સરકારી કર્મીને નોકરી છોડ્યા બાદ તરત ચૂંટણી લડતા રોકવાની માંગ સુપ્રીમે ફગાવી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6
- Advertisement -
સુપ્રીમ કોર્ટ શુક્રવારે લોકસેવકોને સેવા નિવૃત થયા બાદ કે રાજીનામુ આપ્યા બાદ ચૂંટણી લડવા રોક લગાવવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. પુર્વ સાંસદ જીવી હર્ષકુમારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી નોકરશાહો/લોકસેવકોને સેવા નિવૃત કે રાજીનામુ આપ્યા બાદ ચૂંટણી લડવા પર એક નિશ્ર્ચિત સમયસીમા સુધી રોક લગાવવા એક સમયગાળો નકકી કરવા ભારતીય ચૂંટણી પંચની 2012ની ભલામણ લાગુ કરવાની માંગ કરી હતી.
જસ્ટીસ સૂર્યકાંત અને સંદીપ મહેતાની પીઠે આ અરજી પર વિચાર કરવાનો ઈન્કાર કર્યો હતો. આ પહેલા પીઠે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, આ રિપોર્ટ 2012નો છે. અમે તેના પર વિચાર કરવા ઈચ્છુક નથી. પીઠે અરજદાર વકીલને પૂછયું હતું કે, આપ અરજી પાછી લેવા માંગો છો કે દલીલ કરવા માંગો છો? પીઠે અરજદારને પોતાની માંગને લઈને સક્ષમ ઓથોરિટીનો સંપર્ક કરવાની છૂટ આપવાની સાથે જ અરજી પરત લેવાની અનુમતી આપી હતી.
સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં હર્ષકુમારે ભારતીય ચૂંટણી પંચની ભલામણો અને લોકસેવા સુધાર સમીતી અને લોકસેવા સુધાર સમીતીની જુલાઈ 2004નો રિપોર્ટ લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર અને ચૂંટણીપંચને આદેશ આપવાની માંગ કરી હતી. જેથી સરકારી કર્મચારીઓને સેવા નિવૃત કે રાજીનામુ આપ્યા બાદ નિશ્ર્ચિત સમયગાળા સુધી ચૂંટણી લડતા રોકાઈ શકે.