હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમિયાન ઇકઘને મતદારોએ કોઈપણ પ્રકારના દસ્તાવેજ આપવાની જરૂર નથી
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર અમરેલી જિલ્લાના 05 વિધાનસભા વિસ્તાર (1) 94-ધારી (2) 95-અમરેલી (3) 96-લાઠી (4) 97-સાવરકુંડલા (5) 98-રાજુલામાં તા.01/01/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે કાર્યક્ર્મના તબકકામાં અમરેલી જિલ્લાના કુલ 1371 મતદાન મથકોના બી.એલ.ઓ દ્વારા તા. 4-11-2025 (મંગળવાર) થી તા. 4-12-2025 (ગુરુવાર) સુધી હાઉસ ટુ હાઉસ મુલાકાત કરીને કુલ 12,71,375 મતદારો પાસે Enumeration Form (ગણતરી ફોર્મ-એન્યુમેરેશન ફોર્મ) આપવાનું શરૂ કર્યું છે. હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમિયાન મતદારોએ કોઈપણ પ્રકારના દસ્તાવેજ આપવાની જરૂર નથી. મતદારયાદીમાં પોતાનું નામ તથા વર્ષ 2002ની મતદારયાદી https:// voters.eci.gov.in/ પર ચકાસી શકાશે. મતદાર રજિસ્ટ્રેશન સંબંધિત કોઈપણ માહિતી/માર્ગદર્શન માટે 1950 હેલ્પલાઈન પર સંપર્ક કરવો અથવા મતદારો બી.એલ.ઓ નો સંપર્ક કરી શકશે. જેથી અમરેલી જિલ્લાના નાગરીકોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન EnumerationForm ભરવા બુથ લેવલ ઓફિસરોને સહયોગ કરવા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર અમરેલી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.



