કરતા હતા તે જ કામ આજે કરી રહ્યો છું. કેન્દ્રમાં હંમેશા દર્દી રહ્યાં છે. ત્યારે પણ લોકોને મદદ કરવાની ભાવના હતી આજે પણ તે જ ભાવના છે, તેમજ વર્ષ 2003માં મને હદય રોગનો હુમલો આવ્યો. અમદાવાદ જવાની જરૂર પડી ત્યારે એમ્બ્યુલેન્સ મળી ન હતી. સારવારમાંથી આવ્યાં બાદ વિચાર આવ્યો કે,લોકોને કેવી પીડા હશે. બાદ 20 લાખ રૂપિયાની એમ્બ્યુલન્સ કાર્યરત કરી. જૂનાગઢમાં લોકોને શ્રેષ્ઠ સારવાર મળે તે દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. અને આજ 150 બેડની ત્રિમૂર્તિ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ બની છે. તેનું મુખ્ય કારણ મારા પિતાજી છે. તેવો મુજરી કામ સાથે ધાર્મીક સાહિત્યનું વાંચન કરતા.

ધાર્મીક પુસ્તકોનું ચિંતન અને કેળવણી અમને આપ્યાં છે. તેમને લખતા આવડતું ન હતું. બીજા પાસે પત્ર લખાવતા હતાં. લખી શકે તે માટે 67 વર્ષની ઉંમરે લખતા શિખ્યાં હતાં. મારા જીવનમાં તેનો ખુબ જ પ્રભાવ પડ્યો છે. ડૉ. ડી.પી.ચીખલિયાએ કહ્યું હતું કે,આર્થીક ઉપાર્જન ચોક્કસ કરવું, પરતું તેની પાછળ દોટ ન મુકવી. લોકોની સેવા અને લોકોમાં વિશ્ર્વાસ કેળવ્યો તેનું પરિણામ 1989માં આવ્યું અને જે જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબીત થયો. આ વર્ષમાં જૂનાગઢ લોકસભાની બેઠકમાં અમારી પસંદ કરી કરવામાં આવી. પરંતુ આર્થીક વસ્તુ બંધ થઇ જાય તો માણસ ભ્રષ્ટ બની જાય. માટે મારી જગ્યાએ મારા પત્નિને ટીકીટ માટે કહ્યું. સ્વ.ભાવનાબેન પ્રથમ વખત રાજકારણમાં આવ્યા અને ચાર ટર્મ સાંસદ બન્યાં. કેન્દ્રીય મંત્રી બન્યાં. તેમનાં કારણે સોરઠને બ્રોડગેજ રેલવે લાઇન મળી, રોપવે લાવવામાં મુખ્ય ભૂમિકા રહી, સોમનાથમાં લાઇટ અન્ડ સાઉડ શો શરૂ કરાવ્યો. તેમનાં કાર્યકાળ દરમિયાન અનેક મહત્વકાંક્ષી પ્રોજેકટ પર કામ થયું. ડૉ.ડી.પી.ચીખલીયાએ કહ્યું હતું કે, ઇશ્ર્વર ઉપર ખુબ જ વિશ્ર્વાસ અને શ્રધ્ધા છે. ઇશ્ર્વરને સાક્ષીએ જ દરેક કાર્ય કર્યાં છે. ઇશ્ર્વરને સંપૂર્ણ સમર્પિત છું. સવારનાં ઠાકરોજીને સંપૂર્ણ સમર્પણ બાદ ઘરની બહાર નિકળ્યું છું. જીવનની દરેક ક્ષણ ઇશ્ર્વર માટે જીવવા માંગુ છું.

100થી વધુ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય પરિષદમાં સક્રિય પ્રતિનિધિ
ડૉ. ડી.પી.ચીખલિયા આરોગ્ય સેવા સાથે ભાજપમાં સક્રિય સભ્ય પદ ધરાવે છે. ઇન્ડિયન મેડિકલ એસોસીએશનમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ચૂટાયા હતાં. જૂનાગઢમાં એસોસીએશનમાં પાંચ ટર્મ પ્રમુખ રહ્યાં હતાં. ત્રિમૂર્તિ ચેરીટેલબ ટ્રસ્ટનાં પ્રમુખ છે. સ્વ.ભાવનાબેન ચીખલિયાની યાદમાં ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશનની સ્થાપના કરી અને તેના માધ્યમથી અનેક સેવાકીય અને સમાજ ઉપયોગી પ્રવૃતિ કરવામાં આવી રહી છે. તેમજ નેશનલ મેડિકોસ ઓર્ગેનાઇઝેશન, જૂનાગઢ અંધક્ધયા છાત્રાલય, યુરોલોજિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા, ભારતીય હર્નીયા સોસાયટી, ઇન્ટરનેશનલ કોલેજ ઓફ એન્જીયોલોજી સહિતની સંસ્થાઓ અને એનજીઓમાં કામ કર્યું છે. તેમજ 100 થી વધુ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય પરિષદમાં સક્રિય પ્રતિનિધિ કર્યું છે. 300થી વધુ ફી મેડિકલ કેમ્પની મદદથી 1.5 લાખ લોકોને સારવાર આપી છે.

