ગીર સોમનાથ કલેકટરનાં અધ્યક્ષસ્થાને આંતરાષ્ટ્રીય યોગ દિવસના સુચારુ આયોજન માટે બેઠક યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.17
- Advertisement -
21 જૂન આંતરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં ગીર સોમનાથ જિલ્લામાં યોજાનાર યોગ અભ્યાસ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ઈણાજ વી.સી.હોલ ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરએ ગ્રામ્યસ્તરથી લઈ શહેરી સ્તર સુધી યોગ દિવસની ઉજવણી સુનિયોજીત રીતે થાય તે અંગે ઉપસ્થિત સર્વેને માર્ગદર્શિત કર્યાં હતાં. કલેક્ટરએ યોગ દિવસની ઉજવણીમાં નાગરિકો અને વિવિધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી થાય અને તમામના સહિયારા પ્રયાસોથી આ કાર્યક્રમ સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણાએ જણાવ્યું હતું કે, આ વખતે ’એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય માટે યોગ’ની થીમ પર આંતરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની ઉજવણી કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપતા તેમણે જણાવ્યું હતું કે, 21મી જૂનના રોજ સોમનાથ મંદિર પરિસર, ચોપાટી ગ્રાઉન્ડ ખાતે સવારે 6 કલાકેથી યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.