સોસાયટીમાં જાણ કર્યા વગર સારા રોડ તોડ્યા
ભૂગર્ભનું કામ શરુ થાય અને કયારે પૂર્ણ થશે તેના બોર્ડ મુકો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ હીત રક્ષક સિમિતિ દ્વારા શહેરમાં ચલતા ભૂગર્ભ ગટર બાબતે અનેક સવાલો ઉભા કર્યા છે જેમાં ભૂગર્ભ ગટર કામ સમયે કોન્ટ્રાકટરના નંબર સાથે બોર્ડ મૂકવું જોઈએ અને આ કામ કેટલો સમય ચાલશે અને ક્યારે પૂર્ણ થશે તે જણાવુ જોઈએ તેમજ સોસાયટી વિસ્તારોમાં સારા ટાઇલ્સ વાળા કે સિમેન્ટ રોડને સ્થાનિક લોકોને જાણ કર્યા વગર તોડી પાડવામાં આવેછે જેના લીધે ભૂગર્ભ ગટરની ભાંગતોડ થી શહેરીજનો પરેશાન થઇ રહ્યા છે.
જૂનાગઢમાં મોટામાં મોટો પ્રશ્ર્ન હોય તો તે છે ભૂગર્ભ ગટર યોજનાના આડેધડ થતા ખોદકામ કયારે કોઇ જગ્યાએ ખોદકામ કરવાનું છે તેનીકોઇ આગોતરી જાણ કરવામાં આવી નથી. જૂનાગઢમાં જે જુની ગટર વ્યવસ્થા હતી તે રાજશાહીનું ઉત્તમ ગટર વ્યવસ હતી. ચિતાખાના ચોકમાંથી સફાઇ કામદાર નીચેની ગટરમાં ઉતરે તે સીધે સીધો કાળવા ચોક સુધી નીકળી શકેતે પ્રકારની વ્યવસ્થા હતી તે સંજોગોમાં નવી ભૂગર્ભ ગટર યોજના કરવામાં આવતા લોકોને બેહદ હાલાકી થઇ છે અને ભૂગર્ભ ગટર યોજનાનું ખોદકામ થતા બાદ જે કોન્ટ્રાકટર હોય તેની જવાબદારી લેવલીંગ કરીને જમીન હતી તેવી કરી દેવી તેવુ ટેન્ડરમાં છે કે કેમ ? તે જાહેર કરવુ કારણ કે, સોસાયટીના રસ્તામાં મોટો ખર્ચ કરીને ટાઇલ્સ પાથરી હોય કે પાકો સીમેન્ટ રોડ કરેલ હોય તે કોર્પોરેશન કોઇ પણ આગોતરી ચેતવણી આપ્યા વગર તોડી ખાતે છે અને કોઇ પણ પ્રકારે ફરી રોડ હતો તેવો કરી શકતા નથી ફકત ધુળથી ઢીકી દેવામાં આવે છે. આથી જે કોન્ટ્રાકટ આપવામાં આવે છે તે કોન્ટ્રાકટર સમગ્ર જૂનાગઢ માટેના ભૂગર્ભ ગટર માટેના એક જ છે કે, કેમ ? અને જો હોય તો તેનુ પુરૂ નામ, સરનામુ અને કોન્ટેકટ નંબર આપવા અને કેટલા સમયમાં કામ પુરૂ કરવાના છે તે ટેન્ડરનીશરત હોય તો તે જાહેર કરવી. જુદા-જુદા વિસ્તાર માટે જુદા-જુદા કોન્ટ્રેકટ હોય તો જયારે કામ શરૂ થાય ત્યારે તે વિસ્તારના કોર્પોરેશન તરફી બોર્ડ મુકી ભૂગર્ભ ગટરનું ખોદાણ કયાંથી શરૂ થશે તે વિસ્તારમાં કયા સુધી કરવાનું છે કેટલા સમયમાં પુરૂ થશે તે સમગ્ર વિગત દર્શાવતુ બોર્ડ મુકવુ જોઇએ અને જે વિસ્તારમાં ખોદકામ શરૂ કરવાના હોય તેના ઓછામાં ઓછા 10 દિવસ પહેલાએ વિસ્તારમાં જે તારીખી ભૂગર્ભ ગટરનું ખોદકાણ શરૂ થવાનુ હોય તેની જાણ કરવી જોઇએ ભૂગર્ભગટર યોજના કયારે પુરી કરવાની છે તે કોર્પોરેશન દ્વારા જાહેર કરવુ. આથી સમગ્ર જૂનાગઢ ભૂગર્ભ ગટરના કામથી ત્રાહીમામ થઇ ગયેલ છે. મોટા ભાગનું ખોદાણ થઇ ગયે છે એટલે આ પ્રોજેકટ માટે પુન: વિચારણાનો સ્કોપ નથી આથી પ્રજાને ઓછામાં ઓછી હાડમારી થાય તે માટે પ્રયાસો કોર્પોરેશને કરવા જોઇએ અને ભૂગર્ભ ગટર યોજના માટે જે પ્રયાસો કોર્પોેરેશને કરવા જોઇએ અને ભૂગર્ભ ગટર યોજના માટે જે ખોદાણ થયુ છે તે ઉપરની જમીન સીમેન્ટ કોક્રેટના રોડ બનાવી હતી તેવી કરી દેવી જોઇએ. હજુ સુધી કયાંય આ પ્રકારે થયુ નથી ટેન્ડરમાં શરત હોય કે ભૂગર્ભ ભુગળા નાખ્યા બાદ જે સ્થિતી હતી તે યથાવત કરી દેવી અને જો કોન્ટ્રેકટ ના ટેન્ડરમાં આવી શરત ન હોય તો કોર્પોરેશને પોતાના સ્વ.ભંડોળમાંથી ભાંગતોડ કરેલ દરેક રસ્તાઓ યથાવત કરી આપે આ યુઘ્ધના ધોરણ થવુ જરૂરી છે. રસ્તાઓ તૂટી જાય તે માટે કોર્પોરેશનને અને કોન્ટ્રાકટરને જાણ કરવાની જવાબદારી તે વિસ્તારના કોર્પોરેટરને હોવી જોઇએ તે બાબત દરેક કોર્પોરેટર ઘ્યાન પર મુકવી.