દરરોજ સવારનાં 7થી 8 ફરજીયાત વાંચન
ડૉ. ડી.પી.ચીખલિયાને વાંચનનો ખુબ જ શોખ છે. મેડિકલ ઉપરાંત ધાર્મીક સાહિત્ય વધુ વાંચે છે. તેમજ ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, રામાયણ,મહાભારત, ગીતા,કુરાન,બાઇબલ સહિતનાં ધાર્મીક પુસ્તકોનું વાંચન કર્યું છે. કોરોના કાળમાં મહાભારતનું વાંચન પૂર્ણ કર્યું હતું. ડૉ.ડી.પી.ચીખલિયાએ પોતાનાં નિવાસ સ્થાને જ લાઇબ્રેરી બનાવી છે. અહીં તમામ પ્રકારનું સાહિત્ય અને પુસ્તક મળી રહે છે.

જૂનાગઢનાં વિકાસમાં લોકો અને નેતાની ઇચ્છા શક્તિની ખોટ
આગામી વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ બેઠક માટે ડૉ.ડી.પી.ચીખલિયાનું નામ પણ ચર્ચામાં છે. આ અંગે ડૉ.ડી.પી.ચીખલિયાએ કહ્યું હતું કે, દર ચૂંટણીમાં મારા નામની લોકો ચર્ચા કરતા હોય છે. તેવી જ ચર્ચા આ વર્ષ પણ છે. જૂનાગઢનાં વિકાસ અંગે કહ્યું હતું કે,જૂનાગઢમાં લોકો અને નેતાની ઇચ્છા શકિત ઘટે છે. જૂનાગઢમાં માટે સતત વિચારતો, આવડત હોય અને જૂનાગઢનાં વિકાસની દ્રષ્ટી હોય તેવા વ્યકિતની જરૂર છે. જૂનાગઢમાં વન,ગીરનાર, યાત્રાધામ છે. છતા પણ આપણે એક ઉંચાઇએ પહોંચી શકતા નથી. જૂનાગઢમાં માત્ર રાજકારણી નહી ચાલે પરંતુ જૂનાગઢને શ્રેષ્ઠ વ્યકિતત્વની જરૂર છે. તેમજ લોકોએ પણ ચલાવી લેવાનો ભાવ ન રાખવો જોઇએ.

You Might Also Like

ખેડામાં ST, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત: બસના આગળના ભાગના ફુરચાં થઈ ગયા

રાજ્યમાં કોરોના વકર્યો: ગુજરાતમાં 980 એક્ટિવ કેસ, રાજકોટમાં વધુ 10ને કોરોના

સાવરકુંડલા શહેરમાં રસ્તા પર રઝળતાં પશુઓને પીવાના પાણી માટે પણ ફાંફાં

રાજુલામાં નવનાત સમસ્ત વણિક સમાજ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું

ડુંગર ગામે જાહેરમાં જુગાર રમતા મહિલા ઉપસરપંચના પુત્ર સહિત ચાર ઇસમોને પોલીસે ઝડપી પાડયા

TAGGED: DPCHIKHALIYA, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ દામોદરકુંડ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં
Next Article ટૂંક સમયમાં રાજકોટમાં કાર્ગો વિમાન બનાવવાનો પ્લાન્ટ શરૂ થશે !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ખેડામાં ST, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત: બસના આગળના ભાગના ફુરચાં થઈ ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
ઉત્તર ભારતમાં ભીષણ ગરમી, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
10 હજાર કરોડના પ્રોજેકટનો પ્રસ્તાવ તૈયાર, સેનાને મળશે ત્રણ આઈ-સ્ટાર જાસૂસી વિમાન
પાણી માટે તડપતું પાકિસ્તાન : સિંધુ જલ સંધી બહાલ કરવા માટે ભારતને કરી આજીજી
ભારતમાં આઝાદી બાદ પ્રથમ સોનાની ખાણ શરૂ થશે
રાજ્યમાં કોરોના વકર્યો: ગુજરાતમાં 980 એક્ટિવ કેસ, રાજકોટમાં વધુ 10ને કોરોના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ખેડામાં ST, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત: બસના આગળના ભાગના ફુરચાં થઈ ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
રાજકોટ

રાજ્યમાં કોરોના વકર્યો: ગુજરાતમાં 980 એક્ટિવ કેસ, રાજકોટમાં વધુ 10ને કોરોના

Khaskhabar Editor Khaskhabar Editor 29 minutes ago
ગુજરાત

સાવરકુંડલા શહેરમાં રસ્તા પર રઝળતાં પશુઓને પીવાના પાણી માટે પણ ફાંફાં

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?