ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથમાં પથિકાશ્રમ મેદાન ખાતે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાની અધ્યક્ષતામાં સૂર્યનમસ્કાર મહાઅભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જનપ્રતિનિધિશ્રીઓ, અધિકારીશ્રીઓ સહિત સ્થાનિક લોકોએ 11 સૂર્યનમસ્કાર કરી સૂર્યદેવની ભાવવંદના કરી હતી.
નોંધનીય છેકે, સતત બદલાતા યુગમાં નીરોગી જીવનશૈલી જરૂરી છે. યોગને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજના રાજ્ય સરકારે અમલમાં મૂકી છે.જે ઉપક્રમે પથિકાશ્રમ મેદાન સહિત ગીર સોમનાથમાં નગરપાલિકા ગ્રાઉન્ડ કોડીનાર ખાતે, સૂર્યમંદિર ખાતે સમૂહ યોગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ સહિત શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી થયા હતાં. આ રાજ્યકક્ષાના કાર્યક્રમના અંતે સૂર્ય નમસ્કાર સ્પર્ધાના તમામ વિજેતા સ્પર્ધકોનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પુરુષોની યોગસ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બીજો નંબર મેળવનાર ગીર સોમનાથ જિલ્લાના અનિલકુમાર બાંભણિયાને મહાનુભાવોના હસ્તે રૂ.1,75,000નો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.
ગિર સોમનાથ કલેકટરની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો
